SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરમ. ) મસરિકા પ્રકરણ. ( ૨૭૭ ) - - ચામડીવાળી અને ગાત્રોમાં શૂળ, હમેશાં વલુર, મૂછો તથા તરણ સહિત ફેલ્લીઓ થાય છે. મેદમાં રહેલી ભસૂરિકા હોય તે, ચકાં જેવા આકારની, કુણી, કાંઈક ઉચી, જાડી, ચીકણી, પીડાવાળી, ઘેર તાવ તથા બેશુદ્ધિ, અને અણગમા સહિત ફેલીઓ થાય છે. આ સરિકાવાળો ભાગ્યે જ બચે છે. હાડમાં તથા મજજામાં રહેલી મરિકા હેય તો, નહાની, શરીરના સમાન રંગવાળી, લુખી, ચપટી, હેજ ઉંચી તથા બહુજ મેહથી વેદનાથી અને અણગમાથી સહિત, ભમરાઓ વીંધી નાખે તેવાં છિદ્ર કરનારી અને મર્મસ્થાનોને ભેદતી તુરત પ્રાણની હાણ કરનારી ઉલ્લીઓ થાય છે. વીર્યમાં રહેલી મસુરિક હેય તે, પાકે નહીં પણ પાકેલા જેવી જણાય, ચીકણી, કુણી, અપાર વેદનાવાળી, અને સ્તબ્ધપણા યુકત તથા અણગમે, મોહ, બળતરા અને ઉન્માદ સહિત ફોલ્લીઓ થાય છે. આ મસૂરિકાવાળો રોગી જીવતોજ નથી. ચામડીમાં રહેલી મમૂરિકા હોય તે, અણગમે, અરૂચિ, ઘેન અને લવારા યુક્ત ફેલ્લીઓ થાય છે આ કષ્ટસાધ્ય છે. રૂંવાડાં સુધી પહોંચેલી મસૂરિક હોય તે, પ્રથમ તાવ આવે તથા રૂંવાડા ઉભાં થઈ આવે એવી, રૂંવાડાંઓના ખાડાઓ બરાબર ઉંચી, રતાશ, ઉધરસ અને અરૂચિવાળી ફેલીએ થાય છે. આ ફોલ્લીઓ કફ તથા પિત્તથી થનારી છે. મસરિકાઓનું સામ્રાસાધ્યપણું. રસ તથા લોહીમાં રહેલી; પિત્તની અને કફપિત્તની મરિક સુખસાધ્ય છે, જેથી ઉપાય વગર પણ શાંત થાય છે, પરંતુ વાયુની, વાયુપિત્તની, અને વાયુકાની મરિક કષ્ટસાધ્ય છે માટે બરોબર કાળજી સાથે ઉપાયો કરવા. અને ત્રિદોષની ભસૂરિકા અસાધ્ય માટે ઉપાય કરવા યોગ્ય નથી. અથવા પરવાળાં જેવા રંગની, જાંબુ જેવા રંગની, લેઢાની ગેળીઓના જેવા રંગવાળી અને અલસીના ફુલના રંગ જેવી કેટલીક ફેલીઓ હોય, તેવા આ નેક વર્ણવાળી ફેલ્લિીઓ પણ અસાધ્ય છે. તથા લવારો, અણગમે, મૂછ તરશ, હેડકી, પ્રમેહ, ઉધરસ, ભયંકર તાવ, અતિનિદ્રા, દુર્ગધતા, મહે-નાક તથા આંખમાંથી લોહીનું પડવું, કંઠમાં ઘરઘરાટ અને દારૂણ શ્વાસ એટલા ઉપદ્રવ જોવામાં આવે તે તે ભસરિકાવાળે રોગી યમલોકનો નિવાસી જાણ. મસૂરિકાના ઉપાય. મસુરિકા-શીતળાના આરંભમાં સફેદ ચંદનના કન્કમાં હાડીઆકરસણને રસ મેળવી પીએ તે શીતળા-બળી કમતી નીકળે છે. અથવા એકલી હાડીઆકરસણને જ રસપીવાથી પણ તેટલો જ ફાયદો કરે છે અથવા દશમૂળ, રાસ્ના, આમળાં, વાળો, ધમાસો, ગળે, ધાણું, અને મેથ એઓને વાટીને પીએ તો, વાયુની મરિકા મટે છે. અથવા મછઠ, વડની છાલ, મેટી પીપરની છાલ, સરસડીઆની છાલ, અને ઊંબરાની છાલ એઓને વાટીને તેને ચોમેર લેપ કરવાથી વાયુની મસૂરિકા મટે છે. અથવા ગળે, જેઠીમધ, ધાખ, શેલડીનાં મૂળ અને દાડિમ એઓને વાટી તેમાં ગોળ મેળવી પીએ તો, વાયુ પ્રકોપ ન થતાં તુરત પાકી જાય છે. અથવા કુકડલાનાં મૂળીને ઉકાળો અથવા તેમાં શેલડીના મૂળીનો સ્વરસ નાખી પીએ તે પિત્તની ભસૂરિકા મટે છે, અથવા લીંબડાની અંતર For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy