SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૯ નવકારમંત્ર જૈનોનો અત્યંત માન્યમંત્ર-નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં નમો આયરિયાણું, નમો ઉવજઝાયાણં નવો લોએ સવ્વસાહૂણં, આ નવકારમંત્ર સમાય છે. (૩) નમસ્કારમાં પ્રણમન અને વંદન, બન્ને સમાય છે. (૪) | નમવું, ઢળવું, સ્વભાવમાં પરિણમવું. નમસ્કારમંત્ર નવકારમંત્ર નમસાલા નપુંસક જેવા નમું ધર્મધન ભોગ મારી ધર્મરૂપી લક્ષ્મીના ભોગને ભોગવતો, હું રહું છું. આનંદરૂપી લક્ષ્મી, તે ખેરખર આત્માનું ધન છે. આનંદનોનાથ પ્રભુ આત્મા, તેની દષ્ટિ કરતાં પર્યાયમાં, જે આનંદનો લાભ થાય, તેનો ભોગ-અનુભવ નમીભૂત :બહવિનય, ભકિતપૂર્વક નત :પ્રણામ; નમસ્કાર (૨) વંદનીય નર્ભ :આકાશ. નભચર પક્ષીઓ નભવું ટકવું નવ નો કષાય :અલ્પ કષાયને નો કષાય કહે છે. તે નોકષાયો નવ પ્રકારના છે: | હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. નવ પદાર્થો જીવ, અજીવ, પુણય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ. નવ પ્રકારે કૃત, કારિત, અનુમોદન, સહિત મન, વચન, કાયાના ભેદથી નવ પ્રકારે છે. નવ ભેદનું સ્વરૂપ, આ પ્રમાણે છેઃ મનથી પોતે કરવાનું ચિંતવે નહિ, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ, અને કોઇએ કર્યું હોય, તેને ભલું જાણે નહિ. વચનથી પોતે કરવાનું કહે નહિ, બીજાને કરાવવા માટે, ઉપદેશ આપે નહિ, કોઇએ કર્યું હોય તેને ભલું કહે નહિ કાયાથી પોતે કરે નહિ, બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી, કરાવે નહિ અને કોઇએ કર્યું હોય, તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ-આ નવ ભેદ કહ્યા. નવ ૨ા શૃંગાર, હાસ્ય, શોક, કરુણ, વીર, ભયાનક, બીભત્સ, અદ્રુત અને શાંચ રસ, આમ સાહિત્ય, નૃત્ય, નાટકમાં નવ રસનું આલેખન હોય છે. નવગ્રેવેયિક સ્વર્ગોની ઉપર, નવ ગ્રેવેયિકોની રચના છે. ત્યાં બધા અહમિન્દ્રો હોય. તે વિમાનોનાં નામ આ પ્રમાણે છેઃ સુદર્શન, અમોધ, સુપ્રબુદ્ધ, યશોધર, સુભદ્ર, સુવિશાલ, સૌમનસ, પ્રીતિકર. નવતત્ત્વના રસાનુભવીઓ નવતત્ત્વના અનુભવ કરનાર. મૃતથી તત્ત્વને જાણે તેથી ધર્મધ્યાન થાય. શ્રુતની લીનતાને શ્રુતસમાધિ કહેવાય. સમ્યગ્દર્શનથી નિર્ણય થતાં સહજસમાધિ થાય. સમ્યજ્ઞાનથી વિશેષ કરે. સમ્યક્રચારિત્રથી કષાય ઘટે, તેથી તે રસને અનુભવે તેવો થાય, તેથી શાંતિ થાય. નવતત્ત્વ : નવતત્ત્વને બરાબર સમજવામાં જ પોતાની બુદ્ધિ વાપરતો નથી, તે પરથી જુદા ભગવાન ચિદાનંદ આત્માનો નિઃસંદેહ નિર્ણય કરવાની તાકાત કયાંથી લાવશે? સાચા નવતત્વના આંગણે આવ્યા વિના પરિપૂણ્ સ્વભાવનો યથાર્થ સ્વીકાર થશે નહિ. મનની શુદ્ધિરૂપ નવતત્ત્વ જાણ્યા પછી, તે નવના વિકલ્પના વ્યવહારનો ભૂકો ઉડાડી, નિમિત્ત અને વિકલ્પનો અભાવ કરે, ત્યારે ભેદનું લક્ષ ભૂલીને, એકરૂપ સ્વભાવમાં આવી શકાય છે. નિમિત્ત અને અવસ્થા જેમ છે, તેમ માત્ર જાણવા યોગ્ય છે. પણ તેનો આદર ન જોઇએ, તે ઉપર વજન ન જોઇએ. નવતત્વના શાનથી શો લાભ થાય છે? :ઉત્તર : સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ, એ બધું તત્ત્વજ્ઞાનથી મળે છે. નવતો : જીવ :- જીવ એટલે આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદો ને ત્રિકાળ ટકનારો છે. જ્યારે તે પરિનિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે, ત્યારે તેને શુભભાવ (પુણ્ય) થાય છે. અશુભ અવલંબનમાં જોડાય છે, ત્યારે અશુભ ભાવ (પાપ) થાય છે, અને જ્યારે સ્વાલંબી થાય, ત્યારે શુદ્ધભાવ (ધર્મ) થાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy