SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ એ સિંહની વીરતા છે. અહિંસા દાખવવાનું સિંહને હોય, સસલાને નહિ. એવી અહિંસક વીરતાનું જવલંત ઉદાહરણ છે કતદ્રષ્ટા આચાર્યશ્રીના જીવનમાં બનેલી પાકિસ્તાનમાં આવેલા ગુજરાનવાલાની ઘટના. 1945 થી 1947 સુધીનો હિંદુસ્તાનનો એ સમય અંધાધૂંધી અને ઊથલપાથલોથી ભરેલો હતો. આવે સમયે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા. પંજાબ (પાકિસ્તાનમાં ગયા અને અઢી-ત્રણ વર્ષ સુધી શાસનકાર્યો કરતાં-કરતાં એક વીર સાધુની પેઠે રહ્યા. આ સમયે આચાર્યશ્રીની ઉંમર 75 વર્ષની હતી. એમણે ગુજરાનવાલામાં ચોમાસું કર્યું. ભારત-પાકિસ્તાનના ભાગલાના એ સમયમાં એમના ઉપાશ્રયમાં જ ચાર બોંબ મુકાયા હતા. આચાર્યશ્રીને દેશભરમાંથી વિનંતી કરવામાં આવી કે આપ તત્કાલ ભારતમાં પાછા આવો. આચાર્યશ્રી એ બાબતમાં મક્કમ હતા કે શ્રી સંઘની એકએક વ્યક્તિ સલામત રીતે વિદાય થાય એ પછી જ હું અહીંથી જવાનો છું. ગુજરાનવાલાથી અમૃતસરની આચાર્યશ્રીની એ યાત્રા વીરતાની કથા સમાન છે. આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજીએ પોતાના જીવનમાં ત્રણ આદર્શ રાખ્યા હતા. આત્મ સંન્યાસ, જ્ઞાનપ્રસાર અને શ્રાવક-શ્રાવિકાનો ઉત્કર્ષ. એમણે 68 વર્ષની સંયમસાધનામાં આ ત્રણેય આદર્શોની સિદ્ધિ માટે સતત પ્રયાસ કર્યો. સમાજને વર્તમાનમાં જીવવાની, રાષ્ટ્રીય પ્રવાહોને ઓળખવાની, જ્ઞાનપ્રસારની, અહિંસક વીરતાની, આત્મસાધનાની, સર્વધર્મ - સમભાવની અને ગુતાનુગતિકતાને બદલે સમયજ્ઞતાની પોતાની વાણી અને જીવનથી ઝાંખી કરાવીને એમણે આવતીકાલનો માર્ગ કંડારી આખો. આપણે તો એટલું જ કહેવાનું રહ્યું: વિજયવંત તુજ નામ અમોને અખૂટ પ્રેરણા આપો! તારી પ્રેમ-સુવાસ સદાયે ઘટઘટ માંહે વ્યાપો!
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy