SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૪) અમૃતસાગર. (તરંગ પક્ષીઓને તૃપ્ત કરે છે. મનુષ્યો યજન, હાથજોડ, નમસ્કાર, જપ તથા હોમાદિક ક્રિયાઓ ઉત્તમ પ્રકારે કરી દેવતાઓને તૃપ્ત કરે છે. પશુ પક્ષીઓ પોતાનાં દુધ વગેરેથી તથા માંસા દિથી મનુષ્યો અને દેવતાઓને તૃપ્ત કરે છે, તથા મનુ પાલન-આદિથી પશુ-પક્ષીને તૃપ્ત કરે છે. આ પ્રમાણે હોવાથી સઘળું તે તે ભાગમાં વહેંચાઈ ગયું છે અને તેને લીધે કાંઈ બાકાત રહ્યું નથી માટે તમારી સારી રીતે આજીવિકા તે ફક્ત બાળકે ઉપર જ આધાર રાખે છે, જેથી જે મનુષ્ય દેવતાઓ, પૂર્વજે, બ્રાહ્મણ, સાધુઓ, ગુઓ અને અતિથી જનોનું પૂજન ન કરતા હોય, તથા જે કુળ અપવિત્રતા અને અનાચારથી સહિત હોય, કુસિત વૃત્તિવાળાં, કોઈને ભિક્ષા કે બલિદાન ન આપતાં હોય તથા ફુટેલા કાંસાના વાસણમાં જમતાં હોય તેઓના કુળમાં જે બાળકે ઉન્ન થયાં હોય તે બાળકને તમો બેધડકપણાથી વળગજે, જેથી તમારી ભલી રીતે આજીવિકા ચાલશે અને પૂજા પણ થશે.” આ પ્રકારે બાળહે ઉન્ન થયા છે અને એ કારણથી બાળકને પીડે છે. આમ હોવાથી જેઓને બાળગ્રહ વળગ્યા હોય તેઓ બાળકોના ઉપાયો કરવા બહુ મુશ્કેલ થઈ પડે છે. જેઓ બાળકોને બાળગ્રહ વળગ્યા હોય તેનાં સામાન્ય લક્ષણે. ઘડીકમાં બાળક ઉદ્વેગ પામે, ઘડીકમાં રોવા લાગે, નથી તથા દાંતથી પિતાને અને માને ફાડી નાખે છે, ઉંચું જોયા કરે, દાંત કચડ્યા કરે, ચણ ચણે, બગાસાં ખાય, ભમરના ચાળા કરે, હઠ કરડે, વારંવાર ફીણવાળી ઉલટી કરે, દુબળું થઈ જાય, રાતે જા ગ્યા કરે, શરીરમાં સોજો આવે, અતીસાર થાય, ઘાટો ખરાબ થઈ જાય, માછલાના તથા લેહીના જેવા ગંધવાળો થાય, ઓછું ખાય, મેલા અંગવાળું થઈ જાય અને ભાન વગરનું થાય. આ સઘળાં બાળગ્રહાના વળગાડ થવાના સામાન્ય લક્ષણો છે. પણ એ નવા બાળગ્રહો પૈકી ક્યા ગ્રહને વળગાડ છે તે પારખી કહાડવાનાં કારણે નીચે પ્રમાણે જીંદગ્રહને વળગાડ હેય તે, બાળકની આંખે સુજેલી જણાય, લોહીના જેવા - ધવાળા, સ્તનપાન માટે અરૂચિ, વાંકા મહેવાળે, આંખ ખબ ને ફરતી એક પાંપણવાળી થાય છે એવો ઉદ્વેગ પામેલો પાણીથી ભરેલી આંખેવાળે, થોડું રેના, કઠણ મુઠીઓ વાળનાર અને કઠણ વિકાવાળે થાય છે. અંદાપસ્માર બાળગ્રહનો વળગાડ હોય તે, બાળક સંજ્ઞા રહિત, વારંવાર વાળોને ચુંટ, નીચી ડોક રાખનારો) અક્કડ થઈ જતે, હાથ પગથી જાણે નાચતા હોય તેમ ચાળા કરતો, મળ-મૂત્રના વેગવાળો, ઘણીવારે બગાસું ખાનારો, અને હે ફીયુક્ત (આકાશ સ્વામું જોતા, માતાના સ્તન તથા પિતાના હૈઠને કરડત, સરંભજવર, ઉંઘને નાશ, પાચ અને લેહીના સમાન ગંધવાળા) બાળક થાય છે. શકુની બાળગ્રહને વળગાડ હોય તે, બાળક શિથિલ અંગવાળે, ભયથી ચમકતા, પક્ષી જેવા ગંધવાળા, ચારે કેર સ્ત્રાવવાળા ગડગુબડથી પીડાતો, બળતરાવાળા પાકેલા ફેલાઓથી વ્યાપ્ત અને (અતીસાર, જીભ, તાળું ગળામાં ક્ષતયુક્ત, સાંધાઓમાં બળતરા, શળ, મુખ તથા ગુદામાં પાક અને તાવયુકત બાળક થાય છે. રેવતી બાળગ્રહને વળગાડ હોય તે, બાળક નેતા અહેવાળે, હરિત રંગની વિકા વાળે, ધણેજ પાંડુરંગવાળે, વા કાળાશયુક્ત, તાવ, મુખપાક અને શરીરમાં વ્યથાનાલીધે નાક તથા કાનને મસળ અને મસળ, ખાંસી, વાંકા મુખવાળા અને બકરાને સમા For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy