SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પડ્યું એમ નથી, તથા કર્મના ઉદયના કારણે, વિકાર થયો એમ પણ નથી. | સર્વત્ર યોગ્યતા જ, કાર્યની સાક્ષાત્ સાધક છે. નિમિન, એ વાસ્તવિક કારણ નથી, ઉપાચારથી કારણ કહેવાય છે. આ રીતે જ્યાં સુધી આત્મા, અજ્ઞાનથી ક્રોધાદિ કર્મનો કર્તા થઈ, પરિણમે છે ત્યાં સુધી, કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી, કર્મનો બંધ થાય છે. કર્તા મૈની પ્રવૃત્તિ કર્તા-કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત, અજ્ઞાન પર્યાય છે. અને અજ્ઞાન પર્યાયનું નિમિત્ત, પૂર્વનો બંધ છે. તેથી જેને અજ્ઞાન પર્યાય ટળી ગઇ, તેને બંધ પણ ટળી ગયો. અને તેની કર્માકર્મની પ્રવૃત્તિ પણ ટળી ગઇ. આ રીતે જ્ઞાન થવાથી જ સબંધ થઇ ગયો. જેને અજ્ઞાન પર્યાય છે, તેને બંધ પણ છે, અને તેને કર્તા, કર્મની પ્રવૃત્તિ પણ છે. કર્તાકર્ણપણું સામાન્યપણે કર્તાનું કર્મ, ત્રણ પ્રકારનું કહેવામાં આવે છે-નિર્વર્ય, વિકાર્ય અને પ્રાપ્ત. (૧) કર્તા વડે જે પ્રથમ ન હોય, એવું નવીન કાંઈ ઉત્પન્ન કરવામાં આવે, તે કર્તાનું નિર્વત્યે કર્મ છે. (૨) કર્તા વડે, પદાર્થમાં વિકારફેરફાર કરીને, જે કાંઈ કરવામાં આવે, તે કર્તાનું વિકાર્ય કર્મ છે. (૩) કર્તા, જે નવું ઉત્પન્ન કરતો નથી, તેમજ વિકાર કરીને પણ કરતો નથી, માત્ર જેને પ્રાપ્ત કરે છે, તે કર્તાનું પ્રાપ્ત કર્મ છે. (૧) જીવ, પુલકર્મને નવીન ઉપજાવી શકતો નથી, કારણકે ચેતન જડને કેમ ઉપજાવી શકે ? માટે પુલકર્મ, જીવનું નિર્વત્યે કર્મ નથી. (૨) જીવ પુલમાં વિકાર કરીને, તેને પુલકર્મરૂપે પરિણાવી શકતો નથી, કારણકે ચેતન જડને કેમ પરિણમાવી શકે ? માટે પગલકર્મ, જીવનું વિકાર્ય કર્મ પણ નથી. (૩) પરમાર્થે જીવ, પુલને ગ્રહણ કરી શકતો નથી કારણકે, અમૂર્તિક પદાર્થ મૂર્તિકને કઈ રીતે ગ્રહણ કરી શકે ? માટે પુલકર્મ, જીવનું પ્રાપ્ત કર્મ પણ નથી. આ રીતે પુદ્ગલકર્મ, જીવનું કર્મ નથી અને જીવ, તેનો કર્તા નથી. જીવનો સ્વભાવ જ્ઞાતા હોવાથી, જ્ઞાનરૂપે પરિણમતો પોતે, પુલકર્મને જાણે છે; માટે પુલકર્મને જાણતા એવા જીવનો, પરની સાથે કર્તાસ્વભાવ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે. કર્તાનો વ્યાપાર કર્તાનું કાર્ય. (જ્ઞાન કરણ છે, અને આત્મા કર્તા છે. જો જ્ઞાન આત્માથી ભિન્ન જ હોય, તો જ્ઞાન કર્તાનો વ્યાપાર, અર્થાત્ આત્માનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી, જાણી શકે નહિ. તેથી જ્ઞાનને અચેતનપણું આવે.). કર્તાનો વ્યાપાર કર્તાનું કાર્ય. (જ્ઞાન કરણ છે, અને આત્મા કર્તા છે. જો જ્ઞાન આત્માથી ભિન્ન જ હોય, તો જ્ઞાન કર્તાનો વ્યાપાર, અર્થાત્ આત્માનું કાર્ય કરવામાં અસમર્થ થવાથી, જાણી શકે નહિ. તેથી જ્ઞાનને અચેતનપણું આવે. કર્તાપણ અકર્તાપણા વિશે સત્યાર્થ સ્વાદ'વાદ પ્રરૂપણ :આત્મા સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાનસ્વભાવે જ સ્થિત છે; પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિ કાળથી જોય છે. અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને આત્મા તરીકે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી, કર્તા છે; અને જ્યારે ભેદવિજ્ઞાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે, ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાન પરિણામે જ પરિણમતો, કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે. કિર્તાભાવ હું પરની કરી શકું, પર મારું કરી શકે એવો કર્તાભાવ. કર્તા-ભોકતા :૧. અજ્ઞાની જીવ પરમાં હરખ શોકના ભાવ કરે છે તેને ભોગવે છે, પદ્રવ્યને સ્ત્રી,ધન મકાન ઇત્યાદિને ભોગવતો નથી. ૨. જ્ઞાની જીવને અંતરંગમાં સ્વભાવનું શુદ્ધ એક ગ્લાયક ભાવનું, ભાન થયું છે તેથી તે સ્વભાવદષ્ટિએ સરાદિનો કર્તા નથી, અને તેનું ફળ જે દુઃખ, તેનો ભોકતા નથી. ૩. તો પણ જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેટલું પરિણમનની અપેક્ષાએ કર્તાપણું છે. અને ભોકતા પણુંય છે. જ્ઞાની સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ રાગને કરતો નથી, દુઃખને ભોગવતો પણ નથી. પણ એથી એકાંત પકડીને માને કે જ્ઞાનીને સર્વથા દુઃખ જ નથી, તો એમ વાત નથી. જ્ઞાનીને કિંચિત્ જે રાગ છે, તેટલું તે વખતે દુઃખ છે અને તેટલો તે ભોકતા પણ છે. અહીં અત્યારે, એ જ્ઞાની ની વાત ચાલે છે કે જીવ સ્વપરિણામાત્મક રાગના પરિણામનો કર્તા છે. અને તેના ફળરૂપે જે હરખ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy