________________
તિર્થગમન/તીવ્રરસબંધ
રાજલોક. તિર્યગ્ગમન : તિતિ ચાલવું, વાંકા ચાલવું, વિવેક વિનાનું.
તિર્યંગ્સામાન્ય ઃ ભિન્નભિન્ન દ્રવ્યના એકસરખા બનેલા પર્યાયમાં એકાકારતાની જે બુદ્ધિ તે. તિર્યંચ : પશુ-પક્ષીઓ, દેવ-મનુષ્યનારકી વિનાના સર્વ જીવો. તિર્થંગ્સાંભક દેવો : વ્યંતર નિકાયના દેવો, જેઓ વૈતાઢ્યપર્વત ઉપર વસે છે અને ઇન્દ્રની આજ્ઞાથી તીર્થંકર પ્રભુના ઘરમાં દાટેલું, માલિક વિનાનું ધન લાવે છે. તિલાંજલી : ત્યાગ કરવો, છોડી દેવું, સર્વથા સંપર્ક ન કરવો. તિવિષ્ણુ તિવિહેણું :
મન-વચન
કાયાથી, કરવા કરાવવા અને અનુમોદવા રૂપે, (એમ હું સાવધયોગનો ત્યાગ કરું છું). તીણો શબ્દ : ઘણો ઝીણો શબ્દ,
મીઠો શબ્દ, પાતળો અવાજ. તીર્થ : જેનાથી સંસાર તરાય તે, પ્રથમ ગણધર, દ્વાદશાંગી અથવા શત્રુંજય, ગિરનાર, સમ્મેતશિખર આદિ.
:
તીર્થપતિ તીર્થની સ્થાપના કરનારા, તીર્થના માલિક. તીર્થંકર પ્રભુ : તીર્થની સ્થાપના કરનારા, અરિહંત પ્રભુ.
Jain Education International
૫૬
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ
તીર્થભૂમિ : તીર્થ તરીકે પ્રસિદ્ધિને પામેલી ભૂમિ.
તીર્થસિદ્ધ : અરિહંત પરમાત્માનું તીર્થ સ્થપાયા પછી જે જે જીવો મોક્ષે જાય તે. જેમકે ગણધરભગવન્તો.
તીર્થક્ષેત્ર : પવિત્ર ક્ષેત્ર, તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલું ક્ષેત્ર. તીલપીલકવત્ ઃ જેમ ઘાણીનો બળદિયો ઘણું ચાલે તોપણ ત્યાં જ વર્તે છે. તે પ્રમાણે આ જીવ જ્ઞાન-દર્શનચારિત્ર-તપાદિ ધર્મપુરુષાર્થ કરે પરંતુ દૃષ્ટિ મિથ્યા હોય ત્યારે ગુણસ્થાનકમાં ત્યાં ને ત્યાં જ વર્તે છે તે. તીવ્રકામાભિનિવેશ : કામવાસનાની અતિશય તીવ્ર અભિલાષા. તીવ્રતર કર્મબંધ : અતિશય ચીકણાં કર્મો બાંધવાં તે.
તીવ્રભાવે પાપાકરણ ઃ કોઈ સંજોગોમાં કદાચ પાપ કરવું પડે તોપણ અતિશય તીવ્રભાવે પાપ ન કરવું તે.
તીવ્રમંદતા : કર્મોમાં રહેલો જુસ્સો અને હળવાપણું.
તીવ્રમેધાવી જીવો : અતિશય સૂક્ષ્મ
બુદ્ધિશાળી જીવો, (મહાત્મા). તીવ્રરસબંધ : ચીકણા રસથી કર્મો બાંધવાં, ચાઠાણિયા રસનો
For Private & Personal Use Only
www.jainelibrary.org