________________
આજની આપણી આવશ્યકતા. . . . . .
સાધકને હેતું નથી. આ રીતે જ પૂર્વ મહાપુરુષોએ સમભાવે ઉપસર્ગો પાર કર્યા છે (જુઓ અધ્યાત્મસાર, સમતાધિકાર, લેક ૯-૧૦). ભગવાને દારુણ ઉપસર્ગો સમભાવે પાર કર્યા એની પાછળ પણું, ધ્યાનાદિ અંતરંગ સાધના વડે એમને પ્રાપ્ત થયેલ સમત્વ અને અંતર્મુખતાને મુખ્ય ફાળો હતા – એ વાત જે ઉપદેશકેના યે ધ્યાન બહાર રહેતી હોય તો શ્રોતાજને સુધી તો એ પહેાંચે જ શી રીતે ?
આના ફળસ્વરૂપે, સામાન્ય જનસમૂહનું અને આરાધક વર્ગના પણ મોટા ભાગનું લક્ષ માત્ર બાહ્ય તપ, ત્યાગ અને તિતિક્ષા ઉપર જ કેન્દ્રિત રહે છે. એના અંતરમાં ભગવાનની જેમ ઉગ્ર તપશ્ચર્યા અને પરિષહ-ઉપસર્ગ સહન કરવાના મનોરથ જાગે છે; કિધુ કેવળ સહનશક્તિ અને ઈચ્છાશક્તિના જોરે જ નહિ પણ ઊંડી અંતમુ ખતાના કારણે જ ઉપસર્ગો અને પરિષહેને સમભાવે પાર કરી જવાય છે. એ તથ્યથી અજાણ હોવાના કારણે, પરની ચિંતા મૂકી દઈ પ્રભુની જેમ ક્યાનાદિ અંતરંગ સાધનામાં ડૂબકી લગાવવાના કેડ એને થતા નથી. પણ, હવે, એ વાત પ્રત્યે એનું લક્ષ ખેંચ્યા વિના ચાલશે નહિ. આજની માંગ અને આપણું કર્તવ્ય
લુપ્તપ્રાયઃ બની ચૂકેલ ધ્યાન અને કાર્યોત્સર્ગની સાધનાને પુનરુદ્ધાર કરવા આજે પ્રાયોગિક ધોરણે એ અંગે સંશોધન થાય એ આવશ્યક છે. માત્ર શાસ્ત્રાધ્યયન, ચિંતન મનન અને સાહિત્યસજન કે ઉપદેશથી ત્યાગવગે આજે સંતોષ માનવો પરવડે તેમ નથી. સાધનાને હવે પ્રાયોગિક રૂપ અપાવું જોઈએ. સાધનાનાં રહસ્ય પગના અભાવે ઢંકાયાં પડયાં છે, તેને બહાર લાવવા સાધનાના પ્રયોગો થવા જોઈએ—જેમ વૈજ્ઞાનિકે કરે છે તેમ. આપણને પ્રાપ્ત માહિતી અને તેના આધારે દેખાતી શક્યતાઓને સામે રાખી પ્રયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org