SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણના બીજાં નામો શક્તિ, લક્ષણ, વિશેષ, ધર્મ, રૂપ, ગુણ, સ્વભાવ, પ્રકૃતિ, શીલ એ આકૃતિ. આ બધા શબ્દો એક અર્થને કહે છે. બધા નામ ગુણનાં ૩૨૦ પૂર્વવર્તી સમયની પર્યાયરૂપ થતી નથી કે ઉત્તરવર્તી સમયની પર્યાયરૂપ પણ થતી નથી. દરેક ગુણની સમય-સમયવર્તી એમ અનંત સમયની દરેક પર્યાય સ્વતંત્ર છે. અહા ! આવા ગુણ-પર્યાયરૂપ ધર્મોનો અભેદ પિંડ પ્રભુ આત્મા ગુણના ભેદ :ગુણના બે ભેદ છે: એક સામાન્ય, બીજો વિશેષ ગુણનિષ્પન્ન : જેને ગુણો પ્રાપ્ત થયા છે. ગુણપર્યાય : ગુણ-પર્યાયો જ દ્રવ્યના કર્તા (કરનાર),કરણ (સાધન) અને અધિકરણ (આધાર) છે; તેથી ગુણ-પર્યાયો જ દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરે છે. (૨) ગુણ દ્વારા આયતની અનેકતાની પ્રતિપત્તિના કારણભૂત ગુણપર્યાય છે. જે પણ દ્વિવિધ છે. (૯) સ્વભાવ પર્યાય અને (૯) વિભાવ પર્યાય ૧. સ્વભાવ પર્યાય તેમાં, સમસ્ત દ્રવ્યોને પોતપોતાના અદ્ભુરુલઘુગુણ દ્વારા પ્રતિસમય પ્રગટતી ષટસ્થાન પતિત હાનિવૃદ્ધિ રૂપ અનેક પણાની અનુભૂતિ તે સ્વભાવ૫ર્યાય જેમ કે સિદ્ધના ગુણ પર્યાયો વિભાવ પર્યાય રૂપાદિકને કે જ્ઞાનાદિકને સ્વ-પરના કારણે પ્રવર્તતી પૂર્વોત્તર અવસ્થામાં થતું જે તારતમ્ય તેને લીધે જોવામાં આવતા સ્વભાવ વિશેષરૂપ અનેક પણાની આપત્તિ તે વિભાવ પર્યાય જેમ કે સ્વ૫ર હેતુક મતિજ્ઞાનપર્યાય (સ્વ તે ઉપાદાન અને પર તે નિમિત્ત). ગુણપર્યાયયઃગુણને યથાર્થ – એ યુગલ (બેનો સમૂહ) ગુણપર્યાયનું નામાન્તર કેટલાક બદ્ધિમાનો ગુણપર્યાયનું બીજું નામ પણ કહે છે. ગુણ અને અર્થ, એ બન્ને ય એક અર્થવાળા છે. તેથી ગુણપર્યાય ને અર્થપર્યાય પણ કહી દે છે. ગુણ-પર્યાયરૂપ ધર્મો :જેમ દ્રવ્યના અનંત ગુણો પરસ્પર ભિન્ન છે, તેમ ગુણોની એકેક સમયની પર્યાયો પણ પરસ્પર ભિન્ન સ્વતંત્ર છે. અનંત ગુણોની પર્યાયો બધી એક સાથે છે, પણ તેમાં કોઈ એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયરૂપ નથી. તેઓને પરસ્પર એકપણું નથી. વળી એક જ ગુણની પર્યાય બીજા ગુણની પર્યાયરૂપ નથી, તેઓને પરસ્પર એકપણું નથી. વળી એક જ ગુણની ક્રમે પ્રગટ થતી પર્યાયોમાં પણ એક સમયની પર્યાય તેના ગુણપર્યાયો :ગુણપર્યા?થી અવ્યય દ્વારા ધ્રૌવ્યને સૂચવે છે અને વ્યતિરેક દ્વારા ઉત્પાદવ્યયને સૂચવે છે; આ રીતે તેઓ ઉત્પાદવ્યયધ્રૌવ્યને સૂચવે છે, બીજું ગુણપર્યાયો અવ્યય દ્વારા નિત્યતાને જણાવે છે અને વ્યતિરેક દ્વારા અનિત્યતાને જણાવે છે આ રીતે તેઓ નિત્યાનિત્યસ્વરૂપ સર્વને જણાવે છે. (૨) એક દ્રવ્યના પર્યાયો છે, તે ઓ એક જ દ્રવ્ય છે, ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી. ગુણરિદ્ધિ :સમૃદ્ધિ ગુણવૃંદ :શુદ્ધ ગુણના સમૂહરૂપ ગુણવૃદ્ધિ અધિકગુણવાળા સંગથી, ગુણવૃદ્ધિ થાય છે. ગુણવ્યક્તવ્ય : (૧) ગુણનું સ્પષ્ટ દેખવું; ગુણનું સ્પષ્ટ દેખાવવું, ગુણનું સ્પષ્ટ અનુભવાવું ગુણવ્રત ગુણવતના ત્રણ પ્રકારો છે. ૧. દિગવ્રત, ૨. દેશવ્રત અને ૩. અનર્થદંડવત. આ ત્રણે ગુણવ્રતના પાંચ-પાંચ અતિચારો છે. ૧. દિગ્દના પાંચ અતિચારો ૧. માપથી અતિ ઊંચાઇવાળા સ્થળોએ જવું. ૨. માપથી નીચે (કૂવો, ખીણ વગેરે સ્થળોએ ઉતરવું. ૩. ત્રાંસા અર્થાત્ સમાન સ્થાનના માપથી વધારે દૂર જવું. ૪. મર્યાદા કરેલા ક્ષેત્રને વધારવું અને ૫. મર્યાદા કરેલા ક્ષેત્રને ભૂલી જવું. આ પાંચ દિવ્રતના અતિચારો છે. (૨) અણુવ્રતો અને મૂળ ગુણોને પુષ્ટ કરનાર વ્રત. ગુણવાસનાના ઉન્મેષ :દ્રવ્યમાં અનેક ગુણો હોવાના વલણનું (અભિપ્રાયનું) પ્રાકટય;ગુણભેદ હોવારૂપ વલણના (અભિપ્રાયના) ફણગા. ગુણસ્થ: ગુણવાન ગુણસ્થાન સિદ્ધાંતમાં જીવનાં અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી ૧૪ ગુણસ્થાનરૂપે કહેવામાં આવ્યા છે, તે ગુણસ્થાનોને સંક્ષેપથી ઉપયોગ’ રૂપે વર્ણવતાં, પ્રથમ ત્રણ ગુણ સ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘટતો ઘટતો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy