SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨) અમૃતસાગર. ( તરંગ વવા થી, શ્રમથી-ભયથી–પરસેવાથી પીડિત છતાં વિસામો ન લેતાં એકદમ હાવાથી વા, ઠંડું પાણી પીએ તેથી, ભજન ન પચ્યા (અજીર્ણ) છતાં તે ઉપર ફરી ભોજન જમવાથી, વિરેચનાદિ પાંચ કર્મો કર્યા છતાં વિરૂદ્ધ આહાર વિહાર કરવાથી, નવાં અન્ન, દહી, માછલાં, અડદ, ખાટા પદાર્થ, મૂળા, વાટેલાં અને, તલ, દુધ તથા ગોળ એઓનું અત્યંત સેવન કરવાથી, વિદગ્ધાદિ અજીર્ણ છતાં મૈથુન સેવન કરવાથી, દિવસે સુવાથી, ગુરૂ, દેવ, બ્રાહ્મણ, પવિત્ર પુસ્તકો, ૫વિત સ્થાન અને મહત પુરૂષો એઓનાં અપમાન કરવાથી અને પાપ કર્મો કરવાથી વાત પિત્ત કફ એ ત્રણે દે, રસને, લેહીને, માંસને તથા લસીકાને દૂષિત કરીને કોઢને ઉત્પન્ન કરે છે, અર્થાત વાયુ, પિત્ત, કફ, રસ, લોહી, માંસ અને લસીકા એ સાતેના બગાડથી કોઢ પેદા થાય છે. વાયુઆદિ ત્રિદોષ અને રસાદિ ચાર દે કઢના કારણભૂત છે. આ સાત પદાર્થોના સમુચ્ચયથી સાત પ્રકારના અને અગ્યાર પ્રકારના મળી અઢાર જાતના કોઢ ઉત્પન્ન થાય છે, અર્થાત સાત મોટા કોઢ અને અગ્યાર ન્હાના કોઢ છે. અઢાર કાઢનાં નામ. કપાળ ૧, ઔદુંબર ૨, મંડળ ૩, સિધ્ય ૪, કાકણક ૫, કુંડરીક ૬, છત્વ છે, ( આ સાત મહાકુદ છે અને) એકકુણ ૮, ગજર્મ ૯, ચર્મદળ ૧૦, વિચિચિંક ૧૧, પામા ૧૨, દદ્ર ૧૩, વિસ્ફોટક ૧૪૦, કિટિભ ૧૫, અલસક ૧૬, વિપાદિકા ૧૭ અને શતાર ૧૮ (આ અગ્યાર શુદ્ર કુષ્ટ છે.) આ ચટાર કોઢ છે; જે કે સર્વ કોઢમાં ત્રિદ છેય છે; તોપણ પ્રત્યેક દષની ઉઘણુતાના કારણો ઉપરથી જુદાં જુદાં નામે પડેલાં છે. કોઢ થયા પહેલાં કેવાં ચિન્હ થાય છે.? પહેલાં ત્રણ થાય છે તે ત્રણ અતિ કોમળ, વા અતિ ખરસઠ સ્પર્શવાળા, પરસેવો અને લુખાસપણએ કરીને સહિત હોય છે. અથવા તડકામાં ફર્યા છતાં પણ પરસેવો ન આવે, બળતર, ખરજ, ચામડીમાં બેહેરાપણું, ખુંચ્યા જેવી પીડા, શરીરે ધ્રાંમઠાં, ગ્લાનિ, શળની અધિકતા, વણોનું બહુ વખત સુધી રહેવું, રૂઝાઈ ગયા પછી પણ લુખાપણું, નહીં જેવાં કારણે છતાં ત્ર ને વિશેષ કપ, રૂંવાડાઓનું ઉભું થવું, અને લેહીમાં કાળાપણું એટલાં ચિહે કોઢ થયા પહેલાં કોઢ થનાર મનુષ્યને અગમચેતીરૂપ થાય છે તેને કોઢનું પૂર્વરૂપ કહે છે. - છે અવિચળ હોવાને લીધે ચામડી નરમ કરી નાખી ચારે બાજુએ ચામડીનો રંગ બદલી નાખે છે તે કોઢ કહેવાય છે. અમુક દષની પ્રબળતાથી અમુક કે ઉત્પન્ન થાય છે તેને વિચાર. વાયુની પ્રબળતાથી કપાળ કોઢ થાય છે. પિત્તની પ્રબળતાથી આદુ બર, મંડળ અને વિચર્ચિકા કોઢ થાય છે, વાયુ તથા પિત્તની પ્રબળતાથી અક્ષજીવ. વાયુ તથા કફની પ્રબળતાથી ગચર્મ, એકકુષ્ટ, કિટિભ, સિંધ્ય, અલસ અને વિપાદિકા કોઢ થાય છે. પિત્ત તથા કફની ૧ સિંધનામા કઢને સુપ્રતે હાના કોઢમાં ગણેલો છે, પણ ચરકે તેને મોટા કોઢમાં ગણેલા છે. કારણ કે ધાતુઓમાં પેઠેલા કોઢને મહાકુ ગણવો જ જોઇએ તેજ પ્રમાણે ધાતુઓમાં પેઠેલ સિંધમપણ મોટા કોઢમાં જ ગણવા યોગ્ય છે. ૨ દ દાદરને સુપ્રત મહેટા કઢમાં ગણેલ છે; છતાં ચરકનું એવું માનવું છે કે, જે દાદર કાળી અને ઉંડા મૂળવાળી નથી તો તેને મ્હોટા કોઢમાં ન ગણતાં યુદ્ધ કોઢમાં ગણવી યોગ્ય છે; અર્થાત્ રાતી દર બહાના કોઢમાં અને કાળી તથા મજબૂત મૂળવાળી દાદર મોટા કોટમાં ગણવા લાયક છે. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy