________________
પંચેલી રમિ-પંડિત ગોવિંદભાઈ ઇચ્છાશંકર
તાલીમ પછી ‘મૃદુલભારતી’ બાલમંદિર, વડોદરામાં શિક્ષિકા અને આચાર્યા.
એમની પાસેથી ‘શ્રદ્ધાંજલિ' (૧૯૫૧), ‘પ્રાર્થનાપરાગ' (૧૯૫૯), ‘ગીતગુર્જરી' (૧૯૬૦), ‘કાંતિને પગલે' (૧૯૬૨), ‘ગીતભારતી' (૧૯૬૩), ‘આંતરદીપ' (૧૯૬૪), કેવડો' (૧૯૬૬), ‘પ્રણવદીપ' (૧૯૬૬), ‘ગુરુગીતાંજલિ', 'ફૂલપાંદડીવગેરે પદપુસ્તકો મળ્યાં છે.
નિ.વા. પંજી ઠાકોરદાસ જમનાદાસ : ‘રસંસ્કૃત ભાષાપ્રદીપ' (૧૯૧૬)ના
કર્તા. પંડિત અંબાલાલ : નૈતિક નાટક સમાજ કર મનવાયેલાં, સામાજિક કુરૂઢિઓને નિરૂપતાં કરણપર્યવસાયી નાટકો ‘હરતમેળાપ”, “અનીતિ કે નીતિ’, ‘વરકન્યા' વગેરેના કર્તા.
પંડિત અંબાલાલ કે. : કિશોરકથા ‘નરેન્દ્રનાં સાહસિક પાકમ' (૧૯૨૫)ના કર્તા.
કથાવસ્તુ અને ચોટદાર સંવાદો છે. તખ્તા પર બનતી ઘટનાઓ મોટે ભાગે આંતરિક કે સૂક્ષ્મ છે. ઘણીબધી બાબતે સૂચિત છે. આ નાટકોમાં બાહ્ય ઘટના કે ગતિશીલ ક્રિયાઓને અભાવ હોવા છતાં ચોટદાર સંવાદો દ્વારા માનવીય મૂલ્યોના ઉપસ્થિત થતા પ્રશ્નો વિચારપ્રેરક છે અને અંતરને સ્પર્શી જાય છે.
‘વાગીશ્વરીનાં કર્ણફૂલ' (૧૯૬૩) અને મંદારમાલા' (૧૯૮૫) એમની સાહિત્યિક વિચારસરણીને વ્યકત કરતા આસ્વાદલક્ષી વિવેચનગ્રંથ છે. ‘ભેદની ભીંત્યુને આજ મારે ભાંગવી’માં એમાગે. લોકભારતી વિદ્યાપીઠમાં આપેલાં પાંચ વ્યાખ્યાને સમાવિષ્ટ છે.
‘ગ્રીસ’: ભા. ૧, ૨ (૧૯૪૬) “રોમ' (૧૯૪૬)ની ઇતિહાસ કથાઓ પૈકીની કેટલીક ઘટનાઓને ટૂંકીવાર્તાના સ્વરૂપમાં એમણે રસપ્રદ રીતે રજૂ કરી છે. ‘મંગળકથાઓ' (૧૯૫૬) અને માનવ કુળકથાઓ (૧૯૫૬) ઇતિહાસ-પુરાણ પર આધારિત અને પ્રેરક, સરળ, ઋજુ શૈલીમાં લખાયેલી પ્રસંગકથાઓના રાંચ છે. ‘આપણા વારસે અને વૈભવ' (૧૯૫૩)માં, લેખક કહે છે તેમ અહીં જે ઇતિહાસ સામાન્ય રીતે ભણાવાય છે તે ઇતિહાસ નથી, બલકે રાજાઓ અને રાજકીય પરિસ્થિતિઓની સાથે આર્યાવર્તને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખાય છે. ‘ઇતિહાસ અને કેળવણી' (૧૯૭૩) પણ એમનું ઇતિહાસ વિશેનું પુસ્તક છે. બે વિચારધારા' (૧૯૪૫), ‘લોકશાહી' (૧૯૭૩) અને ‘સેક્રેટીસ - લોકશાહીના સંદર્ભમાં' (૧૯૮૨) એ એમની વિચારપ્રધાન રાજનીતિમીમાંસાની પુસ્તિકાઓ છે. ‘નઈ તાલીમ અને નવવિધાન” (૧૯૫૭) તથા ‘સર્વોદય અને શિક્ષણ' (૧૯૬૩) એમનાં શિક્ષણવિષયક પુસ્તકો છે.
સેક્રેટીસ' (૧૯૫૩), ‘ત્રિવેણીતીર્થ (૧૯૫૫), ‘ભગવાન બુદ્ધ અને તેમના ધર્મસંદેશ' (૧૯૫૬), ‘નાનાભાઈ (મૂ. મ. ભટ્ટ સાથે, ૧૯૬૧), ‘
ટેસ્ટોય' (૧૯૭૯) વગેરે એમનાં સરળ અને સુબોધ શૈલીમાં લખાયેલાં ચરિત્રાત્મક પુસ્તકો છે.
“ધર્મચક્રપ્રવર્તન' (૧૯૫૬), 'શાંતિના પાયા' (૧૯૬૩), ‘અમૃતવલ્લરી' (૧૯૭૩), 'મહાભારતને મર્મ' (૧૯૭૮), ‘રામાયણને મર્મ' (૧૯૮૩) વગેરે એમનાં ચિંતનાત્મક પુસ્તકો છે. ‘મારી વાચનકથા' (૧૯૬૯) ઉત્તમ પુસ્તકોના સહવાસને ઋણસ્વીકાર કરતી આપઘડતરની કથા છે. તો, ચેતવિસ્તારની યાત્રા' (૧૯૮૭)માં દર્શકે મૃદલાબહેનને લખેલા ભારતીય સંસ્કૃતિની ચર્ચા કરતાં પત્રો છે. ‘સભિ : સંગ : (૧૯૮૯)માં ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા તથા ગ્રામ વિદ્યાપીઠ : સણોસરાની ઘડતરકથા છે.
નિ.વા. પંચેલી રશ્મિ : નાટ્યકૃતિ “૧૯૪૨' (૧૯૪૯)ના કર્તા.
નિ.વા. પંચેલી હિંમતલાલ જગન્નાથ : પદ્યકૃતિ “રાજસૂય યજ્ઞ’ (અન્ય સાથે, ૧૯૨૭)ના કર્તા.
પંડિત ઈંદિરાનંદ લલિતાનંદ (૧૮૫૧,-): જન્મ સુરતમાં. કોલેજના પ્રથમ વર્ષ સુધીને અભ્યાસ. સંસ્કૃત તથા વેદશાસ્ત્રને અભ્યાસ.
એમના કાવ્યસંગ્રહ‘શ્રી કાવ્યાનંદનિધિ'-ભા. ૧, ૨, ૩ (૧૯૧૪, ૧૯૨૬, ૧૯૨૮)માં મુખ્યત્વે વીર અને શૃંગારરસની, સંકલન:ના અભાવવાળી કવિતા છે.
નિ.વા. પંડિત ઉદયચંદ લાલચંદ : નવલકથાઓ ‘લલિતપ્રમા' તથા 'સંસાર શગંજ અથવા કરણી તેવી પાર ઉતરાણી'- ભા. ૧, ૨, ૩ના કર્તા.
પંડિત કૃષ્ણલાલ હરગોવિદ : નવલકથા “મંજરી'ના કર્તા.
પંડિત કૃષ્ણવદન ચંદુલાલ (૧૭-૧૨-૧૯૪૦) : નિબંધલેખક, જન્મ લાડોલમાં. બી.ઈ. બાંધકામખાનું, ગાંધીનગર સાથે સંલગ્ન. ‘હાસ્યોત્સવ' (૧૯૮૨) એમનો નિબંધસંગ્રહ છે.
.ટી. પંડિત કૃષ્ણાજી : પદ્યકૃતિ ‘દ્વાદશ અનુપેક્ષા' (૧૯૧૫)ના કતાં.
પંડિત ગોદાવરીબાઈ : નવલકથા ‘નીતિદર્પણ અથવા સદ્ગુણશતાવલી'- ભા. ૧ નાં કર્તા.
પંડિત ગોવર્ધન બહેચરભાઈ: પદ્યકૃતિ 'છપ્પનના કાળની સુરત (અન્ય સાથે, ૧૯૦૦)ના કર્તા.
૨.ર.દ. પંડિત ગેવિદભાઈ ઇચ્છાશંકર : ‘જનરલ જોર્જ વોશિગ્ટનનું જીવનચરિત્રના કર્તા.
પંજવાણી પ્રભાવતીબહેન, ‘અસ્મિતા”, “પ્રભાતિ ' (૧૨-૧૦-૧૯૧૨) : કવિ. જન્મ વડોદરામાં. મોન્ટેસરી પદ્ધતિની
૩૩૮: ગુજરાતી સાહિત્યકોશ -૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org