SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગહર ઘેર એક અધ્યયન લીધે. એ ઉપરથી શ્રુતકેવલીએ ઉપસર્ગહર-સ્તંત્ર રચી સર્વત્ર મોકલ્યું. અને એના પ્રભાવથી સંઘ ઉપદ્રવથી મુક્ત બન્યા.” આ ઉપરથી નીચે મુજબની તારવણી થઈ શકે – (૧) ઉવસગહરત્તના પ્રણેતા “શ્રુતકેવલી” ભદ્રબાહુ છે. (૨) એઓ જન્મે બ્રાહ્મણ હતા. (૩) એમને વરાહમિહિર નામના ભાઈ હતા. (૪) એ વરાહમિહિરે દીક્ષા લઈ બાર વર્ષ પછી એ છોડી દીધી હતી. (૫) એ પૂર્વે એમણે ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરેને અભ્યાસ કર્યો હતે. (૬) એમણે વરાહમિહિર નામનું સવાલાખ શ્લેક જેવડું પુસ્તક એ અભ્યાસના આધારે ચોર્યું હતું. (૭) એ સાચું જ્ઞાન આજે પણ (વિ. સં. ૧૩૬૫ માં) પ્રાપ્ત કરવાનું સાધન છે. (૮) વરાહમિહિર જૈનોના દ્વેષી બન્યા હતા. (૯) એને વ્યન્તર તરીકે ઉત્પન્ન થયા પછી એમણે શ્રાવકોને હેરાન કરવા માંડ્યા. (૧૦) એઓ પ્રતિકારાર્થે “ઉવસગહર-સ્તંત્રનું નિર્માણ કરાયું. વરાહમિહિરને વૃત્તાંત તેમજ પ્રસ્તુત તેત્રની ઉત્પત્તિ એ બે બાબત ચતુર્વિશતિપ્રબન્ધ યાને પ્રબન્ધકેશ (પૃ. ૨–૭)માં અપાઈ છે. હર્ષકીર્તિસૂરિકૃત વૃતિ (પૃ. ૧૩–૧૪)માં પણ આ હકીકત છે. પ્રણેતા-આ ઉપરથી તેમજ જૈન પારંપરિક માન્યતા અનુસાર કહી શકાય કે ઉવસગહરથોત્તના પ્રણેતા શ્રુતકેવલી અને નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી છે, અને વરાહમિહિર એમના ભાઈ થાય છે. કેટલાક આધુનિક વિદ્વાનોના મતે “ભદ્રબાહુ નામના બે મુનિવર થયા છેઃ (૧) વીરસંવત ૧૭૦ માં સ્વર્ગ સંચરનાર “શ્રુતકેવલી' ભદ્રબાહુ અને (૨) નિર્યુક્તિકાર ભદ્રબાહ કે જેઓ ઈ. સ. ની પાંચમી સદીમાં થયા છે; આજકાલ જે વરાહિમિહિરે નિગ્નલિખિત કૃતિઓ રચ્યાનું મનાય છે તેઓ શ્રુતકેવલીના સમકાલીન સંભવી શકે તેમ નથી. (૧) પંચસિદ્ધાંતિકા, (૨) બૃહજજાતક, (૩) બૃહત્સંહિતા અને (૪) બૃહદુ૮. દિગમ્બર આચાર્ય જિનસેને રચેલા આદિપુરાણમાં ભદ્રબાહુ બીજાને “મહાયશસ્ કહ્યા છે એમ જૈન પરંપરાને ઈતિહાસ (ભા. ૧ પૃ. ૨૯૨ ) માં નેધ છે. પ્રસ્તુત તેત્રની પાંચમી ગાથામાં “મહાયસ” શબ્દ છે. તે શું એ ભદ્રબાહુ બીજાને વાચક ગણાય ખરો ? ૯. આના અંતમાં વરાહમિહિરે પિતાને પરિચય આપતાં કહ્યું છે કે અવન્તીના નિવાસી અને ? આદિત્યદાસના પુત્રે પિતા પાસેથી જ્ઞાન મેળવી કાપિત્થનગરમાં સૂર્ય પાસે વરદાન મેળવી વરાહ મિહિરે હારા રચી. ૧૦. આ કૃતિ વારાહી (બ્રહત)સંહિતાના નામથી પં. બલદેવપ્રસાદના હિન્દી અનુવાદ સહિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy