SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પઇઠાણ (પ્રતિષ્ઠાન) આ અને પઇટ્ટાણ એક છે.૧ ૧. આવિન.૧૨૮૦, ૧૨૯૯, વ્યવમ.૪.પૃ.૩૬. પઇણ (પ્રકીર્ણ) આ અને પઇણગ એક છે.૧ ૧. સમ.૮૪. આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ - પઇણ્ગ અથવા પઇણ્ણય (પ્રકીર્ણક) અગિયાર અંગ(૩) અને દિઢિવાય સિવાયના આગમગ્રન્થો. બધા અંગબાહિર આગમગ્રન્થોને – આવસય હોય કે આવસ્સયવઇરિત્ત હોય તે બધાને – પઇણ્ડગ, પઇણગઝયણ અથવા પઇણ તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. શાન્તિસૂરિ પઇણ્ડગ વર્ગમાંથી ઉવંગને બાદ કરે છે. પઇણગ ગ્રન્થોની સંખ્યા સ્થિર અને ચોક્કસ નથી. તિર્થંકરે તિર્થંકરે તે બદલાય છે. એવું કહેવાય છે કે દરેક તીર્થમાં પઇણગ ગ્રન્થોની સંખ્યા જિનના ચાર પ્રકારના જ્ઞાનો ધરાવનારા શિષ્યોની સંખ્યા બરાબર હોય છે. આ શિષ્યો જિનના ઉપદેશોના આધારે પઇણગ ગ્રન્થોની રચના કરે છે. તિત્શયર ઉસહ(૧)ના તીર્થમાં ચોરાશી હજાર પઇણગ ગ્રન્થો હતા, પછીના બાવીસ તિત્શયરોના તીર્થોમાં સંખ્યાત પઇણગ ગ્રો હતા અને તિત્શયર મહાવીરના તીર્થમાં ચૌદ હજાર પઇણગ ગ્રન્થો હતા.૫ આગમના પ્રવર્તમાન છ વર્ગો ધરાવતા વર્ગીકરણમાં દસ પઇણગ ગ્રન્થ છે. તે દસ આ પ્રમાણે છે – ચઉસરણ, આઉરપચ્ચક્ખાણ, મહાપચ્ચક્ખાણ, ભત્તપરિણા, તંદુલવેઆલિઅ, સંથારગ, ગચ્છાયાર, ગણિવિજ્જા, દેવિંદત્થય અને મરણસમાહિ. ભાવપ્રભસૂરિ(વિ.સં.૧૭૭૨)થી આ સંખ્યા સ્થિર કરવામાં આવી છે, પરંતુ ગ્રન્થનામોમાં અંતર છે. ભાવપ્રભસૂરિ ગચ્છાયારના સ્થાને ચંદાવિજ્ઞયને ગણાવે છે. જૈન ગ્રન્થાવલીમાં દસ દસની ત્રણ જુદી યાદીઓ આપવામાં આવી છે. પ્રથમ યાદીમાં મરણસમાહિ અને ગચ્છાયારનું સ્થાન વીરસ્તવ અને ચન્દ્રવેધ્યક લઈ લે છે. બીજી યાદીમાં નીચેનાં દસ નામો છે – અજીવકલ્પ, ગચ્છાચાર, મરણસમાધિ, સિદ્ધપ્રામૃત, તીર્થોદ્ગાર (તિોગાલી), આરાધનાપતાકા, દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ, જ્યોતિષ્કરણ્ડક, અંગવિદ્યા અને તિથિપ્રકીર્ણક. અને ત્રીજી યાદીમાં બધાં જ દસ નામો જુદાં છે. તે આ પ્રમાણે છે – પિંડવિશુદ્ધિ, સારાવલિ, પર્યન્તારાધના, જીવવિભક્તિ, કવચપ્રકરણ, યોનિપ્રામૃત, અîચૂલિયા, વૃદ્ધચતુઃશરણ અને જમ્બુપયજ્ઞો. - ૧. ઉત્ત૨,૨૮.૨૩. ગચ્છાવા. પૃ.૪૧. ૨. નન્દ્રિ.૪૪, નન્દ્રિમ.પૃ.૨૦૮,નન્દિરૂ. ૫. એજન, સમ. ૮૪, વ્યવભા. (પીઠિકા. પૃ.૬૦, અનુચૂ.પૃ.૩, સમ.૮૪. ૧૧૯), વોલ્યુમ ૧૨, પૃ.૧૧૦. ૩. ઉત્તરાશા.પૃ.૫૬૫. ૬. જુઓ હિકે.પૃ. ૪૯-૫૧. ૪. નન્દ્રિ.૪૧, નન્દિય.પૃ.૨૦૮, ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy