SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૨ ) અમૃતસાગર. ( તરંગ અગમાં કળતર આદિ ઉપદ્રવો પણ વિસ્ફોટકમાં હોય છે, એમ પણ કેટલાક આચાયોનુ માનવું છે. વિસ્ફોટકનુ સાધ્યાસાધ્ય ચિહ્ન. એક દોષથી થએલા સાધ્યું, એ દોષોથી થએલા સાધ્ય અને ત્રિદોષથી થએલા તથા ઉપદ્રવા યુક્ત વિસ્ફોટક હોય તે અસાધ્ય અને ભયંકર છે એમ જાણવું. વિસ્ફોટકાના ઉપાય. રાગીના બળ ઉપર આધાર રાખી લંધન, વમન, રેચ અને પથ્ય ભાજન આપવું. અથવા મોટાં પાંચ મૂળ અને ન્હાનાં પાંચ મૂળ, (દશમૂળ, ) રાસ્ના, દારૂહળદર, વાળે, રાતા ધમાસા, ગળો, ધાણા અને મેાથ એને કવાથ કરી પીવાથી વાયુને વિસ્ફોટક ઞટી જાય છે. અથવા પ્રાખ, સીવણ, ખજુર, કુકડવેલા, લીંબડાની અંતર છાલ, અરડૂસી, કડુ, ડાંગરની ધાણી, અને વાસા એને વાથ કરી સાકર (દોષના પ્રમાણ પ્રમાણે) નાખી પીએ તે, પિત્તનો વિસ્ફાટક મટી જાય છે. અથવા કરીઆતું, વજ, અરસો, ત્રિફળા, ઇંદ્રજવ, કડાયાની છાલ, લીંબડે અને કડવેલા એના ઉકાળા કરી ( દેોષના પ્રમાણે ) મધ નાખી પીએ તે! કના વિસ્ફોટક મટી જાય છે. અથવા કરીયાતું, લીંબડા, જેઠીમધ, મેથ, અરડૂસ, કુકડવેલો, ખડસલીયેાપિત્તપાપડા, વાળા, ત્રિફળા અને ઇંદ્રજવ આ ખાર વસ્તુઓના ઉકાળા–કવાથ કરી પીએ તે સમસ્ત પ્રકારના વિસ્ફોટક મટી જાય છે. આ દ્દાદશાંગકવાથ કહેવાય છે અથવા દ્રજવને ચેોખાના ધોવણ સાથે વાટી લેપ કરે તે વિસ્ફોટક મટી જાય છે. અથવા ગા, કડવાં પરવળ (કે કુડવેલા ?) કરીયાતું, અરડૂસ, લીંબડે, ખડસલીયેાપિત્તપાપડા, ખેર અને મેાથ એને કવાથ કરી પીએ તે વિસ્ફોટક અને વિસ્ફોટકનો તાવ મટી જાય છે. અથવા રતાંજળી, નાગકેસર, ધોળી ઉપલસરી, તાંદન્તે, સરસડીઆની છાલ અને ચમેલીનાં-જાઇનાં પાન એએને લેપ કરવાથી વિસ્ફોટકની બળતરા મટી જાય છે. અથવા કમળ, ચંદન, લોદર, વાળે અને બન્ને જાતની ઉપલસરી એને પાણી સાથે વાટી લેપ કરે તે વિસ્ફોટકની બળતરા મટી જાય છે. અથવા થયાપોતાની મીંજને પાણીમાં ધસી લેપ કરે તેા કાળા ઝેરી ફેાલા, તથા બોબલાઇ, ગળાની ગાંઠ, કણમૂળ-કાંનના મૂળની ગાંઠ, અને રાતા ફાલા વગેરેનો નાશ કરે છે. ભાવપ્રકાશ, અથવા દશાંગલેપ તથા કિશાર ગુગળ પણ વિસ્ફોટકનો નાશ કરે છે. વિસ્ફાટક રાગીનાં પથ્યાપથ્ય. જુના સાઠીચેાખા, જવ, મગ, મસૂર અને તુવર તથા હલકાં પથ્ય ભાજન આપવાં હિત કરછે, પણ તીખા, ખાટા, કડવા, ગરમ. ઘણા ખારા, અને કસાયલા પદાથૅ આપવા નુકશાન કરતા છે, માટે પથ્ય પળાવવું. વિસ્ફાટકના અધિકાર સપૂર્ણ ૨(૦) : For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy