SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કુદિદુ ગોફખીર તાર વના. સરોજ હત્યા કમલે નિસના. વાએસિરી પુત્યય વન્ગ હત્યા, સુહાય સા અચ્છ સયા પસFા. ભાવાર્થ : મોગરો, ચંદ્રમા, ગાયનું દૂધ અને હિમ એ શ્વેત હોય છે, તેના જેવા રંગવાળી, જેના હાથમાં કમળ છે, વળી જે કમળની ઉપર બેઠેલી છે વાગુ – ભાષા તેની અધિષ્ઠાત્રી એટલે વાગીશ્વરી કે જેણે પુસ્તક હાથમાં ધારણ કર્યું છે. તે અમને સદા સુખને માટે થાઓ. મૃતદેવતા, શ્રુતદેવી, વાણી, બ્રાહ્મી ભારતી, શારદા કે સરસ્વતી વગેરે નામો જૈન સાહિત્યમાં વાગીશ્વરીના છે. સાત્વિક્તાના પ્રતીકરૂપ શ્વેતવર્ણ, પવિત્રતાના પ્રતીકરૂપ કમલ તથા જ્ઞાનના પ્રતીકરૂપ પુસ્તક વડે નિર્માણ થયેલું શ્રુતદેવીનું સ્વરૂપ મલિનતા તથા જડતાને દૂર કરી પવિત્રતા તથા જ્ઞાનનો પ્રકાશ આપવાને સમર્થ છે. તેથી તેનું આરાધન ઈષ્ટ મનાયું છે. - શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેનું અગાધ જ્ઞાન સરસ્વતીની ઉપાસનાને આભારી મનાયું છે. જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઇ પ્રકાશિત પ્રબોધટીકામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy