SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૨૦૨ ) ( તર્ગ જઠરાગ્નિને, પ્રાણવાયુને અને અપાનવાયુને દૂષિત કરી આઠ પ્રકારના પેટમાં રાગે પેદા કરે છે. પેટમાંના રાગોનુ સામાન્ય સ્વરૂપ પેટનું ચઢવું, હીંડવામાં અશક્તિ, દુર્બળ પણું, અગ્નિની મદતા, શરીરમાં સેન્તે, હાડામાં કળતર-ગ્લાનિ, વાયુ તથા વિષ્ટાનું રોકાણ, અને બળતરા તથા ધેન એટલાં લક્ષણા સર્વ પ્રકારના પેટમાં થનારા રોગોમાં થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદર રોગનાં પાસેનાં નિદાન તથા સંખ્યા. વાયુથી, પિત્તથી, કથી, વિષથી, બરલવધવાથી, ગુદાના રેગ થવાથી, આંતરડુ ધવાયાથી અને પેટમાં પાણી ભરાવા થવાથી એમ આઠ પ્રકારના ઉદર રાગા થાય છે; એટલે વાતાદર, પિત્તાદર, કફેાદર, સન્નિપાતેાદર, પ્લીહાદર, બહુગુદેદર, ક્ષતાદર, અને તૃકાદર-જલાદર એ આઠ નામાવાળા ઉદર રેગો થાય છે. એએનાં જુદાં જુદાં લક્ષણા નીચે પ્રમાણે. વાતાદરનાં લક્ષણ. જેના હાથે, પગે, નાભિએ અને પેટે સોજો હોય, પેટના જમણા તથા ડાબા ભાગમાં, પડખામાં, પેટમાં, કેડમાં તથા ખરડામાં વેદના થાય, સાંધાઓ તુટે, સૂકી ઉધરસ આવતી હોય, શરીરમાં કળતર તથા ભારેપણું, ઝાડ઼ા ઉતરે નહીં, ચામડી, નખ અને આંખ્યા કાળાં પડી જાય, પેટમાં પીડા થાય, પેટ ચઢે અને પેટ ખેલ્યા કરે તથા ઔચિ તે દરદમાં વધારા ઘટાડા થાય તે જાણવુ કે વાયુને ઉદર રોગ છે. પિત્તાદરનાં લક્ષણ. જેના શરીરમાં તાવ, મૂર્ચ્છા, બળતર, ત, મેહડામાં તીખાપણું, ફેર આવે, અતીસાર અને ચામડી વગેરેમાં પીળાશ પડે અથવા પેટની ચામડી, લીલી તથા રાતા પીળા ૨ગ વાળી નથી બધાયલ હોય, પેટ પરસેવાવાળું, અંદર ઉનાસવાળુ, બાહાર બળતરા વાળુ, જાણે તેમાંથી ધુમાડેા નીકળતા હોય તેવુ, કુણા કુણા સ્પર્શેવાળુ, તુરત પાકી જનારૂં અને વ્યાધિવાળુ હ્રાય તે જાણવુ કે પિત્તને ઉદર રાગ છે. કોદરનાં લક્ષણ. જેના શરીરમાં પીડા હાય, ગ્લાનિ, સોજો, અગેનું ભારેપણું, નિદ્રાના વધારા, મેાળ, અરૂચિ, ઉધરસ, અંગોમાં અડવાથી ખબર ન પડે, ચામડી વગેરેમાં ધેાળાશ દેખાય તથા પેટ સજડ, સ્નિગ્ધ, ધેાળી રગેથી બ્યાસ, મેટુ, લાંબા વખતે વધનારૂં, કઠણ, ઠંડા સ્પર્શવાળુ ભારે અને ગડગડાટ વગરનું હોય તે જાણવું કે કને ઉદર રાગ છે. સન્નિપાતાદરનાં લક્ષણ. દુષ્ટ આચારનું આચરણ કરવાવાળી દુષ્ટા સ્ત્રીઓ પોતાના તાખામાં રાખવા પોતાના પતિને નખ, રૂવાડાં, મળ, મૂત્ર, અને અટકાવ–રજસ્વળાપણાનું લોહી એએથી યુક્ત-મેળવેલું અન્ન ખવરાવે છે તે પુરૂષને, તથા ખીજાંપણુ પોતાના નોકર ચાકર કે પાસે રહેનારાં અવિચારી માણસે જેતે એવુ અન્ન ખવરાવે તેને, તથા જેને શત્રુ કે!ઇપણ વસ્તુમાં For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy