________________ 138 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ આપણે સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો આપણા મૂળભૂત જૈન તત્ત્વોની પ્રતીતિ પણ આમાં જ થાય છે. સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને અનેકાન જેવા પાયાના સિદ્ધાંતોનું પાલન જાહેર સંસ્થાના કાર્યકરોએ કરવાનું હોય છે. આવી જાહેર કે સાર્વજનિક સંસ્થાના હોદ્દેદારો કે કાર્યકરોનું આચરાગ સત્યથી વેગળું ન હોવું જોઈએ, સીધી કે આડકતરા લાભથી અળગા રહીને અચૌર્યનું પાલન કરવું જોઈએ અને તેમાંજ અપરિગ્રહ પણ સમાઈ જાય છે. એકહથ્થુ સત્તા રાખવાથી અન્ય કાર્યકરોનું મનદુખ થતું હોય છે જે પણ એક પ્રકારની હિંસા છે અને તેથી જ અનેક બાજુઓનો વિચાર કરીને, કાર્યકરોનો સાથ લઈને સરથાનું હિત સધાય તેવું કાર્ય કરનાર જ સાચો સેવાભાવી કહેવાય છે અને એ રીતે કામ કરવાથી આપણે અહમુમુકા પણ થઈએ છીએ. આપણા જેન ધર્મનાં તો આવી જાહેર સંસ્થાઓ માટે માર્ગદર્શક બની શકે તેવાં છે અને તે પ્રમાણના આચાર-વિચારની એકતા જ જીવન જીવવાની સાચી કળા શીખવે છે તે સાર્વજનિક સંસ્થાઓના સંચાલનમાં સહાયક બની શકે છે. મારા આ લખથી વાચકો અને જાહેર સંસ્થાના સંચાલકોને પ્રેરણા અને ઉત્સાહ મળશે અવી હું આશા રાખું છે.