SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ - સાર્ષી રસાધુતાના ર-સ્વામી - પ.પૂ. આ. પુણયાનંદ સુ.મ.સા. “गुणाः कुर्वन्ति दूतत्वं, दुरेऽपि वसतां सताम्; તલ iધમબ્રાનું, સ્વયં યાન્તિ દિપટ્ટી: '” જેમ કૅdડી ફુલની ગંધ ઑવા માટે ભમરો સ્વયં લાવી જાય છે તેમ મહાપુરુષો (ad દુર બેઠા હોય પણ dailી ગુણ સુગંધol ofહs dો હજારો કિ. ર્મા. દૂર પહોંચી જાય છે. આવા જ એક નિઃસ્પૃહી, ચોથા આરાના સેમ્પલ, બેજોડ તપસ્વી, મહામના મહાપુરુષ, આચાર્યભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજથી ચતુર્વિધ સંઘમાં કોણ અપરિચિત હશે ? કોઇ નહીં. હું પ્રત્યક્ષ તેઓશ્રીના દર્શન વંદન કરી શક્યો નથી પણ તેમના જીવન કવનની કિતાબના પાનાં સાંભળવા મળ્યા છે. અમારા સમુદાયના સાધ્વીજી પાસેથી. તેઓ પાલિતાણા, રૈવતગિરિ સંધયાત્રામાં ગયા હતા. તેમણે જે મહાપુરુષની વાત કરી એ સાંભળતાં હૈયુ ગદ્ગદિત બની ગયું. તેમના જીવન બાગના ગુણપુષ્પોની પરિમલ લેતાં તન-મન વયાગ તરબતર બની ગયા. - તે પૂજ્યશ્રીની પૂરા દિનની દિનચર્યા સાંભળીને આવું સંયમ જીવન આપણું ક્યારે બને ? તે માટે વારંવાર મન તે પૂજ્યશ્રી તરફ અહોભાવથી નમી ગયું, શત-શત વંદન કરતાં દિલ નાચી ઉઠ્યું. - આવા દુષમકાળમાં પણ જેમાગે સંયમને વધુ નિર્દોષ નિરતિચાર પણે પાલન કરવું હોય તેઓ તપશિરોમણિ આચાર્યભગવંતને સન્મુખ રાખે. - રોજ ત્રિકાળ વંદન કરે તો જરર તેવું સંયમ પાલન કરવા મનને અદેશ્ય સહાય મળે-મળે ન મળે જ એ નિર્વિવાદ છે. ‘‘જેવું તપોdજથી શોભતું હતું ભાવ, જેવું ચાDિય જોઇ લાગી જતા સૌ IIબાલ, diાણેકપુર ગામનો જે હતો કોહિલુર લાલ, તે નાચાર્ય હિમાંશુસૂરિવૉ વંદના કાઉં.'' નાના શા માણેકપુર ગામ, મહેસાણા જિલ્લાનો આ હતો બાલ તેણે યુવાવયમાં નિઃસાર સંસારસુખના મોહને ત્રિવિધ તિલાંજલિ આપીને સંયમ- સામ્રાજ્ય સ્વીકાર્યું. singura આજ કાલ સંયમપ્રાપ્તિ પછી જાણે અહીં જ મોક્ષ મળી ગયો એમ માનીને કોઇ જીવો આહારસંજ્ઞામાં, ઉપધિસંગ્રહ આદિમાં એટલા બધા મસ્ત બની જાય છે કે ન પૂછો વાત. પંચવિક સ્વાધ્યાય, પંચાચાર પાલન, અષ્ટ પ્રવચનમાતાના પાલન આદિમાં પ્રમાદી બનીને સંયમજીવનને હાર જાય છે અને દુર્ગતિના મહેમાન બને છે. આ મહાત્મા સંયમરમણી સાથે હાથમીલાવી બેસી ન રહ્યા પાગ પ્રમાદ મિત્રને દેશવટો આપીને જ્ઞાન, દર્શન, ચારિત્ર, ગુરુવિનય, ધર્માભ્યાસ, વૈયાવચ્ચ આદિ ક્ષેત્રે એટલા બધા પ્રગતિશીલ બન્યા પૂ. ગુરભગવંતે વિવિધ પદ ગણિ-પંન્યાસ, ઉપાધ્યાય – આચાર્ય પદવીનું દાન કર્યુ. પદ પ્રાપ્ત થયા પછી પણ ઇતિશ્રી ન પામતાં, તપોયોગમાં એટલા બધા આગળ વધ્યા છે, તે પૂજ્યશ્રીની તપની સૂચિ જોતાં ભલભલા નાસ્તિકનું મસ્તક નમી જાય અને આસ્તિક બની ધર્મારાધનમાં લાગી જાય. | શાસનરક્ષા, શ્રમાગસંધ એકતા માટે જે પૂજ્યશ્રીએ જબ્બર ઝુંબેશ ઉઠાવી અપૂર્વ તપારાધનને ધૂન જગાવેલ, તે ખરેખર પ્રશંસનીય, અભિવંદનીય સાથે ખૂબજ અનુમોદનીય હતી. પૂજ્યશ્રી જેવા તપોબલી હતાં. તેવા જ ચુસ્ત ક્રિયાપાત્ર હતા. ખાલી શુદ્ધ ક્રિયાવાળા ન હતું પાણ સાથે સાથે સમ્યગ્રજ્ઞાનના વારિધિ હતા. જ્ઞાન-તપ-ક્રિયાનો ત્રિવેણી સંગમ પૂજ્યશ્રીની રગરગમ વ્યાપેલો હતો. પૂજ્યશ્રીએ ગિરનારતીર્થ સહસાવનમાં ચૌમુખજી સમવસરાગ નિર્માણ કરીને અને યાત્રાળુઓને સમ્ય દર્શનની શુદ્ધિમાં અપૂર્વ યોગદાન આપેલ. આવા ગુણનિધિ પૂજ્યશ્રીના જેટલા ગુણગાન ગાઇએ એટલા ઓછા છે તે પૂજ્યશ્રીના શ્રેટ સંયમ જીવનમાંથી કંઇક અંશે એકાદ ગુણ પ્રાપ્ત થાય એજ પૂજ્યશ્રીના ચરણ કમલમાં કોટિશઃ વંદના. જય હો તપોનિધિ આચાર્યભગવંતનો
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy