________________
દવે નવલશંકર ભગવાનજી
અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨ માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કોલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ઝવર્થની કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિને મેટો પ્રભાવ પડ્યો. ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનને પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન વગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલિફન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮ માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા 'દાંડિયો' પખવાડિકને આરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગયો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીને કમને સ્વીકાર. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી અવસાન.
અર્વાચીનયુગને રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાની તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાને એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનેમાં આદ્ય' અને 'નવયુગને પ્રહરી' ગણાયા છે.
નર્મકવિતા': ૧-૩(૧૮૫૮), 'નર્મકવિતા': ૪-૮ (૧૮૫૯) ને ‘નર્મકવિતા': ૯-૧૦(૧૮૬૦)ની બધી કવિતાઓને સંચય ‘નર્મકવિતા' - પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલું છે. ઉપરાંત નર્મકવિતા'- પુસ્તક ૨ (૧૮૬૩) અને અંતે 'નર્મકવિતા' (૧૮૬૪) -માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યકિત એમ ત્રિવિધ દૃષ્ટિએ મહત્ત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોને આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રાર્થના નવા વિષય-વિકારો, સંસારસુધારાને સીધા ઉદ્ગારો. અને દેશાભિમાનનાં ગીતથી નર્મકવિતા વિશિષ્ટ બની છે.
એમનાં ગદ્યલખાણમાંના નિબંધમાં ‘રસપ્રવેશ(૧૮૫૮), “પિંગળપ્રવેશ' (૧૮૫૭), અલંકારપ્રવેશ' (૧૮૫૮), 'નર્મવ્યાકરાણ”
ભા. ૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર' (૧૮૬૫), 'નાયિકા વિષયપ્રવેશ' ' (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન' (૧૮૬૧), ‘હિંદુઓની પડતી' (૧૮૬૪), 'કવિચરિત' (૧૮૬૫), ‘સુરતની મુખેસર હકીકત' (૧૮૬૫), ઇલિયડને સાર” (૧૮૭૦), 'મહિપતરામ રૂપરામ મહેતા' (૧૮૭૦), 'મહાપુરુષોનાં ચરિત્ર' (૧૮૭૦), ‘મહાભારતને સાર' (૧૮૭૦), ‘રામાયણને સાર” (૧૮૭૦), ‘સાર શાકુંતલ' (૧૮૮૧), 'ભગવદ્ગીતાનું ભાષાંતર
(૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચય ‘નર્મગદ્ય' (૧૮૬૫)અને ‘નર્મગદ્ય'-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથ છે. “મારી હકીકત(૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાને નમૂને પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી જીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર' (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદ્બોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના
સ્તરો વચ્ચે આંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યકિતત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણથી--સંદર્ભોથી– વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.
એમના નિબંધગ્રંથે ત્રણ 'નર્મગદ્ય' સંપાદનમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથને સંગ્રહ' (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’—ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગેહિલ કરા સંપાદિત 'નર્મગદ્ય' (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતે જૂનું નર્મગદ્ય'-ભા. ૧, ૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.
એમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાને અને એમની શાસ્ત્રીય દૃષ્ટિનો, પદ્ધતિને પૂરો પરિચય મળે છે. મનહર સ્વામીકૃત ‘મનહર પદ' (૧૮૬૦), ‘નર્મકોશ': અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), 'નર્મકોશ': અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪(૧૮૬૫), ‘નર્મકથાકોશ' (૧૮૭૮), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ' (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતાને સ્ત્રી ગીત સંગ્રહ' (૧૮૭૦), પ્રેમાનંદકૃત 'દશમસ્કંધ' (૧૮૭૨) અને ‘નર્મકોશ'ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩) – એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથી અને સંશોધન-સંપાદનગ્રંથનું ઐતિહાસિક રીતે પણ મહત્ત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.
‘તુલસી વૈધવ્યચિત્ર' - સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), દ્રૌપદીદર્શન' (૧૮૭૮), ‘બાળકૃષણવિજ' (૧૮૮૬), ‘કૃપગકુમારી'-એ એમના નાટકો-સંવાદોના ગ્રંથ છે. ‘સીતાહરણ' (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. “રાજયરંગ'- ભા. ૧, ૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતને પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ધર્મવિચાર' (૧૮૮૫)માં તત્ત્વચર્ચાવિષયક પકવ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તે ‘ગુજરાત સર્વસંગ્રહ (૧૮૮૭) તથા કાઠિયાવાડ સર્વસંગ્રહ' (૧૮૮૭) એમના ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથ છે.
બ.જા. હવે નવલશંકર ભગવાનજી : સ્વદેશી ચીજોની હિમાયત કરતું બોધાત્મક કાવ્ય “મારા દેશબાંધવોને બે બાલ’ના કર્તા.
નિ..
ગુજરાતી સાહિત્યકોશ - ૨ :૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org