________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૩] દુર્લભજીભાઈએ “દુર્લભ કાવ્ય કર્લોલ” નામના પુસ્તકના બે ભાગો પ્રકટ કર્યા છે તેમજ “નવસ્મરણ”ને ગુર્જર પદ્યાનુવાદ કરી પ્રસિદ્ધ કરેલ છે. તેઓ સંરકારી અને સાહિત્યોપાસક છે. ઉપરાંત વ્રતધારે છે અને જ્ઞાન-ધ્યાન એ જ તેમનો વ્યવસાય છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે-જે તેમનું કથન છે તેવું જ તેમનું જીવન છે.
કોઈપણ કાર્ય આર્થિક સહાયક સિવાય સફળ નીવડતું નથી. આ પુસ્તકમાં સહાયકતાં સદ્દગૃહસ્થનો આભાર માનવામાં આવે છે.
પ્રાંતે એટલું જ ઇચછીએ કે-મનોવાંછિત પૂરનાર કટપવૃક્ષની જેમ આ “અધ્યાત્મકપમ”-કલ પક્ષનું પુસ્તક વાંચનારને શીતળ છાય આપી સંસારના ત્રિવિધ તાપથી મુક્ત બનાવે.
-પ્રકાશક
===
=
For Private and Personal Use Only