SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ (11) પુરુષને બંને બેડીઓ બાંધે છે ભલે પછી એ બેડી સોનાની હોય કે લોખંડની હોય. આ પ્રમાણે જ જીવને એનાં શુભ-અશુભ કર્મો બાંધે છે. (2001) (12) હે યોગી! અગર જો તું પરલોકની આશા કરે છે તો ખ્યાતિ, લાભ, પૂજા અને સત્કારાદિ શા માટે ચાહે છે? શું એથી તને પરલોકનું સુખ મળશે? (235) તું મહાસાગર તો પાર કરી ગયો છે તો પછી કિનારા પાસે પહોંચીને કેમ ઊભો છે? એને પાર કરવામાં શીઘતા કર, હે ગૌતમ! ક્ષણભરનો પણ પ્રમાદ ન કર (241) (14) જેવી રીતે દોરી પરોવાયેલી સોય પડી ગયા પછી ખોવાઈ જતી નથી એવી રીતે ‘સસૂત્ર' અર્થાત શાસ્ત્રજ્ઞાનયુક્ત જીવ સંસારમાં હોવા છતાં નાશ પામતો નથી. (15) જેવી રીતે અંધની આગળ લાખો કરોડો દીવા પ્રકટાવવા વ્યર્થ છે તેવી રીતે ચારિત્રશૂન્ય પુરુષનું વિપુલ શાસ્ત્રાધ્યયન પાણ અર્થહીન | (248) (16) શ્રમણ જો સમતા વિનાનો હોય તો તેનો વનવાસ, કાય-કલેશ, વિચિત્ર-ઉપવાસ, અધ્યયન અને મૌન બધું જ નકામું છે. (353) (17) (સંયમ માર્ગમાં) વેશ પ્રમાણ નથી કારણ કે એ તો અસંયત લોકોમાં પાણ જોવામાં આવે છે. વેશ બદલનાર વ્યક્તિને શું ખાધેલું વિષ (ઝેર) મારતું નથી? (356) (18) લોકમાં સાધુઓ તથા ગૃહસ્થોના વિવિધ પ્રકારનાં લિંગ પ્રચલિત છે. જેને ધારણ કરીને અમુક લિંગ (ચિન) મોતનું કારણ છે એવું મૂઢ જન કહેતા ફરે છે. (358) (19) તૃણ અને સોનું, શત્રુ અને મિત્રમાં સમભાવ રાખવો એને સામાયિક કહે છે, એટલે કે રાગદ્વેષરૂપ અભિળંગ રહિત (ધ્યાન અથવા અધ્યયનરૂપ) યોગ્ય પ્રવૃત્તિ - પ્રધાન ચિત્તને સામાયિક કહે છે. (425) (20) જે શાસ્ત્રાભ્યાસ (સ્વાધ્યાય) માટે થોડો આહાર કરે છે એને જ આગમોમાં તપસ્વી કહેવામાં આવ્યા છે. શ્રુતવિહીન અનશન તપ તો કેવળ ભૂખનો આહાર, ભૂખે મરવું કહેવાય છે. (443)
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy