________________
૧૪
વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી
ડૉ. કુમારપાળ દેસાઈ
કાળનું સતત ફરતું ચક્ર પણ કેટલીક ઘટના અને વિભૂતિઓને લેપી શકતું નથી. વર્ષોના કેટલાય વંટોળ પસાર થઈ જાય તેમ છતાં સમયની રેતી પર પડેલાં એ પગલાં ભુંસાઈ શકતાં નથી. આજથી બાણું વર્ષ પહેલાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં પહેલી વાર અમેરિકાના નૂતન વિશ્વને, ભારતીય દર્શન અને ભારતીય સંસ્કૃતિને દઢ અને તેજસ્વી કાર અને રણકાર સંભળાયો. આ પરિષદમાં આવેલા ભારતના બે પ્રતિનિધિઓએ સ્વદેશના આધ્યાત્મિક વારસા પ્રત્યે જગતને જાગતું કર્યું. આમાં એક હતા સ્વામી વિવેકાનંદ, કે જેમની શિકાગો વિશ્વધર્મ પરિષદની કામયાબી આજેય સહુના હેઠે રમે છે, પરંતુ એથીય અધિક સિદ્ધિ મેળવનારા જૈન ધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી હતા. પરંતુ ઘરદીવડાએને ભૂલી જનારો આપણો સમાજ વીરચંદભાઈનાં સિદ્ધિ અને સામર્થ્યને વિસરી ગયો છે. જે પ્રજા પોતાના ચેતનગ્રંથે જેવા સત્વશીલ પુરુષોને વીસરી જાય છે એ પ્રજાની ચેતના કુંઠિત બની જતી હોય છે.
પણ ખેર ! આજથી બાણું વર્ષ પહેલાંની એ ઘટના પર પડેલો કાળો પડદે હટાવીને નજર કરીએ. અમેરિકાના શિકાગે શહેરમાં મળેલી એ ધર્મ પરિષદમાં જુદા જુદા દેશના અને જુદા જંદા ધર્મના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ એકત્ર થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org