________________
ગુજરાતનાં..આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન ૧૪પ દરા)માંથી આ કાલની અનેક ધાતુપ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે, જેમાં મહાવીર સ્વામીના દીક્ષા પૂર્વેના જીવન્તસ્વામી સ્વરૂપની બે પ્રતિમાઓ (૬ઠ્ઠી સદી), જિનભદ્ર વાચનાચા પ્રતિષ્ઠિત કરેલી યક્ષયક્ષીયુક્ત ઋષભનાથની પ્રતિમા (૬ઠ્ઠી સદી), વિદ્યાધર-કુલમાં પ્રતિષ્ઠિત અંબિકાની પ્રતિમા (૬ઠ્ઠી સદી), ઊભા પાર્શ્વનાથની ખંડિત પ્રતિભા (૭મી સદી), ઊભાં સરસ્વતીની પ્રતિમા (૭મી સદી , બેઠેલા પાશ્વનાથની બે ત્રિતીર્થિક પ્રતિમાઓ (૭મી સદી), અશ્વારૂઢ મહાવિદ્યા અછુપ્તાની પ્રતિમા (૭મી સદી), સિંહ પર અને પદ્મ પર બેઠેલાં અંબિકાની બે પ્રતિમાઓ (૮મી સદીને ઉત્તરાર્ધ) ઈત્યાદિ અનેક પ્રતિમાઓ શિ૯૫લાની પ્રશસ્ય કૃતિઓ છે.
અનુ-મૈત્રક કાલ (ઈ. સ. ૭૮૮–૯૪૨)માં જૈન ધર્મને રાજકુલેને આશ્રય મળવા લાગ્યા. વનરાજના ઉછેરમાં શીલગુણસરિ (કે દેવચંદ્રસૂરિ)ને પ્રભાવ પડે એવી જૈન અનુશ્રુતિ છે. “પ્રબંધચિંતામણિમાં વનરાજની માતાને ઉલ્લેખ છે, પણ માતાનું નામ આપ્યું નથી ને પિતાને નિદેશ નથી. પર તુ “પુરાતન પ્રબંધસંગ્રહ'માં વનરાજને ચામુંડને પુત્ર કહ્યો છે. “પદ્મપુરાણમાં એને રજનીપુત્ર પુત્ર જણાવ્યો છે ને “રત્નમાલા'માં જયશિખરીને પુત્ર. વનરાજની આરંભિક કારકિદીના પ્રસંગ જૈન પ્રબંધમાં નિરૂપાયા છે વનરાજે શીલગુણસૂરિની પ્રેરણાથી પંચાસરથી પાર્શ્વનાથની પ્રતિમા મંગાવી અણહિલવાડમાં પધરાવી એ જેને અનુશ્રુતિને સમર્થન આપતું ત્યાં પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર શતકથી દેખા દે છે, અણહિલપાટણની સ્થાપના અને વનરાજના રાજ્યાભિષેક માટે જૈન અનુશ્રુતિમાં આપેલું વિ. સં. ૮૦૨ મું વર્ષ અન્ય સર્વ આનુશ્રુતિક વૃત્તાંતેમાં પણ આપેલું છે. જો કે તુલનાત્મક કાલગણનાની દષ્ટિએ એ વિ. સં. ૮૦૨ કે એની નજીકનું હોય છે જ બંધ બેસે તેમ છે.૧૧ એવી રીતે વનરાજના વંશજોનાં નામ, સંખ્યા અને રાજ્ય૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org