SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મહામૂલા સદગ્રંથ ૧૯૯ નથી. આટલી બધી સામગ્રોવાળા સાહિત્યના ખીજો કાઈ સદગ્રંથ ગુજરાતી ભાષામાં બતાવવે મુશ્કેલ છે. ૪ ‘જૈન ગુજર કવિઓ'ની વિશેષતા માત્ર એની પ્રચુર સામગ્રીમાં નથી. એની ઝીણવટભરી ચેસ વ્યવસ્થાયી ને વૈજ્ઞાનિક અભિ ગમથી થયેલો રજૂઆતમાં પણ છે. આપણે એ વ્યવસ્થા અને વૈજ્ઞાનિક અભિગમની પણ થેાડી ઝાંખી કરીએ. ગ્રંથકારી અને એમની કૃતિએને શ્રી દેસાઈએ સમયના ક્રમમાં સૈકાવાર વહે‘ચીને રજૂ કર્યા છે. પાછળથી બે વાર ઉમેરાયેલી સામગ્રીમાં પણ આ જ ક્રમ રાખ્યા છે. કર્તાને એમણે ક્રમાંક આપ્યા છે જે ૯૮૭ સુધી પહેાંચે છે. નાંધાયેલી કૃતિઓને પણ એમણે સળંગ ક્રમાંક આપ્યા છે, જે ૨૦૫૫ સુધી પહેચે છે. આ પદ્ધતિથી એક ખાસ લાભ થયેા છે તે નોંધવા જેવા છે. શબ્દાનુક્રમણિકામાં શ્રી દેસાઈએ પૃષ્ટાંક ઉપરાંત કર્તા કે કૃતિક્રમાંક પણ નાંધ્યા છે, જેમ કે અજિતદેવસૂરિ (પલ્લીવાલ ગુચ્છ) ૭૦૨-૬૭૧. અહી ૭૦૨ એ કર્તાક્રમાંક છે અને ૬૭૫ એ પૃષ્ટાંક છે. ખેમાંથી એક આંકડા ખેાટા આવી ગયા હોય ( કયાંક આમ બની જવું સહજ છે) ત્યાં પણ એ કર્તા કે કૃતિને શેાધવાતી ખીજી ચાવી આપણી પાસે રહે જ છે ! જૈન ગુજ`ર કવિએ'માં સૌ પ્રથમ કર્તાનામ, એની કૃતિ એમાંથી મળતાં ગુચ્છ અને ગુરુપરંપરાના નિર્દેશ સાથે મૂકવામાં આવ્યું છે. પછી સમયાનુક્રમે કૃતિએની નોંધ છે તેમાં શઆતમાં કૃતિનામની સાથે કૃતિની રચનાતિથિ કે લેખનસંવત કે અનુમાનેલે સમય અને રચનાસ્થળની માહિતી નાંધી લીધી છે; પછી કૃત્તિના આદિ અને અંતના ભાગેા નૈાંધ્યા છે, અને પછી પ્રતેની પુષ્પિકાએ તૈાંધી છે અને પ્રતનાં પૃષ્ઠ અને પૃષ્ટાંત તપક્તિસખ્યા સાથે એનું પ્રાપ્તિસ્થાન પણ દર્શાવ્યું છે. કૃતિ મુદ્રિત હાય તા કૃતિનામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy