________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગયા જેમ વસન્તની મધુર પ્રકૃતિ અને પ્રફુલ્લ આશ્રમંજરી કોકિલને ગાતો કરી મૂકે છે તેમ હે પ્રભુ! આપનું દર્શન મને ગાતો કરી મૂકે છે. કવિની શ્રધ્ધાવાણી અવિરત વહે જાય છે. આ દષ્ટાન્ત જુઓ. નતિની; મુIBતિમુતિ નમૂવિન્! કમળપત્ર ઉપર પડેલું જળબિન્દુ મોતીની જેમ ચમકે છે તેમ મારી આ સામાન્ય પ્રાર્થના પણ માત્ર પ્રભુના કારણે જ મનોહર બની રહેશે. આદિનાથ પ્રભુના ગુણો તથા શક્તિઓનું વર્ણન કરતાં કવિ જૈનદર્શનના એક મહત્ત્વના પ્રતિપાદનને શ્લોકરૂપ આપે છે. કાવ્યના દસમા શ્લોકમાં કવિ કહે છે કે હે પ્રભુ! આપની કૃપાથી માનવી દેવતુલ્ય બની રહે છે, તુન્યા મવતિ વિત: આપની સ્તુતિ કરતો માનવી ભવબન્ધનોમાંથી મુક્ત થઈ પ્રભુસમ બની શકે છે. કવિની આનંદવિભોર વાણી આગળ વધે છે. માતા માટે સંતાનનું સર્વ કાંઈ સુન્દર જ હોય, તેમ ભક્ત માટે ઇષ્ટદેવનું સર્વ કાંઈ મધુર જ છે. કવિ કહે છે, હે પ્રભુ! મને આપનું અનન્ય દર્શન થાય, આપના મુખારવિન્દને જોતો જ રહું. આ દર્શનસુખ મને અન્યત્ર ક્યાંય પ્રાપ્ત નહીં થાય. આપનું રૂપ તો અદ્વિતીય છે. રાગ અને રુચિ, આસક્તિ અને ઝંખના; આ બધાથી પરમ વિરક્ત એવા આપતું વિરલ વ્યક્તિત્વ શાંતિના પરમ ધન્ય પરમાણુઓથી ઘડાયેલું છે. આપનું દારિક શરીર અત્યંત તેજસ્વી, આપનું વ્યક્તિત્વ રાગદ્વેષરહિત અને આપની મુખમુદ્રા પરમ પ્રશાન્તિમય છે. આપના અસ્તિત્વ માત્રથી પ્રગટતી શાંતિનો પ્રભાવ અપૂર્વ છે. આદિનાથના આવા પ્રભાવને કવિ એક અતીવ સુન્દર કલ્પનાચિત્ર દ્વારા સાકાર કરે છે. રીપોડપર્વમસિ નાથ! કપ્રિણ: હે વિશ્વના અચલ પ્રકાશરૂપ નાથ! આપ તો ધૂમ્ર વિનાના, વાટ વિનાના, તેલની જરૂર વિનાના, ત્રિભુવનને પ્રકાશિત કરનારા, ભીષણ પવનથી પાગ ચલિત નહીં થનારા, જીવોના અંધકારને દૂર કરનારા, સતત પ્રકાશમાન દીપક છે. પ્રભુના અપરિમેય પ્રભાવને કવિ વાવ છે. આપનું મુખચના જગતના અંધકારને દૂર કરતું હોય ત્યારે સૂર્યચન્દ્રની પણ શી જરૂર છે? તૈયાર થઈ ગયેલી ડાંગરના ખેતરમાં પાણી ભરેલાં વાદળાંની શી જરૂર છે? કવિએ હરિહરનાં ચરિત્રો જોયાં છે, પણ આદીશ્વરને જોયા પછી