SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) મોહોભવિહીન શુદ્ધ આત્માની શ્રદ્ધારૂપ સમ્યત્વથી વિરુદ્ધ ભાવ અર્થાત્ મિથ્યાત્વ તે મોહ, અને નિર્વિકાર નિશ્ચળ ચૈતન્ય પરિણતિરૂપ ચારિત્રથી વિરુદ્ધ ભાવ અર્થાત્ અસ્થિરતા તે ક્ષોભ, મોહ અને ક્ષોભ રહિત પરિણામ તે સામ્ય, ધર્મ અને ચારિત્ર એ બધા એકાÁવાચક છે. મોહગ્રંથિ મોહગ્રંથિનું મૂળ રાગ દ્વેષ છે (૨) મોહની દ્રષ્ટ ગાંઠ મોહગ્રંથિભેદ દર્શન મોહરૂપી માનનું ભેદાવું-તૂટવું મોહદણથિ :મોહની દુષ્ટ ગાંઠ મોહબ્રેષમયપણા વડે અશુભપણું હોય છે. મોહમય પરિણામ તેમજ દ્રષમય પરિણામ અશુભ છે. મોહના રાયનો ઉપાય :જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોને જાણનારને નિયમથી મોહનો સંચય ક્ષય પામે છે. તેથી શાસ્ત્ર સમ્યક પ્રકારે અભ્યાસવા યોગ્ય છે. (૨) જે પરિણામ ભાવ જ્ઞાનના અવલંબન વડે ઢીકૃત હોય એવા પરિણામથી દ્રવ્યકૃતનો અભ્યાસ કરવો તે મોહક્ષય કરવામાં ઉપાયાંતર છે. મોહનો ક્ષય કરવા ઇચ્છતા પંડિતજનો આગમમાં કહેલા અનંત ગુણોમાંથી અસાધારણ અને ભિન્નલક્ષણભૂત ગુણો વડે અનંત દ્રવ્ય પરંપરામાં આ સ્વદ્રવ્ય છે. અને આ પદ્રવ્યો છે. એવો વિવેક કરો. તે આ પ્રમાણે :સત્ અને અકારણ હોવાથી સ્વતસિમ અંતર્મુખ અને બહિંમુખ પ્રકાશવાળું હોવાથી સ્વ પરનું જ્ઞાપક એવું જે આ, મારી સાથે સંબંધવાળું, મારું ચૈતન્ય તેના વડે તે જ (ચૈતન્ય) સમાન જાતીય અથવા અસમાનજાતીય અન્ય દ્રવ્યને છોડીને મારા આત્મામાં જ વર્તે છે તેના વડે- હું પોતાના આત્માને સકળ ત્રિકાળે ધૃવત્વ ઘરતું દ્રવ્ય જાણું છું. એ રીતે પૃથકપણે વર્તતાં સ્વલક્ષણો વડે કે જે (સ્વલક્ષણો, અન્ય દ્રવ્યને છોડીને તે જ દ્રવ્યમાં વર્તે છે તેમના વડેઆકાશને, ધર્મને, અધર્મને, જ્ઞાનને, પુગલને અને આત્માન્તરને દ્રવ્યો તરીકે નકકી કરું છું (અર્થાત્ જેમ ચૈતન્ય લક્ષણ વડે આત્માને ધ્રુવ દ્રવ્ય તરીકે જાયો, તેમ અવગાહ હેતુત્વ, ગતિ હેતુત્વ વગેરે લક્ષણો કે જેઓ સ્વસક્યભૂત દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્યોમાં વર્તતાં નથી તેમના વડે આકાશ, ધર્માતિકાર વગેરે ભિન્ન ભિન્ન ધ્રુવ દ્રવ્યો તરીકે જાણું છું માટે હું આકાશ નથી, ૭૮૨ ધર્મ નથી, અધર્મ નથી, કાળ નથી, પુદગલ ધર્મ અને આત્માતંર નથી; કારણ કે એક ઓરડામાં પ્રગટાવેલા અનેક દીવાના પ્રકાશની માર્ક આ દ્રવ્યો એકઠાં થઇને રહેતાં હોવા છતાં મારું ચૈતન્ય (નિજ) સ્વરૂપથી અશ્રુત જ થયું અને પૃથક જણાવે છે. આ પ્રમાણે જેણે સ્વ-પરનો વિવેક નિશ્ચિત (નકકી) કર્યો છે એવા આ આત્માને વિકારકારી મોહાંકરનો પ્રાદુર્ભાવ થતો નથી. (વિકાર કરનારો મોહાંકુર પ્રગટ થતો નથી.) મોહના ત્રણ ભેદ દર્શનમોહ, રાગ અને દ્વેષ (૧) પદાર્થના યથાર્થ સ્વરૂપથી વિપરીત માન્યતા તથા તિર્યંચો ને મનુષ્યો પ્રત્યે તન્મયપણે કરુણાભાવ તે દર્શનમોહનાં ચિહ્ન છે. ઈટ વિષયોમાં પ્રીતિ તે રાગનું ચિત્ન છે. અને અનિટ વિષયોમાં અપ્રીતિ તે દ્વેષનું ચિહ્ન છે. આ ચિનોથી ત્રણે પ્રકારના મોહને ઓળખીને મુમુક્ષુએ તેનો તત્કાળ નાશ કરવો યોગ્ય છે. મોહના નાથનો ઉપાય અહંત ભગવાન અને પોતાનો અતામા નિશ્ચયથી સમાન છે. વળી અહેંત ભગવાન મોહરાગદ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે, તેથી જો જીવ દ્રવ્ય-ગુણ-પર્યાય-પણે તે (ઈત ભગવાનના) સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો “આ જે “આત્મા, આત્મા ” એવો એકરૂપ (કથંચિત સદશ્ય) ત્રિકાળિક પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને તે પ્રવાહમાં જે ક્ષણવર્તી વ્યતિરેકો તે પર્યાયો છે” એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળિક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી જેમ મોતીઓને અને ધોળાશને હારમાં જ અંર્તગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ આત્મ પર્યાયોને અને ચૈતન્યગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામી-પરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy