SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ ૨૧. આરંભ ક્રિયા= નુકસાનકારી કાર્યોમાં રોકાવું, છેદવું, તોડવું, ભેદવું કે બીજા કોઇ તેમ કરે તો હર્ષિત થવું, તે આરંભ ક્રિયા છે. ૨૨. પરિગ્રહ ક્રિયા પરિગ્રહનો કાંઇ પણ ધ્વંસ ન થાય એવા ઉપાયોમાં લાગ્યા રહેવું તે પરિગ્રહ ક્રિયા છે. ૨૩. માયા ક્રિયા= જ્ઞાનાદિ ગુણોને માયાચારથી છુપાવવા, તે માયા કિયા ૧૦. પ્રાણાતિપાત ક્રિયા= બીજાનાં શરીર, ઇન્દ્રિય કે શ્વાસોચ્છવાસને નષ્ટ કરવા, તે પ્રાણાતિપાત ક્રિયા છે. નોંધઃ-વ્યવહાર કથન છે, તેનો અર્થ એમ સમજવો કે જીવ પોતામાં આ પ્રકારના અશુભભાવ કરે છે, ત્યારે આ ક્રિયામાં બનાવેલી પરવસ્તુઓ બાહ્ય નિમિત્તરૂપે સ્વયં હોય છે. જીવ પર-પદાર્થોનું કાંઇ કરી શકે કે પર પદાર્થો જીવનું કાંઇ કરી શકે, એમ માનવું નહિ. ૧૧. દર્શન ક્રિયા= સૌંદર્ય જોવાની ઇચ્છા, તે દર્શન ક્રિયા છે. ૧૨. સ્પર્શન ક્રિયા= કોઇ ચીજને સ્પર્શ કરવાની ઇચ્છા, તે સ્પર્શન ક્રિયા છે. (આમાં બીજી ઇન્દ્રિયો સંબંધી વાંછાનો સમાવેશ સમજી લેવો). ૧૩. પ્રાયયિકી ક્રિયા= ઇન્દ્રિયોના ભોગોની વૃદ્ધિ માટે નવી નવી સામગ્રી એકઠી કરવી કે ઉત્પન્ન કરવી, તે પ્રાયયિકી ક્રિયા છે. ૧૪. સમન્નાનુપાત ક્રિયા= સ્ત્રી, પુરુષ તથા પશુઓને બેસવા ઉઠવાના સ્થાનો મળ-મૂત્રથી ખરાબ કરવાં, તે સમન્તાનપાત ક્રિયા છે. ૧૫. અનાભોગ ક્રિયા= ભૂમિ જોયા વગર કે યત્નથી શોધ્યા વગર બેસવું, ઉઠવું, સુવું કે કાંઇ નાખવું, તે અનાભોગ ક્રિયા છે. ૧૬, સ્વહસ્ત ક્રિયા= જે કામ બીજાને લાયક હોય તે પોતે કરવું, તે સ્વહસ્ત ક્રિયા છે. ૧૭. નિસર્ગ કિડ્યાનું પાપનાં સાધનો લેવા-દેવામાં સંમતિ આપવી, તે નિસર્ગ ક્રિયા છે. ૧૮. વિદારણ ક્રિયા= આળસને વશ થઈ સારાં કામો ન કરવાં અને બીજાના | દોષો જાહેર કરવા, તે વિદારણ ક્રિયા છે. ૧૯. આજ્ઞા વ્યાપાદિની ફિયા= શાસ્ત્રની આજ્ઞાનું પોતે પાલન ન કરવું અને તેના વિપરીત અર્થ કરવા તથા વિપરીત ઉપદેશ આપવો, તે આજ્ઞા વ્યાપાદિની ક્રિયા છે. ૨૦. અનાકાંક્ષા ક્રિયા= ઉન્મત્તપણું કે આળસને વશ થઇ પ્રવચનમાં (શાસ્ત્રોમાં) કહેલી આજ્ઞાઓ પ્રત્યે આદર કે પ્રેમ ન રાખવો, તે અનાકાંક્ષા ક્રિયા છે. ૨૪. મિથ્યાદર્શન ક્રિયા= મિથ્યા દુટિઓની તેમ જ મિથ્યાત્વથી ભરેલાં કામોની પ્રશંસા કરવી, તે મિથ્યાદર્શન ક્રિયા છે. ૨૫. અપ્રત્યાખ્યાન ક્રિયા જે ત્યાગ કરવા લાયક હોય તેનો ત્યાગ ન કરવો, એ અપ્રત્યાખ્યાન ક્રિયા છે. (પ્રત્યાખ્યાનો અર્થ ત્યાગ છે, વિષયો પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાને બદલે તેમાં આસકિત કરવી, તે અપ્રત્યાખ્યાન છે.) નોંધ નં.૧૦ ની ક્રિયાનીચે જે નોંધ છે તે નં. ૧૧ થી ૨૫ સુધીની ક્રિયાને પણ લાગુ પડે છે. નં. ૬ થી ૨૫ સુધીની ક્રિયાઓમાં આત્માનો અશુભભાવ છે; અશુભભાવરૂપ કાયયોગ, તે ભાવ આસવ છે, પરંતુ જડ મન, વચન કે શરીરની ક્રિયા તે કાંઇ ભાવ આસવનું કારણ નથી. ભાવાસવનું નિમિત્ત પામીને જડ રજકરણરૂપ કર્મો જીવ સાથે એક ક્ષેત્રાવગાહ રૂપે આવે છે. ઇન્દ્રિય કષાય તથા અવ્રત કારણ છે. અને ક્રિયા તેનું કાર્ય છે. ક્રિયાના ત્રણ પ્રકારો છે. ૧. શરીર, મન, વાણીની ક્રિયા તે જડની ક્રિયા છે, તેને આત્મા કરતો નથી. ૨. પુણય-પાપના ભાવ થાય તે વિભાવ ક્રિયા છે તે દુઃખરૂપ છે. જ્ઞાનની વૃત્તિ તે ક્રિયાથી નિવૃત્ત છે. ક્રિયા ત્રણ પ્રકારની છે : એક જડની ક્રિયા. બીજી કરોતિ ક્રિયા ને ત્રીજી જ્ઞતિ ક્રિયા.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy