SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી અદશ્ય થતી લેખનકળા અને તેનાં સાધન [૫૧ કારણથી હસ્તલિખિત પુસ્તકોને સારી રીતે મજબૂત બાંધી કાગળના, ચામડાના કે લાકડાના ડાબડામાં મૂકી કબાટમાં કે મજૂસ (મંજૂષા)માં સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. તેમ જ ખાસ પ્રયોજન સિવાય વર્ષાઋતુમાં વરસાદ ન વરસતો હોય ત્યારે પણ લિખિત પુસ્તકભંડારને ઉઘાડવામાં આવતા નથી. જે પુસ્તક બહાર રાખેલું હોય, તેના ખાસ ઉપયોગી ભાગ સિવાય બાકીનાને પેક કરી સુરક્ષિતપણે રાખવામાં આવે છે. કોઈ પુસ્તકની શાહીમાં ગુંદરનો ભાગ પ્રમાણ કરતાં વધારે પડેલે હોઈ તેને બહાર કાઢતાં ચોંટવાને ભય લાગતો હોય તો તેનાં પાનાંઓ ઉપર ગુલાલ છાંટી દેવ-ભભરાવ, એટલે ચેટી જવાનો ભય અલ્પ થઈ જશે. ચાંટેલું પુસ્તક–વર્ષાઋતુમાં અગર કોઈ પણ કારણસર પુસ્તકને હવા લાગતાં તે ચોંટી ગયું હોય તે તે પુસ્તકને પાણિયારાની કોરી જગ્યામાં હવા લાગે તેવી રીતે અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ હવાવાળી માટલી કે ઘડામાં મૂકવું. પછી તેને હવા લાગતાં તે પુસ્તકના એક એક પાનાને દૂક મારી ધીરે ધીરે ઉખાડતા જવું. જે વધારે ચાંટી ગયું હોય તો તેને વધારે વાર હવામાં રાખવું, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ ઉપાય કાગળના પુસ્તક માટે સમજે. જે તાડપત્રનું પુસ્તક એંટી ગયું હોય તો કપડાને પાણીમાં ભીંજવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવાવાળો થતો જાય, તેમ તેમ ઉખાડતાં રહેવું. તાડપત્રના પુસ્તકની શાહી પાકી હોવાથી તેની આસપાસ ભીંજાવેલું કપડું લપેટતાં તેના અક્ષરો ખરાબ થવાનો ભય રહેતો નથી. તાડપત્રનાં પાનાં ઉખાડતી વખતે તેનાં પડો ઊખડી ન જાય તે માટે નિપુણતા રાખવી. " પુસ્તકનું શેમાં શેમાંથી રક્ષણ કરવું એને માટે કેટલાક લહિયા પુસ્તકના અંતમાં ભિન્ન ભિન્ન શ્લેક લખે છે. તે કાંઈક અશુદ્ધ હોવા છતાં ખાસ ઉપયોગી છે, માટે તેને ઉતારે આ સ્થાને કરું છું जले रक्षेत् स्थले रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । । मुर्खहस्ते न दातव्या, एवं वदति पुस्तिका ॥१॥ अग्ने रक्षेज्जलाद् रक्षेत्, मूषकाच्च विशेषतः । कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥१॥ उदकानिलचौरेभ्यो, भूषकेभ्या हुताशनात् । कष्टेन लिखितं शास्त्र, यत्नेन परियालयेत् ॥ १॥ भग्नपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ॥ १ ॥ આ સિવાય કેટલાક લેખકે પોતાની નિર્દોષતા જાહેર કરવા માટે પણ કેટલાક શ્લોક લખે છે– अदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहिनं लिखितं मयाऽत्र । तन्मार्जयित्वा परिशोधनीयं, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥१॥ यादृशं पुस्तकं दृष्ट, तादृशं लिखितं मया ।। यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते ॥१॥ જ્ઞાનપંચમી–તાંબર જેનો કાર્તિક શુકલ પંચમીને જ્ઞાનપંચમી એ નામથી ઓળખાવે છે. આ તિથિનું માહાસ્ય દરેક શુકલ પંચમી કરતાં વિશેષ મનાય છે. તેનું કારણ એટલું જ કે વર્ષઋતુને લીધે પુસ્તક-ભંડારોમાં પેસી ગયેલી હવા પુસ્તકોને બાધક્ત ન થાય માટે તે પુસ્તકને તાપ ખવડાવવો જોઈએ, જેથી તેમાં ભેજ દૂર થતાં પુસ્તક પિતાના રૂપમાં કાયમ રહે. તેમ જ વર્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy