________________ 253 પેદાશ છે. પરિણામે કલેશ. રામાયણ એટલે આત્મવિચાર, અહંતા-મમતાનો માગ કરી સર્વત્ર રામને જ પ્રત્યક્ષ કરતાં જીવન ધન્ય બને છે. (ચોપાઈ) શાધવનો પ્રશ્ન પીઉ પઉઢ મહલ મઝારિ, પુષ્ફ-કરંડ પઠાવઈ નારિ; પ્રીતમ મહેલમાં પલંગ પર સૂતો છે. સ્ત્રી તેને ક્લોનો કરંડિયો મોકલે છે. તે કરંડિયા ઉપર તે સ્ત્રીએ મહાદેવ શંકર, સર્પરાજ વાસુકિ અને ચંપક ચીતરેલાં, તે શા કારણે તે કહો. કામલાનો ઉત્તર માણે બાણ-ભયિં સંકર લિખઈ, પરિમલ જાઈ પવન અહિ ભખઈ; લિખિયઉ ચંપક ભમર-ભણ, એ ત્રિશિગ પ્રીઉ લખિયા તેણિ. ફૂલો કામદેવનાં બાણ છે. રખેને કામદેવ તે આંચકી લે એમ વિચારી તે કામદેવના શત્રુ શંકરને ચીતરે છે. વળી ફૂલોની સુવાસ પવન લઈ ન જાય તેટલા માટે તે વાયુનું ભક્ષણ કરનાર મોટા સર્પને ચીતરે છે. મધ ચૂસવાની ઇચ્છાથી ભમરાઓના આક્રમણનો ભય જાણી તે સ્ત્રી જેનાથી ભમરા દૂર જ રહે છે તે ચંપક ચીતરે છે. (એ ત્રણને ચીતરવાનાં આ કારણો.). સુંદરી રયણી વિરહ-વ્યાકુલી, વણ વજાવઈ મુંકઈ વલી; લિબઈ ભુયંગમ સિંહ-કેસરી, તે કિણિ કારણિ? કહિ સુંદરી રેરા પતિના વિરહ વ્યાકુળ સ્ત્રી રાતે વીણા વગાડે છે અને વગાડતાં વગાડતાં તેને બાજુએ મૂકી દઈને સર્પ અને કેસરીસિંહને ચીતરે છે તે શા કારણે? હે સુંદરી, તે તું કહે (જુઓ ઉપરની સમસ્યા 18) કામલાનો ઉત્તર વાઈ વીણ ગમણ નિશિ કાજિ, નાદ-રંગિ થંભિઉ નિસિ-રાજિ; પીય વહેતઉ પન્નગ વાઈ, સસિ-વાહાગ મૃગ નાસી જાઈ. (ઊંધને અભાવે) રાત પસાર કરવાને માટે સ્ત્રી વીણા વગાડે છે.