SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ નાખ્યું છે એ વર્તમાનમાં સવાળો પુરષાર્થ કરતો નથી. તેથી પ્રતિકુળતાના સંયોગ વખતે દ્વેષ થયા કરે છે. કથાય કણ કુયાયનો નાનો અંશ કષાય કેવી રીતે જીતાય ? રાગ અને દ્વેષમાં, ચારેય કષાય આવી જાય છે. ક્રોધ તથા માન દ્વેષરૂપ છે, અને માયા તથા લોભ રાગરૂપ છે. ચારિત્રમોહનો ઉદય તો જડમાં આવે છે. છતાં સમક્તિી અને મુનિને પણ, ચારિત્રમોહના ચારેય પ્રકારના ઉદયને અનુસરીને કષાયરૂપે પરિણમવાની યોગ્યતા છે. પરંતુ હવે તેને છોડી દે છે. કષાય પ્રગટ થયો અને પછી તેને જીતીને છોડી દે છે,એમ નહિ, પરંતુ કષાય ઉત્પન્ન જ થવા દીધો નહિ. કષાયના ઉદય તરફનું લક્ષ છોડી, અર્થાત્ તેનું અનુસરણ છોડીને સ્વભાવના લક્ષે સ્વભાવનું અનુસરણ કરતાં, ભાવક અને ભાવ્યનું ભેદજ્ઞાન થાય છે. તેથી ભાવ્ય-કષાય ઉત્પન્ન થતો જ નથી, તેને કષાય જીત્યો એમ કહેવાય છે. કષાય થક કષાયોનો સમૂહ કષાય તે શું ? :ઉત્તરઃ- સત્પુરુષો મધ્યે જીવને તે બતાવે કે, તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે, તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે, દુરાગ્રહ રાખે તે કષાય. ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને, તે મિથ્યાત્વમોહનીય. ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ, એવો જે ભાવ, તે મિશ્રમોહનીય. આત્મા આ હશે ? તેનું જ્ઞાન થાય તે સમ્યક્ત્વ મોહનીય. આત્મા આ છે, એવો નિશ્ચયભાવ, તે સમ્યક્ત્વ. જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય, ને રાતદિવસ તે અપૂર્વ જોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્તિ થાય. નિયમથી જીવ કોમળ થાય છે, દયા આવે છે. મનનાં પરિણામો ઉપયોગ સહિત જો હોય તો કર્મ ઓછાં લાગે, ઉપયોગરહિત હોય, તો કર્મ વધારે લાગે. અંતઃકરણ કોમળ કરવા, શુદ્ધ કરવા, વ્રતાદિ કરવાનું કહ્યું છે. સ્વાદબુદ્ધિ ઓછી કરવા, નિયમ કરવો. કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ, ત્યાં ત્યાં આડો આવે છે. ઉપદેશછાયા-૮ કષાય ભાવ જ્ઞાનાવરણાદિ કર્મની ઉત્પત્તિનું ઉપાદાન કારણ કષાય ભાવ છે. રાગદ્વેષ એ અજ્ઞાન ભાવ. ૨૯૨ ક્યાય વેદનીય ઃ અનંતાનું બંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલના ભેદથી, તથા એ દરેકના ક્રોધ, માન, માયા અને લોભ, એ ચાર પ્રકાર એ સોળ ભેદ કષાય વેદનીયના છે. કથાય—અનુરંજિત કષાયરંજિત; કષાયથી રંગાયેલ. (કષાયથી અનુરંજિત યોગપ્રવૃત્તિ, તે લેશ્યા છે.) ાયણ ઃકષાયનો નાનો અંશ. કષાય ભાવ :જડ પરિણતિનો ત્યાગ. કાયથક કષાયસમૂહ ક્યાયની ઉપશાંતતા હવે સત્સંગમાં આવે, બોધ સાંભળે છતાં એને પૂર્વ કર્મને લઇને કષાય ઉદય આવે છે. કંઇ નિમિત્ત મળતાં ધર્મનાં સાધન, સાધર્મી વગેરે પ્રત્યે પણ કષાય થાય તે અનંતાનું બંધી છે. પ્રકૃતિઓ ઉદય આવ્યા કરે ત્યારે તેને ઉપશમાવવા શું કરે? કષાય વેદાય, તેને આત્માના શત્રુ જાણે ને દૂર કરવા ક્ષમા આદિ ધારણ કરે. હું કષાય કરીશ તો મને જ કર્મ બંધાશે. વળી કોઇ નિંદા વગેરે કરે કે દુઃખ આપે તો, તેમાં પોતાનો દોષ હોય તો વિચારી કાઢી નાખે. દોષ ન હોય તો તે પૂર્વ કર્મનું ફળ જાણી, સંતોષ રાખે, કર્મ નિર્જરી જાય છે એમ જાણી સંતોષ રાખે અને વૃત્તિને ધર્મ ધ્યાનમાં વિશેષ પણે રોકે. એ રીતે અભ્યાસ કરતાં કષાય મંદ પડે એટલે કે ઉપશાંત થાય, ત્યારે આત્માર્થ વિચારવાનો અવકાશ મળે. ક્યાયનો સ્વભાવ :દુઃખરૂપ અને આકુળતારૂપ છે. અને તેને દુઃખરૂપે અને આકુળતારૂપે અનુભવે છે. કષાયભાવ :જીવોને જે મલિન અર્થાત્ જાણપણાની સ્વચ્છતા રહિત ઉપયોગ છે, તે કષાયનો ઉદય છે. ઉપયોગમાં નિર્મળતા-સ્વચ્છતા નથી રહેતી તે કષાય ભાવ છે, તે કષાયભાવમાં કષાય, કર્મના ઉદયનું નિમિત્ત છે. કપાયેલું કડછા સ્વાદવાળું કાયલવ જરાક કષાય; થોડો કષાય. ક્યાયેલા બેસ્વાદ ન્યાયાધ્યવસાયસ્થાન કષાયના અંશો કે જે કર્મોની સ્થિતિમાં કારણ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy