SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમે) આગંતુક વ્રણ પ્રકરણ ( ૨૨૯) આગંતુક ત્રણ સંબંધી વિવેચન. અનેક પ્રકારનાં અણી–ધાર તથા મુખવાળાં જીવ લેનારાં શસ્ત્ર અથવા હથિયાર છે, તેઓના વાગવાથી શરીરના જુદા જુદા ભાગોમાં અનેક પ્રકારનાં જે ઘણા-ઘા થાય છે તેને આગંતુક વણ કહે છે. શાથી થતાં છ પ્રકારનાં ત્રણેના લક્ષણે–એટલે છિન્ન, ભિન્ન, વિદ્ધ, ક્ષત, પચ્ચિત અને ધૃષ્ટ એમ છ ભેદ છે. તેનાં અનુક્રમે લક્ષણો નીચે પ્રમાણે – - જે ઘણું આડું, ત્રાંસું, અથવા તિરક્સી જેવું, સિધું-પાંસરું અને લાંબું હોય અઈત તેવી આકૃતિએ ઘા વાગ્યો હોય તે વણને છિન્ન વણ કહે છે. જે બરછી, ભાલ, બાણુ–તીર, તરવારની અણી અને કોઈ પ્રાણુના દાંત, નખ, શીંગડાના વાગવાથી શરીરમાંનું સ્થાન મેદાઈ ખોટું લેહી નીકળે તેના ઘાને ભિન્ન ત્રણ કહે છે. આ ત્રણમાં આશયના પાવાથી લોહી વહે તે લેહીથી કો-ઉદર ભરાઇ જાય ત્યારે તે લોહીથી ભરેલું પેટ તાવ અને બળતરાને ઉત્પન્ન કરે છે. પછી તે લોહી મુદ્રિય વા, ગુદા દ્વારા કે મુખ તથા નાની વાટે નીકળે છે અને તેથી મૂઠ, શ્વાસ, આફરો, તરસ, તથા અરૂચિ ઉત્પન્ન કરે છે, મળમૂત્ર તથા વાયુનું રોકાણ થાય છે, પરસેવો આવે છે, આંખો રાતી થાય, મહોમાંથી લેહીની વાસના આવે, શરીરમાં દુર્ગધ, હૈયા તથા પડખાઓમાં શળ નીકળે છે. વગેરે વગેરે ઉપદ્રવ થાય છે. - જે ઝીણું અણીની–ધારવાળાં હથીઆરના ફેંકવાથી શરીરના આશય વિના બીજો કોઈપણ ભાગ વિધાઈ જાય તેથી તે ભાગ તેવા જખમથી ઉતરડાઈ ગયો હોય; જો કે તેમાંથી શલ્ય તે નીકળી ગયું હોય; તદપિ નીકળી ગયેલા શલ્યના જેઘા પડે છે તેને વિદ્ધવણ કહે છે. શરીરનું જે અંગ બહુ છેદાયા ભેદાયા ન છતાં તે અંગે વિશેષ છેદાયો ભેદાયા ત્રણનાં લક્ષણોવાળું જણાય અને તે ઉપર થએલું ત્રણ વાંકુ ચુકું હોય તેને ક્ષેતવણુ કહે છે. ઘણું કરીને તે ઘા કાળે, સેજા સહિત, તથા ફેલિઓથી વીંટાયેલ, અને તેમાંથી વારંવાર લેહી વહ્યા કરતું હોય, તથા ઘા પચે છતાં જરા ઉપસેલ હોય અને પપેટીઓની પેઠે જેના ઉપર માસના અંકુરા આવી રહ્યા હોય તથા પીડા સહિત હોય, તે જાણવું કે, તે ઘામાં શલ્ય-કટ, કાંકરે, લાકડું, લોઢું કે કાચ વગેરે અંદર રહી ગએલ છે અને કેટલાક સશત્યજવણ પણ કહે છે. જેમાં હાડકાં સાથે શરીરના કોઈ ભાગ ઉપર એકાદ જબરે શસ્ત્રનો માર વાગ્યે હોય અથવા કોઈ ભીત, પથરા, કે ભાર નીચે ખૂબ ચગદાયો હોય તેથી તે ભચડાઈ ચીરાઈને પહોળું થઈ જાય છે અને તેમાંથી તેજ વખતે મજ્જા સાથે લોહી વહેવા માંડે છે તેને પશ્ચિતવણ કહે છે. શરીરને કોઈપણ ભાગ સારી પેઠે ઘસાય હોય છેલા હોય કે તેના ઉપર કાંઈ વાગવાથી તે જગ્યાની આખી ચામડી નીકળી ગઈ હોય અને તેમાંથી બળતરા બળી છેહું થોડું લેહી વહેવા લાગે તેને ઘષ્ટત્રણ કહે છે. ૧ આંતરડાં, જઠરાગ્નિનું સ્થાન, હૈજરી, પેસાબને ફુકો, કાળજું, રક્તાશય, બરલ, હદય, મળાશય અને ફેફસાં આ સ્થાને આશય એટલે કોઠાની સાધારણ સંજ્ઞાથી ઓળખાય છે. . માધવનિદાન, For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy