________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૫ કુંડલાકર, શેઠ કુંવરજી આણંદજી કાપડિયા, વાડીલાલ મોતીલાલ શાહ, પરમાનંદભાઈ કાપડિયા, ગુલાબચંદભાઈ શેઠ, ધીરજલાલ ટોકરશી શાહ, “જયભિખુ, રતિલાલ દીપચંદ દેસાઈ જેવાં નામે
સ્મરણીય છે. સને ૧૯૭૭ના આંકડા પ્રમાણે, રાજ્યવાર જોઈએ તે. હિંદી ભાષા પછી સૌથી વધુ જૈન પત્ર-પત્રિકા ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય છે, અને તેમાં પણ અમદાવાદ, મુંબઈ, ભાવનગર કે. વડેદરા જેવાં શહેરો તો ઠીક, પણ ગાંધીધામ, ડીસા, જામનગર, છાણ, પાલીતાણા, ભાભર, ભૂજ, વઢવાણ, સોનગઢ અને હિંમતનગર જેવાં સ્થાનમાંથી પણ જૈન પત્રો પ્રસિદ્ધ થાય છે. ૧૦ જૈન યુગ”, જન સાહિત્ય સંશોધક અને પુરાતત્ત્વ સૈમાસિક જેવાં સામયિકાએ જૈન સાહિત્ય અને અન્ય કલાઓના સંશોધનનું ઉપકારક કામ કર્યું? છે. વળી જૈન સામયિકોના પ્રકાશનમાં પૂના અને કલકત્તાએ પણ ફાળો આપ્યો.
કેટલીક ગ્રંથશ્રેણીઓએ જૈન સાહિત્યના વિપુલ પ્રકાશન દ્વારા એના પ્રસાર અને પ્રચારનું મહત્વનું કામ કર્યું છે, આમાં શ્રી શાંતિપ્રસાદ સાદૂનાં માતુશ્રીની સ્મૃતિમાં પ્રગટ થતી “મૂર્તિ દેવી ગ્રંથમાળાને ફાળો નેધપાત્ર ગણાય. પખંડાગમ, ધવલા, જેવા આગમતુલ્ય ગ્રંથનું વ્યવસ્થિત સંશોધન અને સંપાદન શોલાપુરથી. થયું છે. જીવરાજ ગૌતમ ગ્રંથમાળા દ્વારા ડો. એ. એન. ઉપાધ્યના માર્ગદર્શન હેઠળ, દિગમ્બર 2થેનું ઉલલેખનીય પ્રકાશનકાર્ય થયું છે. ભારતીય જ્ઞાનપીઠને એક લાખ રૂપિયાને એર્ડ (કરમુક્ત) એ પણ જૈન સંઘની જ્ઞાનભક્તિ અને ઉદારતાનું પ્રતીક છે. સાદૂ શ્રી શાંતિપ્રસાદજી જૈનના એકાવનમાં વર્ષના પ્રવેશ નિમિત્તે એમનાં કુટુંબીજને-- એ આ ઍવેની યેજના કરી છે. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ત્રણ
૧૦. “તીર્થકર જૈન પત્ર-વત્રજાનું વિશેષાંક, વર્ષ છે, એ-૪, ૬ માસ્ત–સિતવર, ૨૬૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org