SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ અનંગ-ક્રીડા/અનાદિકાળ અનાદિ મિથ્યાત્વી જીવોને હોય અથવા ન પણ હોય તે. અનંગ-ક્રીડા : જે અંગો કામક્રીડાનાં નથી, તેવાં અંગોથી કામક્રીડા કરવી. અનંતકાય : એક શરીરમાં જ્યાં અનંતા જીવો સાથે વસે છે એટલે કે અનંતા જીવોની એક કાયા. અનંતનાથ : ભરતક્ષેત્રમાં થયેલા ચૌદમા તીર્થંકર ભગવાન. અનંતર ઃ તરત જ, આંતરા વિના, વિલંબ વિના થનાર પ્રાપ્તિ. અનંતરપ્રયોજન ઃ તરત જે લાભ થાય તે, વક્તાને પરોપકાર કરવો તે, અને શ્રોતાને જ્ઞાનપ્રાપ્તિ કરવી તે અનન્તરપ્રયોજન. અનન્તાનુબંધી : અનંત સંસાર વધારે તેવો કષાય, યાવજ્જીવ રહે, નરકગતિ અપાવે, સમ્યકત્વનો ઘાત કરે તેવો કષાય. અનપવર્તનીય : બાંધેલ કર્મો ગમે તેવાં નિમિત્તે મળે તો પણ તૂટે નીં તે. બધા દર્શનકારોનાં વચનો સત્ય છે એમ માને, વીતરાગ અને રાગી એમ બન્નેનું સાચું માને, બન્નેને અનભિગ્રહિક મિથ્યાત્વ : Jain Education International S જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ભગવાન માને તે. અનભિલાપ્ય : શબ્દોથી ન બોલી શકાય, જે ભાવ શબ્દોથી ન કહી શકાય તે. અનભ્યાસી : જેને જે વિષયનો અભ્યાસ નથી તે. અનર્થકારી ઃ નુકસાન કરનાર, હાનિ પહોંચાડનાર. અનર્થદંડ : બિનજરૂરિયાતવાળાં પાપ, જેના વિના ચાલે તેવાં પાપ. અનર્પણા : અવિવક્ષા, અપ્રધાનતા, મુખ્યતા ન કરવી તે. અનર્પિતનય : અવિક્ષિતનય, જ્યારે જે દૃષ્ટિ જરૂરી ન હોય ત્યારે તે દૃષ્ટિની અવિવક્ષા કરવી તે. અનાગત : ભાવિમાં થનાર, હજુ ન આવેલું, ભાવિમાં આવવાવાળું. અનાચાર : અયોગ્ય આચાર, દુરાચાર, દુષ્ટ આચાર. અનાદર ઃ આદર-બહુમાન ન કરવું તે, અપ્રીતિભાવ કરવો. અનાદિઅનંત : જેને આદિ પણ નથી અને અંત પણ નથી તે. અનાદિકાળ : આદિ પ્રારંભ વિનાનો કાળ, જેનો આદિકાળ નથી તે. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy