SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુખનો સંદેશ નવયુગ પ્રવર્તક આચાર્યપ્રવર યુગદ્રષ્ટા શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની ઉત્કૃષ્ટ પ્રેરણાથી ઈ. સ. ૧૯૧૫માં મુંબઈમાં સ્થપાયેલી સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલય આજે એના શતાબ્દી વર્ષમાં પ્રવેશે છે ત્યારે શ્રીસંઘના પ્રચંડ પુરુષાર્થથી વિકસેલી આ સંસ્થા સ્વાભાવિક રીતે જ આનંદ અને ગૌરવનો અનુભવ કરે. દસ-દસ દાયકા સુધી ઉચ્ચશિક્ષણ માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેલી આ સંસ્થાની પ્રવૃત્તિઓ સતત પાંગરતી રહી છે અને જ્ઞાનપ્રસાર માટે વિદ્યાર્થીઓનો આર્થિક તેમજ બીજી સહાય આપવાની સાથોસાથ જૈનસાહિત્ય પ્રકાશનનું પણ એણે આગવું કાર્ય કર્યું છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે રજત મહોત્સવ સ્મારક ગ્રંથ, સુવર્ણ મહોત્સવ સ્મારક ગ્રંથ, અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ જેવા ગ્રંથો એની પચીશીની ઉજવણી રૂપે પ્રકાશિત કર્યા છે. આ શતાબ્દી મહોત્સવ સમયે એ સાહિત્ય, સંશોધન, વિવેચનના બે દળદાર ગ્રંથો પ્રગટ કરીને એમની પરંપરામાં એક ડગલું આગળ વધે છે. સદીઓથી સાહિત્યમાં સમાજ, એની વાસ્તવિકતાઓ અને આદર્શોનું પ્રતિબિંબ ઝિલાતું આવ્યું છે. સદ્વાચનમાંથી પ્રાપ્ત થતી પ્રેરણા દ્વારા લોકોના જીવન ઉપર વિધાયક અસર થાય છે અને પોતાના જ્ઞાનવારસાથી લાભાન્વિત બને છે ! સારું સાહિત્ય યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવે છે, ત્યારે શબ્દની શક્તિ સમશેર કરતાંય વધુ પ્રબળ બને છે. પ્રસ્તુત પુસ્તકની વાચનસામગ્રી તેમજ રજૂઆતમાં કોઈ કચાશ નથી એનો મને આનંદ છે. ડૉ. કુમારપાળ દેસાઈ જૈન દર્શનના બહુખ્યાત તજ્જ્ઞ છે. આ પુસ્તક આપણા હાથમાં છે તેનો સંપૂર્ણ યશ એમને જાય છે. આ પ્રકલ્પના વૃક્ષને એમના માર્ગદર્શન દ્વારા આજે સુફળ આવ્યું છે તેનો પણ ઉત્કટ આનંદ છે. આ પ્રસંગે પુસ્તકમાં સમાવિષ્ટ સર્વ લેખકગણનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. જેમણે સાહિત્યથી લઈ વૈચારિક નેતૃત્વ સુધીના વિષય ઉપર આલેખન કર્યું છે. વિચારપ્રેરક આ સાહિત્યનું વાચન ખૂબ પ્રેરણારૂપ છે. વાર્તાઓ પ્રેરક છે, તો મહાપુરુષોનાં જીવનચરિત્રમાંથી જ્ઞાનનો અને ચારિત્રઘડતરનો ખજાનો મળી રહે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા વિવેચન, સંશોધન, કેળવણી અને તત્ત્વચિંતનના લેખોનો આ સુંદર સંચય પ્રગટ થઈ રહ્યો છે એનો મને આનંદ છે. આપણી સુવર્ણજયંતી નિમિત્તે આ પુસ્તક પ્રકાશનના સંનિષ્ઠ પ્રયત્નો બદલ હું આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ અથાગ પરિશ્રમ માટે હું સંપાદકશ્રી, પ્રફ-રીડરો અને પ્રકાશકનો ખૂબ આભારી છું. આ ગ્રંથ વિદ્વાનો, અભ્યાસીઓ અને સાહિત્યરસિકોને ઉપયોગી બનશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. - કીર્તિલાલ કે. દોશી
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy