________________
વીરા રરતા વેદ નરેશમાં લઠમીદાસ
ભાષા બહુ ધાં સંચાલન વિનાની અને કૃત્રિમ લાગ છે.
વીર રસ્તા : પદ્યકૃતિ 'કાસમની વીતળી' (૧૯૨૮)ની ફર્તા.
વેગડ અમૃતલાલ શેવામલ (૩-૧૦-૧૯૨૮) : ડાન્ય મધ્યપ્રદેશના
જબલપુરમાં. ૧૯૪૬માં મૅટ્રિક. ૧૯૫૨માં ડિપ્લોમા ઇન !. ૧૯૫૫માં બી.એ. ૧૯૧૩ થી જબલપુરમાં શારાકી’: કલાનિકેતનમાં ચિત્રકળાના શિક્ષક.
બાપુ સૂરતાના દોસ્ત' (૧૯૭૮), ‘બાપુને દશ માંડલ’ (૧૯૭૮) વગેરે એમનાં પુસ્તકો છે.
વીરાણી જગદીપચંદ્ર દ્વારકાપ્રસાદ (૧૩ ૧૨-૧૯૭, ૨૬-૭-૧૯૫૬) : કવિ. જન્મ જામનગરમાં. ૧૯૩૩ માં મૅટ્રિક. ૧૯૩૬માં ડિપ્લોમા ઇન રેડિયો ઍન્જિનિયરિંગ. કારકિર્દીના આરંભ ભાવનગરની માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક તથા ગાંડલના રાજકુટુંબમાં સંગીતશિક્ષક પછી વડોદરા રેડિયોસ્ટેશનમાં સંગીત દિગ્દર્શક, ૧૯૧૩ માં ભાવનગરમાં વિવિધ લલિતકલાઓની તાલીમ આપતી ‘સપ્તકલા' સંસ્થાની સ્થાપના. હૃદય બંધ પડવાથી ભાવનગરમાં અવસાન.
એમણ પ્રત્યેક કાવ્યકૃતિની સ્વરલિપિ સમેતના કાવ્યસંગ્રહ ડોલરિયો' (૧૯૪૫), ‘પૂનમરાત' (૧૯૫૧) અ ‘હિમણા' (૧૯૫૩) આપ્યા છે.
પા.માં. વીરાણી બરકતઅલી ગુલામહુસેન, બફામ (૨૫ ૧૫ ૧૯૨૩) : ગઝલકાર, નવલિકાકાર, નવલકથાકાર. જન્મ ધાંધળી (કિ. ભાવનગર)માં. ભાવનગરની રાનાતન હાઈસ્કૂલમાં શિક્ષણ. પ્રારંભમાં ‘વતન’ દૈનિક સાથે સંલગ્ન, પછી ૧૯૪૬ થી આકાશવાણીના મુંબઈ કેન્દ્રમાં સમાચાર વિભાગમાં સિદ્ધષ્ટ ઍડિટર, ૧૯૮૩થી નિવૃા.
ગુજરાતી ગઝલપરંપરામાં સાદગી સાથે ચમત્કૃતિને વણી લઈ, ખારા તો મૃત્યુ પરત્વે મકતાઓને કસબથી રજૂ કરવામાં આ કવિની નોંધપાત્ર સિદ્ધિ છે. “માનસર' (૧૯૬૦), ધટા' (૧૯૭૮), અ “ખાસ' (૧૯૮૦) એમના ગઝલસંગ્રહો છે. “આગ અને અજવાળાં' (૧૯૫૬) અને 'જીવતા સૂર' (૧૯૫૬) એમના નવલિકાસંગ્રહો છે. “રંગસુગંધ'- ભા. ૧-૨ (૧૯૬૬) એમની નવલકથા છે.
વેગડ પ્રકાશ મનજીભાઈ ('{'૩ ૧૯૩૯) : રાંપાદક. ૧/૫
અલહાબાદમાં. ૧૯૫૮માં બી.એ. ૧૯૬૩માં બી.લિબ.એસસી. પ્રારંભમાં નૈનિતાલ અને વિદ્યાનગરમાં ગુંથપાલ, પછી ૧૯૬૫ -થી ૧૯૮૦ સુધી સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદમાં ગ્રંથપાલ. ૧૯૮૦થી ગુજરાતી સાહિત્ય પરિષદના ચી. મ. ગ્રંથામાં ગ્રંથપાલ.
ગુજરાતી સાહિત્યમાં વૈજ્ઞાનિક રાધિકા તારા ઉપયાગો એ દ સામગ્રી પૂરી પાડવામાં એમનું પ્રદાન છે. એમણ ‘મહાનિબંધ વર્ગીકૃત રમૂશ્ચિ, ૧૮૫૭-૧૯૭૭' (૧૯૭૮)માં પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાસાહિત્યના ક્ષેત્રે ફ્રાંસ, અમેરિકા, ગેટટન, ફેડરલ રિપબ્લિક ડે જર્મની અને ભારતની યુનિવર્સિટીઓ દ્વારા પીએચ.ડી. તથા અન્ય પદવીઓ માટે સ્વીકૃત ૩ ૪ મહાનિબંધોની, વર્ગીકૃત માહિતી આપી છે; તો ગુજરાતી સાહિત્ય સૂચિ -મધ્યકાળ' (૧૯૮૪) માં ૭૦૦ જેટલા મધ્યકાલીન કર્તાઓને આવરી લીધા છે તેમ જ એ કર્તાઓ અને એમની કૃતિઓ વિશેના મળના બધા જ શક સંદર્ભો નોંધ્યા છે. ‘જાહેર ગ્રંથાલય : સંકલ્પ, સ્વરૂપ અને વ્યવથાવિચાર' (૧૯૮૪)માં એમણ જાહેર ગ્રંથાલય સંદર્ભ ગ્રંથાલયધારાની અનિવાર્યતાની વિશદ છણાવટ કરી છે.
વાવિહારી: નવલકથા વાલમીકિના ૧૪'' કતાં.
વેદ ઋણમુકતસુત : નાટક ‘માધાતા આખ્યાન' (૧૯૩૨) ના કર્તા.
વાસાણી રણછોડદાર ભીમજી : પદ્યકૃતિ ‘શ્રી હરદ્વાર ગીતાવલી’ (૧૯૦૧)ના કત.
વેદ કિશોર : મોરબી સાહિત્ય કલા મંદિર દ્વારા અભિનીત અને પ્રકાશિત દ્વિઅંકી નાટક ‘પરદેશીને પગલે' (૧૯૪૮)ના કર્તા.
વૃક્ષ : માણસ વૃક્ષ બની જાય છે અને પછી કુટુંબીજના દ્વારા એનું શોષણ થાય છેએવા નાટયબીજમાંથી વિકસતું લાભશંકર ઠાકરનું એકાંકી.
ચં..
વૃક્ષાપનિષદ : સાહિત્ય અને વિજ્ઞાનના સંદર્ભોથી વૃક્ષાનાં સંવર્ધન અને સંકીર્તન માટે પ્રોત્સાહિત કર જયંત પંડયાને નિબંધ.
ચં.ટો. વૃંદાવનદાસ : જીવનચરિત્ર ‘મહાત્મા સરયૂદાસ' (૧૯૫૪)ના કર્તા.
૨.ર.દ.
વેદ નરેશચંદ્ર લક્ષમીદાસ (૩-૩-૧૯૪૮) : વિવેચક. જન્મ રાજકોટ જિલ્લાના ગેંડલમાં. ૧૯૬૪ માં એસ.એસ.સી. ૧૯૬૮ માં બી.એ. ૧૯૭૧ માં એમ.એ. ૧૯૭૮માં પીચ.ડી. શi.", Bરબી, રાજકોટમાં અધ્યાપન કર્યા પછી ૧૯૭૭થી સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં અધ્યાપક.
નવલકથા : શિલ્પ અને સર્જન' (૧૯૮૩) એમના સંશાધનગ્રંથ છે; તે “કથાવિમર્શ' (૧૯૮૩) એમના વિવેચનગ્રંથ છે. ‘ભાવસેતુ' (૧૯૮૩) એમનું સહસંપાદન છે.
એ.ટો.
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૫૪૫
Jain Education Interational
For Personal & Private Use Only
www.jainelibrary.org