SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪) એમૃતસાગર. (તરંગ રનો કોઈપણ ભાગ–મુખ્યત્વે હાથ પગ ફાટતા હોય તે અવશ્ય મટી જાય છે. અથવા લીંબડાનાં પાન શેર ન લઈ તેનો રસ કાહાડી પછી ગાયનું ધી નવટાંક લેઢાની કડછી કે કડાઈમાં નાખી ઉનું કરી તેમાં રાળ પસાભાર નાખી પીગળાવી તેમાં તે રસ નાખી દેવો જ્યારે રસ શેષી જાય અને મલમ જેવું બને ત્યારે તેમાં કાથે ૧ પૈસાભાર, મેરથુથું પૈસાભાર તથા બોદારશીંગ ૧ પૈસાભાર વાટીને મેળવી તૈયાર થએલા આ મલમની લુગડા ઉપર પટી કરી લગાવે તો ફેલા અને ત્રણ માત્ર અવશ્ય મટે છે. નાડીત્રણને અધિકાર સપૂર્ણ, ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેન્દ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર ગ્રંથ વિષે શ્લીપદ, વિધિ, વ્રણથ, આગંતુકવણ, શારીરિકવણ, અરિનદગ્ધ, ત્રણગ્રંથી, ભગ્ન અને નાડીત્રણ વગેરેની ઉત્પત્તિ લક્ષણ તથા ઉપાય નિરૂપણ નામને પંદરમો તરંગ સંપૂર્ણ - - - ૦ તરંગ સોળમો. —:૦+૦:–– – દુષ્ટ ભગંદર ચંદ્રિકા, લિંગાર્સિકને કુછ સમાજ તરગમાં, તસ નિરૂપણ છે સ્પણ. ભગંદરનો અધિકાર ભગંદરનું પૂર્વરૂપ સ્વરૂપ તથા શબ્દાર્થ નિરૂપણ. જે મનુષ્યને ભગંદર થવાનું હોય તેને કેડમાંના હાડકાઓમાં સે ભેંકાયા જેથી પી ડા થાય, બળતરા, ખરજ તથા વ્યથા વગેરે થાય છે. ગુદાની બાજુમાં બે આંગળ જેટલા ગાળામાં પીડા કરનારી અને ચીરાએલી કેલીઓ થાય છે, અર્થાત ગુદા અને મૂત્રાશયના વચમાંની જગ્યાને ચારે કોરા ભગ–નિની પેઠે ફાડી નાખે છે એટલા માટે આ રોગને ભગંદર કહે છે. તે ભગંદર પાંચ પ્રકારનો છે. એટલે વાયુને, પિત્ત, કફ, ત્રિદોષને અને શલ્યને એમ પાંચ પ્રકારનો છે તે પૈકી વાયુના ભગંદરને શતપનક, પિત્તનાને ઉરુગ્રીવ, કફનાને પરિશ્રાવિ, ત્રિદેષનાને સંબૂકાવર્ત અને શલ્યનાને ઉન્માર્ગી કહે છે. પાંચ પ્રકારના ભગંદરનાં ચિન. તુરા તથા લુખા પદાર્થોથી અત્યંત કુપિત થએલો વાયુ ગુદાના પ્રદેશમાં ફોલ્લીઓને ઉત્પન્ન કરે છે. એ ફેડકીઓની માવજત ન કરતાં બેદરકારી રાખે છે, તે ફેલીઓ ભયંકર રીતે પાકી આવે છે, પીડા કરે છે, ફાટીને તેમાંથી રાતા શીણો વહ્યા કરે છે અને તેમાંથી મળ-મૂત્ર તથા વીર્ય પડે છે. આમાં ઝીણાં ઝીણાં અનેક નારાં પડે છે અને ચાલણ જેવાં દેખાય છે તેથી જ તેને શતપોનક (સંસ્કૃત ભાષામાં ચાલીને શતનિક) કહે છે. પિત્તને વધારનાર પદાથી પિત્તપ્રકોપ પામી ગુદાની પાસેના ગાળામાં સતી કેડીઓને સંપન્ન કરે છે. આ કોલીઓ ઝટ પાકી જાય છે અને પાકીને તેમાંથી ઉંટના જેવી For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy