SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ खायार्थीव श्रीमह् विश्यप्रेमसूरीश्वर महाराष्ट्र (७६) લગભગ ૩૦૦ થી અધિક વિરાટ શ્રમણ સમુદાયનું સર્જન કરી કદી ન ભૂલાય એવી બેજોડ શાસનસેવા કરી છે. તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ લગભગ ૮૦૦ મુનિઓનો પરિવાર હયાત છે. સેંકડો શિષ્યોના આસામી હોવા છતાં ભોજનમાં, વસ્ત્ર-પાત્રમાં એટલીજ સાદગી, કોઈ માન-મોભો કે સન્માનની અપેક્ષાજ નહિ. સંપૂર્ણ અંતર્મુખી બની આત્મસાધના કરતા આ અધ્યાત્મયોગીએ ભારતભરના સંઘોમાં ૮૨ વર્ષની ઉંમર સુધી પગપાળા વિહાર કરી જબરદસ્તશાસન પ્રભાવનાનાં કાર્યો કર્યાં. ૬૭ વર્ષના સંયમપર્યાયમાં પૂજ્યશ્રીને છાપાં-ચોંપાનિયાં વાંચતા કદાપિ કોઈએ જોયા નથી. બાહ્યભાવથી કેવી અલિપ્તતા! ૧૭ વર્ષે દીક્ષા. ૬૭ વર્ષનો વિશુદ્ધ સંયમપર્યાય, ૮૪ વર્ષનું આયુષ્ય, સેંકડો શિષ્યોનાં સર્જન, તપોમય જીવન, સાધના, ત્યાગપ્રધાન મનોવૃત્તિ, આગમ-કર્મસાહિત્યનો અઠંગ અભ્યાસ. આવા અગણિત ગુણભંડાર પૂજ્યપાદ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના ગુણસિંધુમાંથી એકાદ ગુણબિંદુની પ્રાપ્તિ થાય તો'ય આપણું જીવન સફળ થયું ગણારો. रहरा घेता खायार्थध्व श्रीमह् सिद्धिसूरीश्वर महाराष्ट्र (પૂ. બાપજી મહારાજ)
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy