SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધ (૪) સમવાય થી સંયોગથી સિદ્ધ થયેલું જેમાં લાકડી અને માણસ જુદાં હોવા છતાં લાકડીના યોગથી માણસ લાકડી વાળો થાય છે તેમ છતાં અને દિવ્ય જુદાં હોવા છતાં સત્તા સાથે જોડાઇ ને દુવ્ય સત્તાવાળું (સત) થયુ છે. એમ નથી લાકડી અને માણસ જેમ સત્તા અને દવ્ય જુદાં જોવાયાજ નથી આ રીતે લાકડી અને લાકડીવાળા ની માફક સત્તા અને સત ની બાબતમાં યુતસિદ્ધ પણું નથી. (૫) જોડાઈને સિદ્ધ થયેલું, સમવાયથી-સંયોગથી સિદ્ધ થયેલું. (જેમ લાકડી અને માણસ જુદાં હોવા છતાં લાકડીના યોગથી માણસ “લાકડીવાળો' થાય છે તેમ સત્તા અને દ્રવ્ય જુદાં હોવા છતાં સાથે જોડાઈને દ્રવ્ય “સત્તાવાળું (સ) થયું છે એમ નથી. લાકડી અને માણસની જેમ સત્તા અને દ્રવ્ય જુદાં જોવામાં આવતાં નથી. આ રીતે ‘લાકડી' અને ‘લાકડીવાળા’ ની માફક “સત્તા અને સત્ની બાબતમાં યુતસિદ્ધપણું નથી.) (૬) જોડાયેલ, સંયોગસિદ્ધ () જોડાઈને સિદ્ધ થયેલ, સમવાય-સંયોગથી સિદ્ધ થયેલ, (જેમ લાકડી અને માણસ જુદા હોવા ચતાં લાકડીના યોગથી માણસ “લાકડીવાળો થાય છે તેમ જ્ઞાન અને આત્મા જુદાં હોવાં છતાં જ્ઞાન સાથે જોડાઈને આત્મા “જ્ઞાનવાળો' (જ્ઞાની) થાય છે એમ પણ નથી. લાકડી અને માણસની જેમ જ્ઞાન અને આત્મા કદી જુદાં હોય જ કયાંથી ? વિશેષરહિત દ્રવ્ય હોઈ શકે જ નહિ. થી જ્ઞાન વિનાનો આત્મા કેવો ? અને આશ્રય વિના ગુણ હોઈ શકે જ નહિ તેથી આત્મા વિના જ્ઞાન કેવું? માટે ‘લાકડી’ અને ‘લાકડીવાળાની માફક “જ્ઞાન” અને “જ્ઞાનીનુંયુતસિદ્ધપણુ ઘટતું નથી. જોડાયેલ, સંયોગ સિદ્ધ. યુતસિતા :અનંતતાનો અભાવ યતિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ સહિત જીવાદિ દ્રવ્યોના સંમેલનનું નામ યુતિ છે. યોગ ઉપયોગ જ્ઞાનનું કષાયો સાથે ઉપયુકત થવું-જોડાવું. યોગ સ્થાનો કાર્યવર્ગણા, વચનવર્ગણા અને મનોવર્ગણઆનું કંપન જેમનું લક્ષણ છે એવા યોગસ્થાનો તે બધાંય જીવને નથી. કારણ કે તે પુગલ દ્રવ્યના પરિણામમય હોવાથી આત્માની અનુભૂતિથી ભિન્ન છે. ૮૦૪ યોગથી ઉતપન્ન સુખની વ્યાખ્યા :યોગથી- ધ્યાનજન્ય-વિવિકત આત્મ પરિક્ષાનથી ઉતપન્ન થયેલું સુખ છે તે ઉત્તમ સુખ છે. કેમ કે તે કામદેવનાં આતંકથી વિષયવાસનાની પીડાથી રહિત છે. શાંતિ સ્વરૂપ છે, નિરાકુળતામય છે, સ્થિર છે- અવિનાશી છે, સ્વાત્મામાં સ્થિત છે. કયાંય બહારથી નથી આવતું પરાશ્રિત નથી અને જન્મ જરા તથા મૃત્યુનો વિનાશક છે અથવા તજજન્ય દુઃખથી રહિત છે. યોગદષ્ટિ હરિભદ્રસૂરિએ યોગદષ્ટિઓ અધ્યાત્મપણે સંસ્કૃતમાં વર્ણવી છે. અને તે ઉપરથી યશોવિજયજી મહારાજે ઢાળરૂપે ગુજરાતીમાં કરેલ છે. યોગદષ્ટિમાં છે કે ભાવ - ઔદાયિક, ઔપથમિક, ક્ષયોપથમિક, ક્ષાયિક, પારિણામિક અને સાન્નિપાતિક-નો સમાવેશ થાય છે. એ જ ભાવ જીવના સ્વતન્તભૂત છે. યોગદશિમાં છયે ભાવ ઔદયિક, ઔપશધિક, ક્ષયોપથમિક, ક્ષાયિક, પરિણામિક અને સાન્નિપાતિક-નો સમાવેઈ થાય છે. એ ઠ ભાવ જીવના સ્વતન્તભૂત છે. યોગર્તસ :યોગનો નાશ (“આહાર ગ્રહવાનો આત્માનો સ્વભાવ છે' એવા પરિણામે પણિમવું તે યોગધ્વંસ છે. શ્રમણને આવો યોગદ્રવંસ નહિ હોવાથી તે યુકત અર્થાતુ યોગી છે. અને તેથી તેનો આહાર યુકતાહાર અર્થાત્ યોગીનો આહાર છે.). યોગના આઠ નિયમના અંગ (૧) યમ, (૨) નિયમ, (૩) આસન, (૪) પ્રાણાયમ, (૫) પત્યાહાર (૬) ધારણા (૭) ધ્યાન અને (૮) સમાધિ. આ પ્રમાણે યોગનો અનુક્રમ અંગ પૂર્વક અભ્યાસ કરનાર બ્રહ્મરન્દ્રમાં અનહદતાન અનુભવે છે અને સમાધિમાં સ્થિર થઈ આત્મિક સુખ ભોગવે યોગપ્રત્તિ મન-વચન અને કાચાની શુભ-અશુભ પરિણામથી દ્રવ્ય-કર્મનો બંધ પડે છે. યોગષ્ટ યોગની સાધના કરતાં આયુની પૂર્ણતાદિ કારણે સાધના અધૂરી છોડી દેવી પડી એમ સાધનાથી ભ્રષ્ટપણું- શ્રુત થવાપણ થવું એમ અર્થ સમજવાનો છે. (૨) યોગની સાધના છે અથવા તજજન્ય દુઃખથી રહિત છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy