________________
હવ્યવાન
ઉકર
હંસદેવજ
હવ્યવાન રૈવત મનુના પુત્રોમાં એક હવ્યવહુ ધર નામના વસુના પુત્રોમાંને એક. હવ્યવાહ (૨) પવમાન અગ્નિને પુત્ર. હવ્યસૂદ યજ્ઞમાં પશુમારણ કર્મમાં જે અગ્નિ પ્રધાન
છે તે. હંસ બ્રહ્મદેવના માનસપુત્રોમાંનો એક વિરક્ત પુત્ર હંસ (૨) એક સમયે સત્યલોકમાં બ્રહ્મદેવને સનકા- દિએ અધ્યાત્મ વિષય સંબંધી કાંઈ પ્રશ્ન કર્યો. તે વખતે બ્રહ્મદેવની વૃત્તિ બીજા કાર્યમાં ગૂંથાયેલી હોવાથી સનકાદિને એમનાથી યથાસ્થિત ઉત્તર અપાયો નહિ, એવું જોઈને વિષ્ણુ અને શિવરૂપી ઈશ્વર, હંસનાં રૂપ ધારણ કરીને ત્યાં પ્રાપ્ત થયા, અને તેમણે સનકાદિના સંશયનો નાશ કર્યો તે રૂપ વિશેષ. | ભાગ ૧૧ અં૦ અ૦ ૧૩ હસ (૩) બ્રહ્મદેવનું સામાન્ય નામાન્તર. હંસ (૪) વિષ્ણુનું સામાન્ય નામાન્તર. હંસ (૫) શિવનું સામાન્ય નામાન્તર. હંસ (૬) ગુરુનું બીજુ નામ. હંસ (૭) કશ્યપને અરિષ્ટાની કુખે થયેલા પુત્રામાં
એક ગંધર્વ. / ભાર૦ આ૦ ૬૮-૮૩. સોમવંશી ધૃતરાષ્ટ્ર તે. આ ગંધર્વને અંશાવતાર હતો. હંસ (૮) બાર સાધ્યદેવોમાંને નવમો. હંસ (૮) ડિંભરાજાનો મોટો ભાઈ. (હંસડિ ભક શબ્દ જુઓ.) આને બલરામે માર્યો હતો. | ભાર સ૦ ૧૪-૪૩ હંસ (૧૦) વસુદેવને શ્રીદેવાની કુખે થયેલા પત્રમાં
એકહંસ (૧૧) મેરુના કણિકાપર્વતેમાંને એક. હંસ (૧૨) યજુર્વેદેપનિષતહંસકૂટ ક્ષેત્રવિશેષ | ભાર૦ આ૦ ૧૨૪-૫૧ હંસકેતુ હંસધ્વજ શબ્દ જુઓ. હંસચૂડ એક પક્ષવિશેષ | ભાર૦ સ. ૧૦-૧૮ હંસજિહુવા બ્રહ્મર્ષિવિશેષ (૩. ભગુ શબ્દ જુઓ.) હંસજિહ્વ (૨) બ્રહ્મર્ષિવિશેષ (૩. અંગિરા
શબ્દ જુઓ.) હંસડિમ્ભક હંસ અને ડિમ્ભક એ બને ભાઈઓ
હાઈ કરૂષક દેશના રાજા હતા. તેઓ શસ્ત્રથી અવધ્ય – વરદાનને લીધે મરે નહિ એવા – હાઈ પરાક્રમી હતા. જરાસંધ રાજના પ્રધાન હતા. આવા જબરા પ્રધાનના બળની જરાસંધને મોટી ઓથ હતી. એક સમયે જ્યારે કૃષ્ણને જરાસંધની સાથે યુદ્ધ થતું હતું તે વેળા હંસને બલરામના શસ્ત્રાઘાતથી મૂરછ થઈ અને એ ભૂમિ પર પડ્યો. ઘણી વાર સુધી એની મૂછ વળી નહીં; એટલે એના ભાઈ ડિમ્ભકને લાગ્યું કે એ મરણ પામે. આથો પતે જઈને યમુનામાં ઝંપલાવ્યું અને પ્રાણ ત્યજ્યા. કેટલીક વારે હંસને મૂચ્છી વળતાં એને પોતાના ભાઈના મૃત્યુની વાતની ખબર થઈ એટલે એને પણ યમુનામાં પડીને પોતાના પ્રાણ ત્યજ્યા. આમ બને ભાઈએ શસ્ત્ર વગર મરણ પામ્યા. / ભાર૦ ૦ ૧૪-૪૩ હંસતીથ પ્રયાગમાં ભાગીરથીના પૂર્વ ભાગમાં
આવેલું તીર્થવિશેષ. હંસતીર્થ (૨) નર્મદા ઉપરનું એક તીર્થવિશેષ. હંસવજ ચંપકાનગરીને રાજ. એણે પાંડવોના અશ્વમેધને ઘેડે બાંધ્યો હતો. એને વિદુરથ, ચંદ્રસેન અને ચંદ્રકેતુ વગેરે ભાઈઓ હતા. સુરથ, સુધન્વા, સુદર્શન, સુબલ અને સમ એમ પાંચ પુત્રો હતા. સુમતિ, સુગતિ, તુષ્ટ અને શ્રદ્ધાલું એ આના મંત્રી હતા. શંખ લિખિત ઉપાધ્યાય હતા. એ પિતેય ઘણે પરાક્રમી હતી અને એની પાસે સેના પણું પુષ્કળ હતી.
એણે ઘેડ પકડીને સને આજ્ઞા કરી કે સઘળાએ ફલાણે વખતે રણભૂમિ પર હાજર થવું. મુકરર કરેલા વખતમાં અંતર પડતાં તે માણસને ઊકળતા તેલની કઢામાં નાખવામાં આવશે, એવી આજ્ઞા કરી હતી. આ ઉપરથી સઘળા આજ્ઞા કર્યા પ્રમાણે ઠેરવેલ વખતે સમરાંગણ પર આવી હાજર થયા.
ઠેરવેલ વખતે હંસવજ રણક્ષેત્ર પર આવ્યા. એણે સુમતિ આદિ પિતાના મંત્રીઓ, તેમના વીરકેતુ, તીવ્રરથ અને શતધન્વા વગેરે પુત્રો, એના