________________
ward awachten
BAB TukaSavu zulu Sutures
પ્ર. શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા-લાખાબાવળ (સૌરાષ્ટ્ર)
પંડિતવર્ય શ્રી પ્રભુદાસભાઇને અભિનંદન - એક અમેરીકન વિદ્વાને, મી. ડાવીનની વાંદરામાંથી માણસેની ઉત્પત્તિની પ્રક્રિયા બેટી પાડી છે. અને જણાવ્યું છે, કે-“કેઈપણ પ્રાણીની ઉલ્કાતિ તેની સજાતીય જાતિમાંથી થઈ શકે છે. વિજાતીયમાંથી થાય નહિ.” એ મતલબની વાત ઘણા પ્રમાણેથી સિદ્ધ કરી છે. તે વાત “છઠ્ઠા આરામાં મનુષ્ય–વૈતાઢય પર્વતના બિલમાં આશ્રય લઈને રહે છે, ને પાછા ઉત્સર્પિણી કાળે તેમાંથી જ વિકાસ પામીને-બધી જાતિઓમાં માન ખુલ્લામાં રહેતા અને વસતા થાય છે. તથા સંસ્કારી બની, ધર્મપ્રધાન સાંસ્કૃતિક જીવન જીવતા થાય છે.” એ શાસ્ત્રીય વાત સાથે મેળ ખાય છે. - ધર્મનું શિક્ષણ આપવાની સચોટ જનારૂપ પર્વો ઓછોઃ મહોચ્છઃ તીર્થયાત્રા: વિશિષ્ટ અનુષ્ઠાને પ્રતિષ્ઠાઓઃ વરઘોડા વગેરે લુપ્ત થતા જાય, તેમાં તે ખર્ચ રાષ્ટ્રીય દુર્થય ગણાતે જાય. પાઠશાળાઓ અને તેના શિક્ષકે સ્કુલના અનુસંધાન સાથે જોડાતા જાય, આ ભય અમે મુંબઈ જેન ધાર્મિક શિક્ષણ સંધ સ્થાપિત વખતે સૂચવ્યું હતા. પરંતુ જે વાણીયાએ એક વખત અગમબુદ્ધિ ગણાતા, તે હવે પશ્ચિમબુદ્ધિ અથવા તરતબુદ્ધિ થતા જાય છે. કેને દોષ કાઢવો?
ધાર્મિક શિક્ષણ શબ્દને બદલે ઠામ ઠામ આધ્યાત્મિક વિજ્ઞાનનું શિક્ષણ શબ્દો નિવેદનમાં મૂકવામાં અદભુત ખુબી છે. આધ્યાત્મિક જ્ઞાનમાત્રથી કે દરેક ધર્મોને માન્ય આધ્યાત્મિક વિજ્ઞાનના સંગ્રહના જ્ઞાનમાત્રથી ધાર્મિક કે ધર્માત્મા થઈ શકાતું નથી. આધ્યાત્મિક જ્ઞાનને જુદા જુદા આચારો મારફત જીવનમાં ઉતારવા માટે જુદા જુદા નામે પરંપરાગત ચાલી આવતી ધર્મસંસ્થારૂપે વ્યવહારુ સાધનરૂપ ધર્મોની ને સંપ્રદાયની આવશ્યક્તા પડે છે. તે જ જુદા જુદા સંપ્રદાયમાં રહેલા લોકોને ધર્મનું સેવન સુલભઃ સ્થાપિઃ અને રસમયઃ બની શકે છે. એટલા માટે ધાર્મિક ઉત્સઃ ૫: ધર્મસ્થાનેઃ ત્રઃ નિયમ વગેરેની ગોઠવણ હોય છે, પરંતુ આધ્યાત્મિક વિકાસનું જ્ઞાન આપવાની વાતને આગળ કરવામાં પરંપરાગત ધર્મોને લુપ્ત કરવાની ગંભીર ગઠવણને ગૂઢ રીતે છુપાવવામાં આવતી હોય છે. આધ્યાત્મિક વિજ્ઞાનનું કેરું જ્ઞાન આપવાને આદર્શ એ જ પરંપરાગત ધર્મોને લુપ્ત કરવાનું હથિયાર, આ વસ્તુ સૂક્ષમદષ્ટિ વિના સમજાશે નહીં.
– ૦૦ – –પં. શ્રી પ્ર. એ. પારેખ
ફોન : ઓ. ૩૨૩૪૭–૩૨૭૮૫ રેસી. ૩૩૭૮૫ 1 શાહ પ્રાણલાલ ભુદરભાઈ 7
જે. પી. શાહ એન્ડ કુાં. ચાંદીના ફેન્સી દાગીના બનાવનાર તથા વેચનાર
સેની બજાર, ૦ રાજકેટ
k
www