________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમે )
ઉધરસ પ્રકરણ,
( ૯ )
-
-
જે શબ્દ કરી ધીમેથી મુખની વાટે બહાર નીકળે છે તે કાસ-ખાંસી-ખોખલા-ઉધરસ ખાસ વગેરે નામથી ઓળખાય છે. તેના પાંચ પ્રકાર છે એટલે વાયુ, કફ, પિત્તને, માલાગવાનો અને ક્ષયને એમ પાંચ જાત છે. અને તે પહેલાથી બીજે, બીજાથી ત્રીજે, ત્રી જાથી ચોથે અને ચોથાથી પાંચમ એમ એકએકથી અધિક અધિક બળવાન તથા ભયકારી છે.
ઉધરસનું પૂર્વ સ્વરૂપ. જ્યારે ઉધરસ થવાની હોય છે ત્યારે ગળામાં તથા મોહડામાં કાંટા પડી જાય છે ગળામાં ચળ આવે છે અને ભોજન કરતાં ગળામાં દુખાવો થાય છે.
ઉધરસનાં લક્ષણો. છાતિમાં, કાનના મળમાં કિંવા લમણામાં, માથામાં, પેટમાં તથા પડખામાં શળસણકા આવે, હે ઉતરી જાય, બળ, પરાક્રમ તથા સ્વર ક્ષીણ થઈ જાય, ઉધરસ આવતી વખતે ગળામાં પીડા, સુકી ઉધરસ અને ખાખરો શબ્દ થાય તે જાણવું કે વાયુની ઉધરસ છે.
જે છાતિમાં બળતરા, તાવ, મુખમાંથી અમીનું સુકવું, મેહડામાં ફિકાશ, વષા, શરીર પીળું અને કડવી ઉલટી થાય તે જાણવું કે પિત્તની ઉધરસ છે.
જે કફથી હે લપાયેલું રહે, માથું દુખે, ભોજનમાં અરૂચિ, શરીર ભારે, કંઠમાં ચળ, કાના બડખા થુંકે તે જાણવું કે કફની ઉધરસ છે.
જે સુકી ઉધરસ આવી પછી લોહીના બડખા પડે, કંઠમાં ઘણે દુખાવછાતિમાં તીક્ષ્ણ સે ભેંકાતી હોય તેવી વેદના, છાતિમાં હાથ અડાડતાં સહેવાય નહીં, તાવ, શ્વાસ, તુષા, કબૂતર જે ખોખરો સાદ, અને સાંધાઓમાં પીડા થાય તે જાણવું કે છાતીમાં ક્ષતચાંદી પડવાથી ઉધરસ થઈ છે.
વિષમ ભોજનથી, અહિત ભજનથી, અતિ મૈથુનથી, મૂત્રાદિના વેગને રોકવાથી, અત્યંત દયા ઉપજવાથી, અને અત્યંત શેક કરવાથી, માણસોને જઠડા િબગડી જતાં પિત્ત થએલા ત્રણે દે. શરીરને ક્ષય કરી નાખે તેવી ક્ષયની ઉધરસ થાય છે.
શરીરમાં શળ, જવર, મેહ, ઇન્દ્રિયની તીણતા, સુકી ઉધરસ, દુબળ, શરીરમાંથી લેહી તથા માંસને નાશ અને પરૂ જેવું થુંકે તે જાણવું કે ક્ષયથી ઉધરસ થઈ છે.
ઉધરસનું સાધ્યાસાધ્યપણું. ક્ષત અને ક્ષયની ઉધરસ જે ક્ષીણ થયેલા મનુષ્યને થઈ હોય તેની તથા વૃદ્ધ માણસની તે ઉધરસ અસાધ્ધ સમજવી અને બળવાનને જો એ બેમાંથી કેઈપણ ઉધરસ થઈ હોય તે કષ્ટસાધ્ય વા સાધ્ય ગણાય છે, માટે પથ્થો વડે કાળક્ષેપ કરાવી યત્ન કરવાં.
ઉપાય. - લવીંગ, મરી તથા બહેડાની છાલ એઓને બરાબર લઈ એ ત્રણની બરોબર એરસાર લઈ ઝીણું વાટી બાવળની છાલના કવાથમાં લૂંટી રતી ર ભારની ગોળીઓ વાળી ગળી ૧-૨ અથવા ૩ ગોળી નિરંતર યોગ્ય સમયે સેવન કરે તે ૭ દિવસમાં નિશ્ચ ઉધરસ મટે છે એમ લલીબરાજનું આ લવીંગાદિ ગોળી માટે કહેવું છે. અથવા ભરી ટાંક ૧,
For Private And Personal Use Only