________________
જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય
' કવિન શાહ છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ, નિયમથી બનેલી કવિતા વૃત્ત. છંદમાં રચેલા સ્તોત્રો દ્વારા દેવોની સ્તુતિ કરાવે છે, તે ઉપરથી “પવાડા” અને “સલોકા”ના સમાન અર્થનો વાચક આ “છંદ' શબ્દ બન્યો છે. સામાન્ય રીતે “છંદ” રચના એક છંદમાં હોય છે, પણ અપવાદરૂપે કોઈ છંદમાં છંદ, દેશી, અને ગીત એ ત્રણેનું મિશ્રણ હોય છે.
છંદ રચનાનો હેતુ ભાષામાં લાલિત્ય લાવવા માટે છે, પણ આવું લાલિત્ય ઉપલબ્ધ રચનાઓમાં અલ્પ પ્રમાણમાં મળે છે. તેમ છતાં આવી પદ્ય રચનાઓ એક કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે. આ રચના ઉપર ચારણી ભાષાનો પણ પ્રભાવ છે.
છંદના બે પ્રકાર છે : વૈદિક છંદ અને લૌકિક છંદ. વેદના મૌલિક સાત છંદ છે. ગાયત્રી, ઉષ્મિગુ, અનુષ્ટ્રપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટભ અને જગતી. વેદથી જુદા છંદ તે લૌકિક છંદ કહેવાય છે. આવા લૌકિક છંદોનો સાહિત્યમાં વિશેષ પ્રયોગ થયો છે.
એક જ છંદમાં કાવ્ય રચના કરવા માટેની પ્રેરણા સંસ્કૃત સાહિત્યના સ્તોત્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થઈ હોય એમ માનીએ તો વધુ યોગ્ય લાગે છે. વિવિધ સ્તોત્રમાં સંસ્કૃતમાં કોઈ એક છંદની પસંદગી કરીને રચના થાય છે. એક હજાર વર્ષ પહેલાંનું ચારણી સાહિત્ય મળી આવે છે, તેના સાહિત્યમાં માત્રામેળ છંદોનો પ્રયોગ થયેલો છે. એક જ છંદમાં લાંબી-ટૂંકી રચનાઓ જેવી કે ઝૂલણા, સોઢા, રામદેપારા, કુંડળિયા, જસા હરધોળણી ચકવિત, બિપાખરી રાવદુદારી રાયસિંહ માનાણી રાકવિત, ચૂડાસમા રીઝમાળ, રાધાનિસાણી, જામરાયસિંહરી ગજગત.
ચારણી સાહિત્યના પ્રભાવથી કવિ પ્રેમાનંદ પૂર્વેના જૈન મુનિઓએ કાવ્યરચના કરી છે. તેનાં કેટલાંક ઉદાહરણો પ્રાપ્ત થાય છે. કવિ
ક્ષભાસના કુમારપાળ રાસમાં કેટલીક પદ્ય રચનાઓ ચારણી સાહિત્યના પ્રભાવવાળી છે. મીરાંબાઈ, પ્રેમાનંદ અને શામળની રચનાઓ પર ચારણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org