SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૯. ધણ આ અને ધણ(૩) તેમજ ધણ(૭) એક જ વ્યક્તિ છે. - ૧. સ.૧૫૭. ૨. વિશેષા.૩૫૧૦. ૧૦. ધણ આ અને ધણ(૧) એક છે.' ૧. આવયૂ.૧,પૃ.૪૯૭. ૧૧. પણ આ અને ધણ(૩) એક છે.' ૧. સ.૧૫૭. ૧. ધણંજય (ધનજય) સોરિય(૧) નગરનો શેઠ. સુભદ્દા(૧૧) તેની પત્ની હતી. જો પોતાને પુત્ર થશે તો એવી શરતે તેણે જખ સુરંબર આગળ એક સો પાડાનો બલિ ચડાવવાની પ્રતિજ્ઞા કરી હતી. સદ્નસીબે તેને પુત્ર થયો. પોતાની પ્રતિજ્ઞાને પૂરી કરતાં પહેલાં તો તે મહાવીરનો ઉપાસક શ્રાવક બની ગયો અને તેથી તેણે બલિ ચડાવવાનો ઈન્કાર કરી દીધો. પરંતુ જફખે વચન પાળવા માટે તેના ઉપર ભારે દબાણ કર્યું. એટલે તેણે લોટના બનાવેલા એક સો પાડાનો બલિ જફખને ચડાવ્યો. ૧. આવયૂ.૨,પૃ.૧૯૩, આવનિ.૧૨૮૯, પાક્ષિય.પૃ.૬૭. ૨. ધણંજય મૂયા નગરના રાજા. તે ચક્રવટ્ટિ પિયમિત્ત(૧)નો પિતા હતો. તેની પત્ની ધારિણી (૯) હતી. ૧. આવચૂ.૧.પૃ. ૨૩૫, આવનિ.૪૫૦, વિશેષા.૧૮૧૬, કલ્પવિ.પૃ.૪૪, આવહ. પૃ.૨૫૧. ૩. ધણંજય પખવાડિયાનો નવમો દિવસ.' ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. ૪. ધણંજય ઉત્તરાપોદ્ભવયા નક્ષત્રનું ગોત્રનામ. ૧. સૂર્ય.૫૦, ખૂ. ૧૫૯. ૧. ધણગિરિ (ધનગિરિ) આચાર્ય ફગૃમિત્તનો શિષ્ય. તે વસિદ્ગ ગોત્રનો હતો. આર્ય સિવભૂઈ(૨) તેનો શિષ્ય હતો.' ૧. કલ્પ(થરાવલી).૭. ૨. ધણગિરિ તુંબવણ સંનિવેશનો શેઠ. તે આચાર્ય વઈર(૨)ના પિતા હતા અને સુણંદા(૧)ના પતિ હતા. ગર્ભવતી સુણંદાને છોડીને તેમણે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય સીહગિરિ(૩)ના શિષ્ય બન્યા. સીહગિરિને તેમના સિવાય બીજા ત્રણ શિષ્યો હતા.' ૧. આવચૂ.૧.પૃ.૩૦, કલ્પશા.પૃ.૨૦૩, ઉત્તરાશા.પૃ.૩૩૩, કલ્પવિ.પૃ.૨૬૨. ધણગુર (ધનગુપ્ત) આચાર્ય મહાગિરિના શિષ્ય અને સિહવ ગંગના ગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy