________________
જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪
૩૨
બિંદુરૂપ આકાશપ્રદેશ પણ જે અવિભાજ્ય છે તે ગોળાકારે છે. આમ અંત્યસીમાંત અને અસીમ ઉભય ગોળાકાર રૂપનું ૐ લિપિમાં આલેખન થયેલ છે.
સ્વરૂપમંત્રથી સ્વરૂપપદે પહોંચેલ પરમાત્માને નમસ્કાર થાય છે જે નમસ્કારના ત્રણ ભેદ છે.
(૧) કાયયોગથી ચરણ, ઘૂંટણ, હસ્ત, નાસિકા અને મસ્તક એમ પાંચ અંગ ધરતી સરસા અડાડી થતો પંચાંગ પ્રણામ-નમસ્કાર. (૨) વચનયોગથી ૫૨માત્મ ભગવંતની સ્તુતિ કરવા દ્વારા થતો નમસ્કાર. (૩) અને મનોયોગથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન ધ્યાનમાં લીન થવા દ્વારા અતિ સૂક્ષ્મતાએ શૂન્ય બનવા દ્વારા થતો પ્રણિધાનરૂપ સર્વોત્કૃષ્ટ નમસ્કાર કે જે ત્રીજા પ્રકારના નમસ્કાર વિષે જ કહેવાયું છે.
‘ઈક્રોવિ નમુક્કારો જિનવર વ સહૂસ્સ
વદ્ધમાામ્સ સંસાર સાગરાઓ તારેઇ નર વા નારી વાં.... પંચપરમેષ્ઠીના ભાવપદને ત્રણે યોગથી નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપનો પ્રણાશ એટલે કે મૂળથી નાશ અર્થાત્ ક્ષય થાય છે. તેથી જ ‘સવ્વ પાવપ્પણાસણો' કહેલ છે. નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપના ડુંગરોને ઓળંગવાના છે. ખતમ કરવાના છે. પંચપરમેષ્ઠીની આરાધના એટલે પુણ્યના ડુંગરો ખડકવા એમ નથી સમજવાનું, પરંતુ પંચપરમેષ્ઠીને નમસ્કાર એટલે પાપોના ડુંગરોનો નાશ.
નમસ્કાર એટલે કે નમન અને નમન એટલે નમવું અર્થાત્ ઊલટવું. મનને ઊલટાવવું એટલે નમ. તેમ મનને ઊલટાવવું એટલે કે મનને અમન કરવું. આમ નમવું એટલે પરિણમવું-તરૂપ થવું. અર્થાત્ અમન થવું. અમન થવું એટલે ઇચ્છારહિત થવું, નિરિહિ થવું. વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે ‘મન’ શબ્દનો અર્થ વિચારવું ‘To think’ એટલે કે બુદ્ધિ તત્ત્વ છે. તે જ પ્રમાણે મનની ચંચળતાના અર્થમાં મન એ વિકલ્પ અને ઇચ્છાનું પોટલું છે. આમ નમસ્કાર એટલે કે નમન. એ અમન ઇચ્છારહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org