________________
ગુજરાતી સાહિત્યકેશની યોજના
ગુજરાતી સાહિત્યનો સર્વાંગી પરિચય આપતો આ કોશ ગુજરાતી સાહિત્ય પરિષદના એક દાયકાના તપની ફલશ્રુતિ છે. આ પ્રકાશન અપૂર્વ ભલે ન હોય, અનન્ય તો છે જ.
આ સંક૯પ કેમ કરીને સિદ્ધ થયો એની કેટલીક વીગતો અહીં ઐતિહાસિક સંદર્ભમાં નેધપાત્ર છે.
શ્રી રઘુવીર ચૌધરી પરિષદમંત્રી હતા ત્યારે એમણે ગુજરાત રાજ્ય સરકાર સાથે કરેલા પત્રવ્યવહારમાં નોંધાયું છે તેમ સને ૧૯૭૯ના જૂનની ૨૨મી તારીખે સ્વ. ઉમાશંક્ર જોશી,
શ્રી યશવંત શુક્લ, સ્વ. ઈશ્વર પેટલીકર, અને શ્રી પિનાકિન ઠાકોર સાથે એમણે તે વખતના મુખ્ય પ્રધાન શ્રી બાબુભાઈ સમક્ષ આ યોજના રજૂ કરી. શિક્ષણમંત્રી શ્રી નવલભાઈ શાહ અને નાણામંત્રી શ્રી દિનેશભાઈ શાહે શ્રી બાબુભાઈની સંમતિને અમલમાં મૂકી અને છ માસની ટૂંકી મુદતમાં સાહિત્યકોશની યોજના શરૂ થઈ.
ગુજરાતી સાહિત્ય પરિષદની કાર્યવાહક સમિતિએ નિયુકત કરેલી વરણી સમિતિએ સાહિત્યકોશના સંપાદનની મુખ્ય જવાબદારી ઉપાડવા માટે નવી પેઢીના સંનિષ્ઠ અભ્યાસીઓને નિમંત્રણ આપવા ઠરાવ્યું. તે પ્રમાણે તા. ૮-૧૨-૧૯૭૯ના પત્રથી શ્રી જયંત કોઠારીને મુખ્ય સંપાદક તરીકે અને શ્રી ચંદ્રકાન્ત શેઠને સહસંપાદક તરીકે સેવાઓ આપવા નિમંત્રણ પાઠવ્યાં. એમની સંસ્થાઓ જી. એલ. એસ. ગર્લ્સ કૅલેજ અને ગૂજરાત વિદ્યાપીઠે એમની સેવાઓ લિયન પર આપીને પરિષદને ઉપકૃત કરી.
સાહિત્યકોશનું કામ શરૂ કર્યું ત્યારે અંદાજ એવો હતો કે સંપાદનનું કામ પાંચેક વર્ષની મુદતમાં પૂરું થઈ જશે, પણ શ્રી જયંત કોઠારીનાં ખંત અને ચીવટને કારણે સંપાદનમાં સંશોધનવૃત્તિ ભળી, યોજનામાં એક નવું પરિમાણ ઉમેરાયું, તેથી મુદત બેવડાઈ. એમણે કોશના સહકાર્યકરો સાથે ગ્રંથાલયો અને ગ્રંથભંડારોની મુલાકાત લઈ, જ્યાં શકય હતું ત્યાં હસ્તપ્રતો પણ તપાસી અને પૂર્વે થયેલાં આ પ્રકારનાં સંપાદનકાર્યોની દુરસ્તી પણ કરી. શ્રી જયંત કોઠારીએ સાડાચાર વર્ષ પછી માનાર્હ મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપી. શ્રી ચંદ્રકાન્ત શેઠને માથે શ્રી ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામકની જવાબદારી આવતાં એમણે માનાર્હ સંપાદક તરીકે બેએક વર્ષ કાર્ય સં મળ્યું અને શ્રી રમણ સોનીએ સહસંપાદક તરીકેની જવાબદારી સ્વીકારી. શ્રી કોઠારી તા. ૩૦-૬-૧૯૮૭થી સાહિત્યકોશના સંપાદનકાર્યમાંથી મુકત થયા ત્યારે શ્રી જયંત ગાડીત સાહિત્યકોશના બીજા ખંડ સાથે સંકળાયેલા હતા. એમણે શ્રી કોઠારીના ઉત્તરાધિકારી તરીકે સ્તુન્ય કાર્ય કર્યું છે. શ્રી રમેશ ર. દવે પણ આ યોજના સાથ આરંભકાળથી સંકળાયેલા રહ્યા છે. શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાએ શ્રી. ક. લા. સ્વાધ્યાયમંદિરના નિયામક થવાની સાથે સમગ્ર કોશયોજનાની વહીવટી જવાબદારી ઉપાડી લીધી. એમના સંપાદન હેઠળ કોશનો બીજો-ત્રીજો ભાગ નિયત સમયમાં પૂરો થાય એ માટે એ કૃતસંક૯પ છે. જણાવતાં આનંદ થાય છે કે “ગુજરાતી સાહિત્યકોશ ખંડ–૨ (અર્વાચીન કાળ)' ફેબ્રુઆરી, ૧૯૯૦ સુધીમાં સુલભ થશે.
પ્રારંભિક વર્ષોમાં કોશની સલાહકાર સમિતિના સભ્યોએ દિવસોના દિવસ આપ્યા છે. સ્વ. ઉમાશંકર જોશી, શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી નગીનદાસ પારેખ અને શ્રી યશવંત શુકલની સેવાઓ અવિસ્મરણીય રહેશે. જરૂર ઊભી થાય ત્યાં શ્રી ચી. ન. પટેલ પાસેથી પણ માર્ગદર્શન મળતું.
સંકલ્પ કર્યો ત્યારે સાહિત્યકોશની ૧૧૦૦ નકલ છાપવાની ગણતરી હતી, પણ પરિષદના એક ટ્રસ્ટી શ્રી એચ. એમ. પટેલની સલાહથી ૨૦૦૦ નકલ છાપવાનું મધ્યસ્થ સમિતિએ સૂચવ્યું. કાગળ પાછળ અગાઉથી રોકાણ કરવું કે કેમ એક પ્રશ્ન હતો. પણ એ જોખમ ફાયદાકારક કરે એટલી હદે પછીનાં વર્ષોમાં કાગળના ભાવ વધ્યા છે. કોશ માટેનો આ ખાસ કાગળ તો એની ગુણવત્તા નક્કી કરીને તૈયાર કરાવેલો છે. અન્યથા કોશનું નિર્માણખર્ચ ઘણું વધી જાત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org