SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૮) અમૃતસાગરે, (તરંગ લે-ઝરાળા ઉપડી આવે છે તથા ઘણોજ ઉતાવળે ફેલાઈ મર્મસ્થાનમાં તુરત પહોંચી જાય છે. પછી તેમાં વાયુની પ્રબળતા થવાથી શરીરમાં પીડા કરે છે. આ વિસર્ષથી શુદ્ધિ અને નિદ્રાનો નાશ થઈ જાય છે, વારંવાર શ્વાસ ચઢે છે, હેડકી આવે છે, બહુજ બેચેનીને લીધે ભેય કે પથારી ઉપર બેસતાં સૂતાં વા, હરતાં ફરતાં જરાપણ કળ વળતી નથી, પણ વિશેષ કલેશ થાય છે, મન તનને સંતાપ રહેવા છતાં પણ મરણરૂપ અત્યંત નિદ્રા આવે છે-આને આનેય વિસર્ષ કહે છે. વાયુફ જનિત વિસર્ષ હોય તે, કફના હેતુથી દુષ્ટ થએલા કફથી રોકાયેલ અને પિતાના કારણેથી પણ દુષ્ટ થએલો વાયુ કો બહુ પ્રકારથી ભેદીને અને જેનું લોહી વ ધ્યું હોય તેની ચામડી, શિરાઓ ત્થા સ્નાયુઓમાં અને માંસમાં રહેલા લોહીને દેવંત કરીને લાંબા, ગોળ, જાડા, સતા તથા ખસઠ ગાંઠાઓની હાર ઉત્પન્ન કરે છે તેમાં આકરી વેદના, તાવ, દમ, ઉધરસ, ઝાડા, શોધ, હેડકી, ઉલટી, ભ્રમ, મોહ, વર્ણને બિગાડ, મૂર્છા,શરીરની ત્રોડ, અને અગ્નિમંદતા વગેરે ઉપદ્રવ થાય છે. આને ગ્રંથિવિસર્ષ કહે છે. પિત્તકફને વિસર્ષ હોય તો, તાવ, સજડપણું, નિદ્રા, ઘેન, માથામાં પીડા, અંગોમાં ગ્લાનિ, સુસ્તિ, ચેનવિના હાથપગ હલાવવા, લવાર, રૂચિહીન, ફેર, મૂઈ, મંદાગ્નિ, હાડનો દુખાવ, તરશ, ઇતિઓનું ભારેપણું, ઝાડામાં આમનું પડવું અને તે-નસનું કફથી પાવું વગેરે વગેરે લક્ષણ થાય છે. આ વિસર્ષ પહેલાં આમાશય ઉપર થઈ પછી ચારે તરફ ફેલાય છે; છતાં પીડા છેડી હોય છે, બહુજ રાતા પીળા તથા ધોળા ફોલ્લાઓથી વ્યાપ્ત અને સ્નિગ્ધ, કાળો–લુખા કાળા રંગને મેલો સેજાવાળે, ભારે ઉંડા પાકવાળા, ઘણું ઉનાશવાળો હોય છે, અડવાથી ભીનાશ ! જણાય છે, તેમાં ચીરા પડે છે, ચામડીને ગાર–કાદવના રંગ જેવી કાળી કરી માંસને ખેરવી નાખે છે, તેથીજ ન-રમાયું વારે ખુલ્લા પડે છે અને તેમાંથી મડદા જેવી ગંધ આવતી હોય તેને કઈક વિસ કહે છે. તથી થએલા ઓમા પ્રકારના વિસર્ષનું લક્ષણ. શસ્ત્રથી ફાડી ખાનારા પ્રાણીઓના નખ-દાંતના વાગવાથી થએલાં આગતુક ક્ષતથી વાયુ પ્રકોપ પામી લેહી અને પિત્તને નાસુર કે ઘણા વખતના જખમમાં પ્રેરી–લાવી વિસપને ઉત્પન્ન કરે છે. આ વિસર્પ કળથી જેવા ફોલ્લાઓથી વિંટાયલે કાળો લોહીવાળા હોય છે અને સેજે, સણકા, તાવ તથા બળત્રાથી અત્યંત યુક્ત હોય છે. વિસર્ષના ઉપદ્રવો. તાવ, અતિસાર, ઉલટી, ચામડીનું ચીરવું, માંસનું ફાટવું, સુસ્તી, અરૂચિ, અને પાકવું એટલા વિસર્ષના ઉપદ્ર છે. વિસપનું સાધ્યા સાધ્યપણું. ત્રિદોષથી થએલે વિસર્ષ અને ક્ષતથી થએલો વિસર્ષ અસાધ્ય છે. પિત્તથી થએલે જે કાળા વર્ણવાળો હોય તો અસાધ્ય, વાયુથી, કફથી તથા મેશ જેવા રંગ વગરને પિત્તનો વિસર્ષ સાધ્ય છે; તે પણ તે સાધ્ય વિસર્ષે મર્મસ્થાનોમાં થયા હોય તે કષ્ટસાધ્ય છે. - વિસર્ષના ઉપાય. વિસ વાળાને બળતરા ન કરે તેવા રે ઉલટી, લેપ, સિંચનો અને લેહી કરાવવા For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy