SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રજ) અમૃતસાગર. (તરંગ આવે છે અને પેટમાં આવીને ગુદાદ્વારા બહાર નીકળે છે તેને દકોદર જળોદર રોગ કહે છે. જેથી પેટ ઉથલેલી ડુંટી વાળું થાય છે, જાણે ચારેકોર પાણીથી ભરેલું હોય તેવું પા ણીના આમ તેમ પ્રસરવાળું પેટ લાગે, તથા પાણીની ભરેલી મસકની પેઠે પાણીથી ભરેલું દેખાય અને પાણીના હાલવા ચાલવાથી સૂતાં બેસતાં કે ચાલતાં તેને જરા કળ વળતી નથી તથા શરીર ધ્રુજ્યા કરે તેને જળદર રોગ કહે છે. પેટના રોગોનું સાધ્યાસાધ્યપણું. ઘણું કરીને આ પ્રકારના પેટમાંના રોગોને ઉત્પન્ન થતાં કષ્ટસાધ્ય માનેલ છે. જે રેગી બળવાન હોય તથા તે રોગમાં પાણી ઉત્પન્ન થયું હોય અને સુરતના પેદા થએલ રોગ હોય તે ઉપાયે કરવાથી આરામ થાય છે. બદ્ધગુદાદર ૧૫ દિવસ ઉપરાંત રહે તો મનુષ્યને મારી નાખે છે, જળોદર અસાધ્ય છે. જે ઉદર રોગીના પડખામાં શાળા , આંખે ઉપર સેજે હોય, ઇદ્રિ વાંકી થઈ ગઈ હોય, શરીરની ચામડી પાતળી તથા ભીની થઈ જણાતી હોય, બળ, લોહી, માંસ નાશ પામ્યાં હોય અને અગ્નિ મંદ થઈ હોય તો તે ઉદરરોગી મરણને શરણ થાય છે, તથા જે ઉદરરોગીનાં પડખાં ભાંગી ગયાં હોય–શૂળ ચાલતી હેય, અન્ન ઉપર દૃષ થયો હોય, શરીરમાં સોજો તથા અતીસારની પીડા હોય, અને રેચ લેવા છતાં પણ પેટ ખાલી ન દેખાતાં ભરેલું દેખાય તેવા ઉદર રોગીની ડાહ્યા વૈદ્ય દવા ન કરવી; કેમકે તેને યશ મળતો નથી. વાદરના ઉપાય. એરંડીયું તેલ, દશમૂળનું ચૂર્ણ અને ગોમૂત્ર એઓને એકત કરી પીવાથી વાયુ સંબંધી પેટમાંના રોગ મટે છે, અને જો તથા શળ પણ મટે છે. અથવા ત્રિફળાના કવાથમાં ગોમૂત્ર નાખી પીવાથી વાયુ સંબંધી પેટમાંના રોગ, શો અને શળ નાશ પામે છે. અથવા ઉપલેટ, નેપાળાનું મૂળ અથવા શોધેલો નેપાળો, જવખાર, બમણી સુંઠ, મરી, પીપર, સિંધાલુણ, સાંભરેલુણ, સંચળ, વજ, જીરું, અજમે, હિંગ, સાજી, ચવક અને ચિત્રક એઓ સમાન ભાગે લઈ તેઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી ઉના પાણી સાથે સેવન કરવાથી વાયુ સંબંધી પેટના રોગ મટી જાય છે–આ કુષ્ટાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા એક કળીનું લસણ તેલા ૪૦૦ લઈ ફેલી વાટી ૧૦૨૪ તોલા ભાર પાણીમાં તેને કવાથ કરી પછી તેમાં સુંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આંબળાં, નેપાળ, હિંગ, સિંધાલૂણ, ચિત્રક, દેવદાર, વજ, ઉપલેટ, જેઠીમધ, સગવો, સાટોડી, સંચળ, વાવડીંગ, અજમો અને ગજપીપર એ પ્રત્યેક પદાર્થો ૪-૪ તેલા ભાર અને નસોતર ૨૪ તલાભાર લઈ વાટી રાર્વિન કલ્ક કરી પિલા કવાથમાં નાખીને તે કવાથમાં કમળ અગ્નિવતે તલ પકાવવું. પ્રાત:કાલે ઉઠી પોતાના અગ્નિ તથા બળને અનુસરી યોગ્ય માત્રાથી એ તેલનું સેવન કરે છે તેથી સઘળા રોગો મટી જાય છે અને પેટના રોગો તો વિશેષે કરીને જ મટી જાય છે. તથા મૂત્રકૃચ્છ, ઉદાવર્તઅંત્રસૃદ્ધિ, ગુદાના કૃમિઓ, પડખાનું શળ, પેટનું શળ, આમ શળ, અરૂચિ, યકૃત, અલ્ટિલિકા, આફરો, બરલ, અને અંગમાં થતી વેદના એ સર્વ આ લશુનતૈિલનામા તેલના સેવનથી મટી જાય છે. અથવા-દશમૂળના કવાથમાં ગોમૂત્ર નાખી સેવન કરવાથી વાતો દરની વ્યાધિ, શળ અને જે નાશ પામે છે. અથવા ગરમ દુધમાં એરંડીયું તથા ગેસૂત્ર For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy