________________
જૈિન સાહિત્ય સમારોહ-ગુચ્છક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ગણધરો સર્વ તીર્થસિદ્ધ હોય છે.
(૨) અતીર્થસિદ્ધ – તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં અથવા તીર્થનો વિચ્છેદ થઈ ગયા પછી જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત., ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવા અતીર્થસિદ્ધ કહેવાય છે.
(૩) તીર્થકર સિદ્ધ (જિનસિદ્ધ) – જેઓ તીર્થકરપદ પામીને, તીર્થ પ્રવર્તાવ્યા પછી સિદ્ધગતિ પામે તે “તીર્થકર સિદ્ધ' કહેવાય. ઉ.ત., નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીરસ્વામી વગેરે તીર્થકર સિદ્ધ કહેવાય.
(૪) અતીર્થકર સિદ્ધ (અજિનસિદ્ધ) – જે સામાન્ય કેવળીઓ હોય તે સિદ્ધ ગતિ પામે તેમને અતીર્થકર સિદ્ધ કહેવામાં આવે છે.
(૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ – જાતિ સ્મરણાદિ જ્ઞાન થતાં, ગુરુ વિના સ્વયં દીક્ષા ધારણ કરીને જેઓ સિદ્ધ થાય તે સ્વયંસંબુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત., કપિલ મુનિ.
(૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ – જેઓ ધજા, વૃક્ષ, વૃષભ કે એવા કોઈ પદાર્થને અથવા વ્યક્તિને કે સ્થળ વગેરે જોઈને અનિત્યાદિ ભાવના ભાવતાં ભાવતાં, સ્વયં દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત., કરકંડ મુનિ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ હતા.
(૭) બુદ્ધબોધિત સિદ્ધ – જેઓ દીક્ષા લઈ આચાર્યદિના પ્રતિબોધથી આત્મવિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય.
(૮) સ્ત્રીલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર સ્ત્રીના અવયવ રૂ૫ શરીરથી સિદ્ધ થાય તે સ્ત્રીલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત., ચંદનબાળા, મૃગાવતી વગેરે સ્ત્રીલિંગ સિદ્ધિ કહેવાય છે.
(૯) પુરુષલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર પુરુષના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે “પુરુષલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ.ત., ગૌતમસ્વામી વગેરે ગણધરો પુરુષલિંગ સિદ્ધ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org