SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ જેના પત્રકારત્વ : એક ઝલક ૨૮૫ તરીકે નવાજ્યા હતા. એટલું જ નહિ પણ પૂનામાં મળેલી એક જંગી જાહેર સભામાં બાળ ગંગાધર ટિળકના વરદ હસતે તેમને માનપત્ર અને ઝેળી અર્પણ કરાયાં હતાં. એ સમયે ટિળકે વા. મેં શાહની. તીખી કલમની તથા સમાજ સેવા તેમજ સ્વદેશદાઝની ભરપૂર પ્રશંસા કરી હતી. ૬. હિન્દુસ્તાનની એક જ ભાષા, અને તે હિન્દી હેવી જોઈએ. તેવો અનુરોધ કરનાર પ્રથમ જૈન પત્રકાર વા. મે. શાહ હતા. “જન' સાપ્તાહિક શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ૧૨ મી એપ્રિલ ૧૯૦૩ના. રોજ અમદાવાદથી “જેન' નામનું સાપ્તાહિક પ્રગટ કર્યું હતું. ૧, આ પત્રના પ્રકાશનથી ગુજરાતી જૈન પત્રકારત્વ માસિકની. સામયિકતામાંથી બહાર નીકળ્યું. ૨. સત્તા અને શ્રીમંતે સામે લાલ આંખ કરીને કહેવાલખ. વાની પહેલ આ પત્રે કરી, આ પત્રની ઝુંબેશથી શત્રુંજય તીર્થ પર સત્તાધીશો દ્વારા થતી આશાતના અને દખલને જીવલેણ ફટકો પડ્યો.. ૩. સાર્વજનિક હિતમાં સાચેસાચું, જરૂર પડે તે તીખું અને કડવું પણ કહેવા-લખવામાં કેઈનીય સાડાબારી નહિ રાખવાની ખુમારીને આ પત્રો જન્મ આપે. પાલીતાણાના ઠાકરેને આ પત્રે. ખખડાવ્યા હતા. આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટકર્તા શ્રીમંતન ઊધડા લીધા હતા. તત્કાલીન રાજકીય પ્રશ્નોની ચર્ચા પણ તેનાથી જ શરૂ થઈ. ૪. જૈન સમાજનાં ૮૦ વરસનો ઇતિહાસ લખવા માટે જેન” સાપ્તાહિક એક સંદર્ભગ્રંથની ગરજ સારે છે. એમ નિઃશંક કહી શકાય કે જેન' સાપ્તાહિક પત્રકારત્વને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy