SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) અમૃતસાગર (તરંગ આ પ્રમાણે સંક્ષેપથી સૃષ્ટિની ઉત્પત્તિ કદી વિશેષ ખુલાશા માટે વેદ પુરાણ અને ચરક સુશ્રત વાભાદિનું અવલોકન કરો. સૃષ્ટિક્રમ સંપૂર્ણ આહારનું, પરિપાકનું, ગર્ભની ઉત્પત્તિનું તથા બાળક પોષણાદિનું લક્ષણ. પ્રાણીમાત્ર જે ભજન કરે છે તે પ્રથમ પવનની પ્રેરણાએ આમાશયમાં પ્રાપ્ત થઈ પાચક પિત્તના પ્રભાવથી કાંઈક પરિપકવ થઈ અન્સ–ખાટાપણાને પ્રાપ્ત થાય છે. પછી નાભિમાં રહેનારા સમાન વાયુથી છે છઠ્ઠી ગ્રહણ નામની કળામાં પ્રાપ્ત થાય છે, તદનંતર ગ્રહણી કળામાં આહાર પચી કેદની અગ્નિએ કરી કડ થઈ પછી તેજ આહાર કણવા અગ્નિથી સારી રીતે પચવાથી રસરૂપ થાય છે. જો આહાર સારી પેઠે પચે નહીં અને કા રહી જાય તે તે આહારને આમ થઈ જાય છે. જે કોઠની અગ્નિ પ્રબળ હોય તે તે આહારને રસ મધુર થાય છે અને મધુર થઈ ચીકણાપણાને પ્રાપ્ત થાય છે તથા સારી પેઠે પાકી-પચી શરીરની સર્વ ધાતુઓને પુષ્ટ કરે છે–એ રસ અમૃતતુલ્ય થાય છે અને જે આહાર મંદાગ્નિએ કરી દગ્ધ થઈ ગયો હોય તે પેટમાં કડવો ખાટે કે વિષ સ્વભાવને પ્રાપ્ત થાય અથવા એ રસ રેગેના સમૂહને શરીરમાં પ્રાપ્ત કરે છે. આહાર સાર-રસથી જ બળ પ્રાપ્ત થાય છે. જે આહારને રસ સારહીન હોય તે પાતળો મળ થાય છે તે નેટ છે, જે પાણી પીવામાં આવે છે તેને સાર તો નોધારા વાયુ સઘળા અંગમાં ફેલાવી દે છે અને નિઃસારને પેટમાં પ્રાપ્ત કરી મૂત્ર બનાવી લિંગદ્વારા બહાર કાઢે છે તથા આહારનું કીટ જે મળ તે હોજરીમાં રહે છે તેને ગુદાને પવન બળવડે ગુદાદ્વારા બહાર કાહારે છે. આહારનો જે રસ તે નાભિને સમાન વાયુની પ્રેરણાથી મનુષ્યના હૈયામાં જઈ મળે છે અને પિત્તથી પચ્યા પછી લાલ રંગનું લોહી થઈ સર્વ શરીરમાં જીવનના આધાર ભૂત થઈને વહે છે. જમેલા પદાર્થોને ચાર ચાર દિવસે એકે ધાતુ બની અઠ્ઠાવીશ દિવસે વીર્ય થાય છે અને સ્ત્રીને અઠ્ઠાવીશ દિવસે કે મહિને જ થાય છે. સ્ત્રીધર્મ થયા પછી સ્ત્રી પુરૂષના સંયોગથી સ્ત્રીનું શુદ્ધ લોહી અને પુરૂષનું શુદ્ધ વીર્ય મળી ગર્ભસ્થાનમાં ગર્ભને ઉત્પજ કરે છે અને નવ મહીને નિદ્વારા પ્રસવ થઈ બાળક પ્રકટે છે. મૈથુન સમય સ્ત્રીનું સ જ ઓછું અને પુરૂષનું વીર્ય વિશેષ હેય તે પુત્ર, તથા વીર્ય ડું અને રજ વધારે હેય તે પુત્રી અને બન્ને સમાન હોય તે નપુંશક પદા થાય છે. પછી જે હરિની ઈચ્છા હોય છે તે બને છે, પણ ઘણું કરીને ઉપર પ્રમાણે આધાર રખાય છે. બાળકના જન્મ પછી એક મહીનાનો થાય ત્યારે ૧ રતિ ઔષધ આપવું એટલે દુધ, ધાવણ કે સાકર સંગાથે આપવું અને દરમાસે એક એક રતિ માત્રા વધારતા જવી એટલે વર્ષને થાય ત્યાં સુધી. પછી એક માસ ઔષધ આપવું તે સોળ વર્ષ સુધી. ત્યાર પછી માત્રા યોગ્ય પ્રમાણમાં રાખી છેક ૭૦ વર્ષ સુધી કાયમ માત્રા રાખવી અને ૭૦ વર્ષ પછી પાછી બાળકને સમાન માત્રા ઘટાડી દેવી. આ તેલ કચ્છ અને ચુર્ગ માટે કહેવું છે. મણે જે કવાથ હોય તે તે તેલથી ચાર ગણે આપો. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy