SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેળ. ) કોઢ પ્રકરણ ( ૨૫૫) કઢના હોદરૂપ શ્ચિત્રકોઢનું લક્ષણ જે કોઢ ઉત્પન્ન થવાનાં મૂળ કારણો છે તેજ આ ત્રિકોઢ ઉત્પન્ન થવાનાં કારણે છે. ત્રિજ લેહીના આશ્રયથી કિલાસ ગઢ કહેવાય છે અને માંસના આશ્રયથી અરૂણ કહેવાય છે; અર્થાત કિલાસ અને અરૂણ એ બે ત્રિકોઢનાજ ભેદ છે. કોઢ પરૂ વગેરે કરતે હોય છે અને શ્ચિત્ર પર વિનાનું હોય છે. કોઢ ત્રણે દેશોથી થાય છે અને શ્ચિત્ર એક એક દેશથી થાય છે. કોઢ રસ વગેરે સઘળા ધાતુઓમાં રહે છે અને શ્ચિત્ર ફક્ત લોહી માંસ તથા મેદમાંજ રહે છે એટલે કોઢ અને શ્ચિત્ર વચ્ચે તફાવત છે. દે ભેદ ઉપરથી સ્થિત્રના લક્ષણના ભેદ. વાયુથી થએલ લુખું, સ્ટેજ રડતું અને લોહીમાં રહે છે. પિત્તથી થએલું કમળપત્રની પેડે વનમાં છેલ્લું અને ચારે બાજાએ રાતું, બળતરા વાળું, રેમનો નાશ કરનારું અને માંસમાં રહેનારું હોય છે. કફથી થએલું , ૩, ભારે, ખરજવાળું અને મેદમાં રહેનાર હોય છે. શ્ચિત્ર દોષથી થયું હોય કે ત્રણથી થયું હોય તે પણ દેવભેદને અનુસરી તેના વર્ણ ઉપર પ્રમાણે જ હોય છે. વાયુથી પિત્તનું અને પિત્તથી કફનું વધારે ખરાબ હોય છે. ચિત્રનું સાધ્યાસાધ્યપણું જે શ્ચિત્ર ધોળા રૂંવાડાં વિનાનું હોય, પાતળું, લેહીવાળું, તાજું અને અગ્નિથી બભાવિના થએલ હોય તે સાધ્ય છે. તે વિના અન્ય સર્વ અસાધ્ય છે. અથવા દ્રિ, નિ, હાથમાં, પગના તળામાં કે હોઠમાં થએલ હોય તે શ્ચિત્ર–ધોળો કોઢ તા હોય તે પહુ અસાધ્ય છે. કોઢવિના બીજા પણ કેટલાક રોગ ચેપી છે? એક બીજાની પથારીમાં સુવાથી, ભેગા બેસીને જમવાથી, એક એકનું કપડું ઓઢવા–પહેરવાથી, એક એકની પહેરેલી ફુલની માળા ધારણ કરવાથી અને એક એકના ચંદન વગેરેના લેપ કરવાથી ચળ, (ખપ–લુખસ) ચાંદી. ભૂતનો કરેલો ઉન્માદ, વ્રણ, તાવ, ઉધરસ, રતવા, કોલેરા, ઓરી, અછબડા, શીતળા અને આંખેનું દુખવું તથા પ્રમેહ વગરે એવા બીજા પણ સંસર્ગથી થનારા રગો એક મનુષ્યથી બીજ મનુષ્યને ઉડ વળગે છે. માટે એવા ચેપી રોગીથી બરોબર સાવધ રહેવું. કોઢના ઉપાય. વાયુની પ્રબળતાવાળા કોટમાં ઘીને ઉપયોગ કરવો, કફની પ્રબળતાવાળામાં ઉલટી ટી કરવા અને વિધિ પ્રબળતાવાળા કોઢમાં લેપ, શિ- - લેડી ૩.", ખારા હરડે, કરકચ, સરસવ, હળદર, બાવચી, સિંધાલૂણ અને વાવડીંગ એને ગોમૂત્રમાં વાટી લેપ કરે છે, કેઢ મટી જાય છે. આ પથ્યાદિ લેપ કહેવાય છે. અથવા બાવચીને ઝીણી વાટી આદાના રસમાં ઘુંટી શરીર ઉપર ચોળવાથી આકરે અને જામીગએલ કાઢ પણ નાશ પામે છે. આ સેમરાજ્યકર્તન કહેવાય છે. અથવા શ્રી બ્રહ્માજીએ માકડેયઆદિ મહર્ષિ ઓને કહેલ તથા તે મહર્ષિઓએ કરી જેએલ પંચનિંબાદિ પ્રયોગથી સર્વ રોગ નાશ થાય છે. તે પ્રયોગ એ છે કે-લીંબડાની લીંબોળી, મોર, છાલ, મૂળ અને પાંદડાં અર્થાત લીંબડાનાં પાંચ અંગ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તે ચૂર્ણને જળભાંગરાના સ્વરસની ૭ ભાવના For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy